Get The App

કર્ણાટકમાં ભયંકર અકસ્માત, ટ્રક ગણપતિ શોભાયાત્રામાં ઘુસી જતાં 8ના મોત, અનેકને ઈજા

Updated: Sep 12th, 2025

GS TEAM

Google News
Google News
કર્ણાટકમાં ભયંકર અકસ્માત, ટ્રક ગણપતિ શોભાયાત્રામાં ઘુસી જતાં 8ના મોત, અનેકને ઈજા 1 - image

Karnataka News: કર્ણાટકના હસનમાં હોલેનરસીપુરના મોસાલે હોસાહલ્લી નજીક એક ટ્રકે ગણપતિ શોભાયાત્રામાં જઈ રહેલા લોકોને કચડ્યા હતા. ટ્રક ડિવાઇડર તોડીને શોભાયાત્રામાં ઘુસી જતાં નાસભાગ મચી હતી. ધમધમતા હસન-મૈસૂર NH-373 રોડ પર થયેલા આ અકસ્માતમાં અત્યાર સુધીમાં આઠ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. હજુ મૃત્યુઆંક વધી શકે છે. જ્યારે 30 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે.

દુર્ઘટના સમયનો વીડિયો આવ્યો સામે...

આ ઘટના રાત્રે અંદાજિત 8:45 વાગ્યે બની, જ્યારે છેલ્લા દિવસે ગણેશ ચતુર્થી ઉત્સવના અવસરે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ શોભાયાત્રામાં જોડાયા હતા. પોલીસના સૂત્રોએ જણાવ્યું કે, મૃતકોમાં વધુ પડતા યુવાનો હતા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક હાસનના એક નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

પ્રત્યક્ષદર્શીઓના અનુસાર, ટ્રક અરકલગુડ તરફ જઈ રહ્યો હતો અને અચાનક બેકાબૂ થઈ ગયો. ટ્રકે કેટલાક શ્રદ્ધાળુઓને પોતાની ઝપેટમાં લઈ લીધા. ગામલોકોએ જણાવ્યું કે, ચાર લોકોના ઘટના સ્થળે જ મોત થઈ ગયા, જ્યારે તેઓ ટ્રકના પૈડા નીચે દબાઈ ગયા હતા. ઘટના સ્થળે અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો.