India

તંત્ર બુલડોઝર લઈને મકાન તોડવા પહોંચ્યું તો પિતા-પુત્ર સહિત 3 લોકોએ ગળે ફાંસો ખાધો

By GS TEAM
8 Apr 20261 min read
TukuTouch Logo
ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાંથી એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે. જ્યાં મકાન તોડવા પહોંચેલા તંત્ર સામે પિતા-પુત્ર સહિત ત્રણ લોકોએ ગળે ફાંસો લાધો. જોકે, ઘટના સ્થળે પહોંચેલી પોલીસે બે લોકોને બચાવી લીધા, બીજી તરફ એકની હાલત ગંભીર છે. ઘટનાની જાણ થતાં શહેરના મેજિસ્ટ્રેટ પણ મોડી સાંજે હોસ્પિટલ પહોંચ્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

તંત્ર બુલડોઝર લઈને મકાન તોડવા પહોંચ્યું તો પિતા-પુત્ર સહિત 3 લોકોએ ગળે ફાંસો ખાધો

Uttar Pradesh: ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાંથી એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે. જ્યાં મકાન તોડવા પહોંચેલા તંત્ર સામે પિતા-પુત્ર સહિત ત્રણ લોકોએ ગળે ફાંસો લાધો. જોકે, ઘટના સ્થળે પહોંચેલી પોલીસે બે લોકોને બચાવી લીધા, બીજી તરફ એકની હાલત ગંભીર છે. ઘટનાની જાણ થતાં શહેરના મેજિસ્ટ્રેટ પણ મોડી સાંજે હોસ્પિટલ પહોંચ્યા હતા. 

પિતા-પુત્ર સહિત 3 લોકોએ ગળે ફાંસો ખાધો 

શાહજહાંપુરના જલાલાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારના મગટોરા ગામના મજરેતામાં મંગળવારે બપોરે જ્યારે વહીવટીતંત્રની ટીમ ચકરોડ પર મકાન હોવાની વાત કહીને બુલડોઝર લઈને  તોડવા પહોંચી ત્યારે હોબાળો મચી ગયો હતો. કાર્યવાહી દરમિયાન વિરોધમાં પિતા-પુત્ર સહિત ત્રણ લોકોએ પોતાના ઘરની નજીક જ એક ઝાડ પર ફાંસો લગાવીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો. સ્થળ પર પહોંચેલી પોલીસે તાત્કાલિક બે લોકોને ઉતારીને બચાવી લીધા હતા, જ્યારે ત્રીજા વ્યક્તિની હાલત ગંભીર હોવાથી તેને મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યો છે. 

આ પણ વાંચો: મોટી રાહત : અમેરિકા-ઈરાન વચ્ચે 2 અઠવાડિયાનું સીઝફાયર, ઈઝરાયલ પણ સહમત, પાકિસ્તાને કરી જાહેરાત

સિટી મેજિસ્ટ્રેટે હોસ્પિટલ પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવ્યો

ઘટનાની જાણ થતાં જ સિટી મેજિસ્ટ્રેટ પણ મોડી સાંજે હોસ્પિટલ પહોંચ્યા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. પ્રાપ્ત માહિતી પ્રમાણે લગભગ એક વર્ષ પહેલા પણ વહીવટીતંત્રની ટીમ આ જ મકાનને તોડવા માટે પહોંચી હતી. મંગળવારે ટીમ ફરીથી પોલીસ ફોર્સ સાથે બુલડોઝર લઈને મકાન તોડવા પહોંચી ત્યારે આ સમગ્ર ઘટના ઘટી.