India

મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં એન્કાઉન્ટર: 25 લાખનું ઈનામી નક્સલી નેતા પ્રભાકર સહિત 7 માઓવાદીઓ ઠાર

By GS TEAM
6 Feb 20262 mins read
TukuTouch Logo
મહારાષ્ટ્રના નક્સલ પ્રભાવિત ગઢચિરોલી જિલ્લામાં સુરક્ષા દળોએ એક મોટી સફળતા મળી છે. પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે થયેલી ભીષણ અથડામણમાં તેલંગાણાનો કુખ્યાત નક્સલી નેતા પ્રભાકર ઉર્ફે લોકેટી ચંદર રાવને ઠાર માર્યો છે. પ્રભાકર પર સરકારે 25 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું. પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, આ સમગ્ર ઓપરેશનમાં કુલ સાત નક્સલવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે, જેમાં ત્રણ મહિલા નક્સલીઓનો પણ સમાવેશ થાય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં એન્કાઉન્ટર: 25 લાખનું ઈનામી નક્સલી નેતા પ્રભાકર સહિત 7 માઓવાદીઓ ઠાર

Naxal Encounter: મહારાષ્ટ્રના નક્સલ પ્રભાવિત ગઢચિરોલી જિલ્લામાં સુરક્ષા દળોએ એક મોટી સફળતા મળી છે. પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે થયેલી ભીષણ અથડામણમાં તેલંગાણાનો કુખ્યાત નક્સલી નેતા પ્રભાકર ઉર્ફે લોકેટી ચંદર રાવને ઠાર માર્યો છે. પ્રભાકર પર સરકારે 25 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું. પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, આ સમગ્ર ઓપરેશનમાં કુલ સાત નક્સલવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે, જેમાં ત્રણ મહિલા નક્સલીઓનો પણ સમાવેશ થાય છે.

આ પણ વાંચો: VIDEO : તંત્રના પાપે ખાડામાં પડતા યુવકનું મોત, આખી રાત પોલીસ સ્ટેશનના ધક્કા ખાતો રહ્યો પરિવાર

આ ઓપરેશન છેલ્લા ત્રણ દિવસથી નારાયણપુર-ગઢચિરોલી સરહદ પર આવેલા ફોડેવાડા ગામ પાસેના જંગલોમાં ચાલી રહ્યું હતું. ગઢચિરોલી પોલીસની સ્પેશિયલ નક્સલ વિરોધી યુનિટ 'C-60' ની 14 ટુકડીઓએ ગુપ્ત માહિતીના આધારે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન જંગલમાં છુપાયેલા નક્સલીઓએ સુરક્ષા દળો પર અંધાધૂંધ ફાયરિંગ શરૂ કર્યું હતું, જેના જવાબમાં પોલીસે વળતી કાર્યવાહી કરતા સાત માઓવાદીઓને ઠાર કર્યા હતા. ઘટનાસ્થળેથી ત્રણ એકે-47 રાઈફલ, એક એસએલઆર અને એકે.303 રાઈફલ સહિતનો હથિયારોનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે.

જોકે, આ ભીષણ અથડામણમાં સુરક્ષા દળોએ એક બહાદુર જવાન ગુમાવ્યો છે. C-60ના 38 વર્ષીય જવાન દીપક ચિન્ના મદાવી સારવાર દરમિયાન શહીદ થયા છે, જ્યારે અન્ય એક જવાન જોગા મદાવી ઘાયલ થયા છે, જેમને સારવાર માટે એરલિફ્ટ કરવામાં આવ્યા હતા અને હાલ તેમની સ્થિતિ જોખમ બહાર હોવાનું કહેવાય છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, પ્રભાકર જેવા ટોચના કેડરના નેતાના મોતથી આ વિસ્તારમાં નક્સલી પ્રવૃત્તિઓને મોટો ફટકો પડશે. હાલમાં પણ આસપાસના જંગલોમાં અન્ય નક્સલીઓ છુપાયા હોવાની આશંકાએ સઘન સર્ચ ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું છે.

આ પણ વાંચો: VIDEO: AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા, ગુરુદ્વારાની બહાર અંધાધૂંધ ફાયરિંગ