આ છે ભારતનું સૌથી ઊંચુ રેલવે સ્ટેશન, જાણો ક્યારે થયુ હતુ તેનું નિર્માણ
Image Source: Wikipedia
કોલકાતા, તા. 21 ઓગસ્ટ 2023 સોમવાર
આપણા દેશમાં ગમે ત્યાં મુસાફરી કરવી હોય તો રેલવેને પ્રમુખ સ્થાન આપવામાં આવે છે. ભારતમાં દરરોજ લાખોની સંખ્યામાં લોકો રેલવે મુસાફરી કરે છે. ભારતીય રેલવેની જાળ દેશના દરેક ખૂણામાં ફેલાયેલી છે. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ ચારે દિશાઓમાં રેલવે લાઈનની હાજરી છે. તમે સૌથી મોટુ રેલવે સ્ટેશન, નાનુ રેલવે સ્ટેશન વિશે સાંભળ્યુ તો હશે અને તે વિશે ખબર પણ હશે. પરંતુ શું તમે દેશના સૌથી ઊંચા રેલવે સ્ટેશન વિશે જાણો છો.
આ છે ભારતનું સૌથી ઊંચુ રેલવે સ્ટેશન
દેશનું સૌથી ઊંચુ રેલવે સ્ટેશન પશ્ચિમ બંગાળ રાજ્યના દાર્જિલિંગમાં સ્થિત છે. આ રેલવે સ્ટેશનનું નામ ઘુમ છે. આ દાર્જિલિંગ હિમાલયન રેલવેનું એક સ્ટેશન છે. આ રેલવે સ્ટેશનની ઊંચાઈ 2,258 મીટર છે અથવા એમ કહો કે આ રેલવે સ્ટેશન 7,407 ફૂટની ઊંચાઈએ સ્થિત છે.
ક્યારે શરૂ થયુ હતુ નિર્માણ
તમને જાણીને નવાઈ લાગશે કે 1878 સુધી કોલકાતાથી દાર્જિલિંગ સુધી પહોંચવામાં 5 થી 6 દિવસનો સમય લાગતો હતો. દાર્જિલિંગ હિમાલયન રેલવેનું નિર્માણ 1879માં શરૂ થયુ હતુ. જે બાદ આ રેલવે લાઈન 1881માં ઘામોર સુધી પહોંચી. ઘુમમાં જ ઘુમ મઠ અને દાર્જિલિંગ હિમાલયન રેલવેનો પ્રસિદ્ધ વળાંક બટાસિયા લૂપ હાજર છે. ન્યૂજલપાઈગુડીથી દાર્જિલિંગ જતી ટોય ટ્રેન ઘુમ સ્ટેશનથી થઈને જાય છે. આ રેલવે યાત્રા દરમિયાન ખૂબ સુંદર નજારા જોવા મળે છે.