ત્રણ વર્ષ પછી જેટ એરવેઝે ફરીથી મુસાફરોને હવાઈ યાત્રા કરાવી
નવી દિલ્હી, તા. 15 મે 2022, રવિવાર
એક સમયે દેશની સૌથી મોટી ખાનગી વિમાની સેવા દેવાના બોજ તળે બંધ થઈ ગઈ હતી. આજે ત્રણ વર્ષ પછી નવા મેનેજમેન્ટ હેઠળ આ કંપનીએ દિલ્હી - મુંબઈ - દિલ્હી વચ્ચે પ્રથમ ઉડ્ડયન કરી મુસાફરોને પ્રવાસ કરાવાયો હતો મંગવલારે કંપની બીજી સેવા દિલ્હી - હૈદરાબાદ - દિલ્હી વચ્ચે શરૂ કરશે. મુસાફરો સાથે ફલાઇટ શરૂ કરવાની પરવાનગી ડિરેક્ટર જરનલ ઓફ સિવિલ એવીએશને આપી દીધી છે.