Get The App

ધાર્મિક ગુરૂ દલાઈ લામા અને સંબિત પાત્રાની વધારાઈ સુરક્ષા, ગૃહ મંત્રાલયે આપી Z કેટેગરીની સિક્યોરિટી

Updated: Feb 13th, 2025

GS TEAM


Google News
Google News
ધાર્મિક ગુરૂ દલાઈ લામા અને સંબિત પાત્રાની વધારાઈ સુરક્ષા, ગૃહ મંત્રાલયે આપી Z કેટેગરીની સિક્યોરિટી 1 - image


Dalai Lama And Sambit Patra Security : કેન્દ્રીય ગૃહમંત્રાલયે ધાર્મિક ગુરુ દલાઈ લામા અને ભાજપ નેતા સંબિત પાત્રાની સુરક્ષામાં વધારો કર્યો છે. ગુપ્તચર એજન્સીઓએ બંનેની સુરક્ષા અંગે ગૃહમંત્રાલયને રિપોર્ટ સોપ્યો હતો, ત્યારબાદ મંત્રાલયે બંનેને Z શ્રેણીની સુરક્ષા આપી છે.

33 સુરક્ષા કર્મી દલાઈ લામાની સુરક્ષા કરશે

કેન્દ્રીય ગૃહમંત્રાલયના આદેશ મુજબ કુલ 33 સુરક્ષા કર્મચારીઓ દલાઈ લામાની ચોવીસ કલાક સુરક્ષા કરશે. તેમાં 12 કમાન્ડો અને 6 PSO સામેલ છે. સુરક્ષા કર્મચારીઓમાં 10 આર્મડ સ્ટેટિક ગાર્ડ પણ તેમના નિવાસસ્થાને તહેનાત કરાશે. જ્યારે સંબિત પાત્રાને માત્ર મણિપુરમાં જ Z શ્રેણીની સુરક્ષા પુરી પડાશે, જેમાં CRPFના જવાનો તહેનાત રહેશે. આઈબીએ રિપોર્ટ આપ્યા બાદ ગૃહમંત્રાલયે પાત્રાની સુરક્ષા વધારી છે.

આ પણ વાંચો : વક્ફ બિલ મુદ્દે સંસદમાં હોબાળો, વિપક્ષનો વૉકઆઉટ, કહ્યું- '655 પાનાનો રિપોર્ટ એક રાતમાં કેવી રીતે વાંચીએ?'

ગુપ્ત રિપોર્ટ મુજબ દલાઈ લામા પર ખતરો

દલાઈ લામાની સુરક્ષા કરવા માટે ટ્રેન્ડ ડ્રાઈવર અને દેખરેખ રાખતા કર્મચારીઓ ચોવીસ કલાક ડ્યુટી પર રહેશે. આ ઉપરાંત ત્રણ શિફ્ટમાં કુલ 12 કમાન્ડો તેમના સુરક્ષા પુરી પાડશે. ચીન સામે નિષ્ફળ વિદ્રોહ બાદ દલાઈ લામા 1959માં ભારત આવ્યા હતા. ગુપ્તચર એજન્સીઓને છેલ્લા ઘણા વર્ષોથી રિપોર્ટ મળી રહ્યો છે કે, ચીન સમર્થિક તત્વો અને વિવિધ સંસ્થાઓથી દલાઈ લામા પર સંભવિત ખતરો છે. આ જ કારણે તેમની સુરક્ષા વધારવામાં આવી છે.

સંબિત પાત્રા મણિપુરના પ્રવાસે

મણિપુરમાં છેલ્લા બે વર્ષમાં અનેક જાતિય હિંસાઓની ઘટના બની છે. આ ઉપરાંત મુખ્યમંત્રી એન.બિરેન સિંહે તાજેતરમાં જ રાજીનામું આપ્યા બાદ રાજ્યમાં રાજકીય ગરમાવો વધી ગયો છે. ભાજપના વરિષ્ઠ નેતા સંબિત પાત્રા હાલ મણિપુરના પ્રવાસે છે. તેમણે બુધવારે (12 ફેબ્રુઆરી) બે વખત મણિપુરના રાજ્યપાલ અજય કુમાર ભલ્લા સાથે મુલાકાત કરી હતી. તેમણે મણિપુરમાં ભાજપના ધારાસભ્યો સાથે બેઠક પણ કરી હતી.

આ પણ વાંચો : દિલ્હીની નવી સરકારમાં દેખાશે મિનિ ઈન્ડિયાની ઝલક! બે ડેપ્યુટી CM બનાવવાની તૈયારીમાં ભાજપ

Tags :