Get The App

તમારી ગાડીથી અન્ય વાહનને નુકસાન થાય તો નહીં આપવો પડે એક પણ રૂપિયો! જાણો આ કેવી રીતે બને શક્ય

થર્ડ પાર્ટી ઈન્સ્યોરેન્સ પોલીસી હોલ્ડર અને ઈન્સ્યોરન્સ કંપની સાથે કાયદાકીય કરાર કરેલો છે.

ભારતમાં દરેક પ્રકારના વાહનો માટે થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સ લેવો જરુરી છે.

Updated: Aug 13th, 2023

GS TEAM


Google News
Google News
તમારી ગાડીથી અન્ય વાહનને નુકસાન થાય તો નહીં આપવો પડે એક પણ રૂપિયો! જાણો આ કેવી રીતે બને શક્ય 1 - image
Image Envato 

તા. 13 ઓગસ્ટ 2023, રવિવાર

ભારતમાં કે વિદેશમાં ગમે તેવો હેવી ડ્રાઈવર હોય પરંતુ કોઈથી નાનો-મોટો એક્સીડેન્ટ ના થયો હોય તેવુ ભાગ્યેજ બન્યું હશે. તેમાં ગાડી અને જાનમાલના નુકસાનથી બચવા માટે લોકો ઈન્સ્યોરન્સ કરાવતા હોય છે. જો તમારી ગાડીથી બીજા કોઈની સાથે એક્સીડેન્ટ થઈ જાય તો તમારે સામે વાળાને તેના ઈલાજ અને નુકસાનનો ખર્ચ આપવો પડતો હોય છે. તે સાથે સાથે આપણી પોતાની ગાડી બરોબર કરાવવા માટે પણ ઘણો ખર્ચ કરવો પડતો હોય છે. પરંતુ આવી સ્થિતિમાં આર્થિક નુકસાનથી બચવા માટે થર્ડ પાર્ટી ઈન્સ્યોરેન્સ તમને ઘણો કામ આવે છે. આવો આજે આપણે જાણીએ કે થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સ શું છે.

શું છે થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સ ?

થર્ડ પાર્ટી વીમો એ પોલિસી હોલ્ડર અને વીમા કંપની વચ્ચેનો એક પ્રકારે કાયદાકીય કરાર છે. જેમા કંપની પોલિસી હોલ્ડરને લેખિતમાં વાયદો કરે છે કે કોઈપણ એક્સીડેન્ટ સમયે થયેલા દરેક પ્રકારનું નુકસાન કંપની ભરપાઈ કરશે. આ સુવિધાના બદલામાં વીમા કંપની પોલિસી હોલ્ડર પાસેથી પ્રીમિયમ વસૂલ કરે છે. ભારતમાં દરેક પ્રકારના વાહનો માટે થર્ડ પાર્ટી મોટર વીમો લેવો ફરજિયાત છે. તમને જણાવી દઈએ કે થર્ડ પાર્ટી વીમો ત્યારે જ કામમાં આવે છે જ્યારે તમારા વાહનથી કોઈ અન્યને નુકસાન થાય ત્યારે થર્ડ પાર્ટી વીમો કામ આવે છે.

થર્ડ પાર્ટી વીમામાં શું શું કવર કરવામાં આવે છે?

થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સનો લાભ તમને ત્યારે જ મળે છે જ્યારે તમારા વાહનથી અન્ય કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય અથવા ઈજા થાય ત્યારે તમને તેનો લાભ મળે છે. આ ઉપરાંત જો સામેવાળા વ્યક્તિનીની સંપત્તિ જેમ કે તેના વાહનને કોઈ નુકસાન થાય છે, તો આ સ્થિતિમાં તમારે તેને જે પણ પૈસા આપવાના હોય છે તે પૈસા તમારી વીમા કંપની તેની ભરપાઈ કરે છે. જો કે, ઈન્સ્યોરન્સ ક્લેમ કરવા માટે એ જરુરી છે કે તમે અકસ્માત સમયે ટ્રાફિક નિયમોનું સંપૂર્ણ પાલન કરી રહ્યા હતા. જો તમારી પાસે ડ્રાઇવિંગ લાયસન્સ નથી અથવા તમે કોઈ નશીલા પદાર્થનું સેવન કર્યું હોય તો આવા કિસ્સામાં તમને વીમાનો લાભ મળવા પાત્ર નથી.


Tags :