Get The App

રાજાનો મૃતદેહ 300 ફૂટ નીચે ખાઇમાં ફેંક્યો હતો છતાં ફ્રેક્ચરના નિશાન નહીં

Updated: Jun 16th, 2025

GS TEAM


Google News
Google News
રાજાનો મૃતદેહ 300 ફૂટ નીચે ખાઇમાં ફેંક્યો હતો છતાં ફ્રેક્ચરના નિશાન નહીં 1 - image


આરોપીઓના દાવા અને તપાસમાં થયેલા ખુલાસા વચ્ચે અંતર

હત્યાકાંડ બાદ સોનમ ઇન્દોરમાં કેટલાક દિવસ ભાડાના મકાનમાં રહી હતી, રાજે ઓનલાઇન સામાન મંગાવ્યો હતો

શિલોંગ: ઇંદોરના રાજા રઘુવંશીની તેની પત્ની સોનમે પ્રેમી રાજ સાથે મળીને હત્યા કરાવી હતી. આ હત્યાકાંડને બહુ જ ક્રૂરતાથી અંજામ અપાયો હતો. આરોપીઓએ પોલીસને જણાવ્યું છે કે તેમણે રાજાની હત્યા કરીને મૃતદેહને ૩૦૦ ફૂટ નીચે ખાઇમાં ફેંકી દીધો હતો. જોકે આટલી ઉંચાઇથી મૃતદેહ નીચે ફેંકવામાં આવ્યો હોવા છતા રાજાના શરીર પર કોઇ જ ફ્રેક્ચર તપાસમાં સામે નથી આવ્યું. તેથી શું આરોપીઓ જુઠ બોલી રહ્યા છે તેવી પોલીસને શંકા છે. 

ઇંદોરમાં રાજા અને સોનમના લગ્ન થયાના ૧૦ દિવસ બાદ બન્ને હનીમૂન માટે મેઘાલયના શિલોંગમાં ગયા હતા. જ્યાં સોનમે પ્રેમી રાજ કુશવાહા અને તેના મિત્રોની સાથે મળીને રાજાની હત્યા કરાવી નાખી હતી. આ મામલામાં સોનમ સહિત પાંચ આરોપીની ધરપકડ કરાઇ છે. સોનમ અને રાજ બન્ને ગળાડુબ પ્રેમમાં હતા. રાજ સોનમને પત્નીની જેમ રાખતો હતો. હત્યાકાંડને અંજામ આપ્યા બાદ સોનમ માટે રહેવાની વ્યવસ્થા કરી હતી, સાથે જ ઓનલાઇન પાંચ હજાર રૂપિયાનો રાશન સહિતનો સામાન મંગાવ્યો હતો. એવા પણ અહેવાલો છે કે સોનમને રાજે ભાડાના એક મકાનમાં ઇંદોરમાં જ રાખી હતી. મકાન ભાડા પર લેવામાં અન્ય આરોપી વિશાલ ચૌહાણે મદદ કરી હતી. સોનમે આ મકાન માટે માલિકને ૧૬ હજાર રૂપિયા આપ્યા હતા. રાજાની હત્યા કર્યા બાદ સોનમ ઇંદોર આવી ગઇ હતી અને ભાડાના આ મકાનમાં રહેવા લાગી હતી. સોનમ અને રાજ બન્ને પતિ-પત્નીની જેમ જ રહેતા હતા, બન્નેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. જેમાં બન્ને ખુશ દેખાઇ રહ્યા છે. સોનમ હત્યાને અંજામ આપ્યા બાદ ઇંદોર પરત આવી ગઇ હતી, જ્યાં તે ૧૦થી વધુ દિવસ રહી હતી, બાદમાં રાજે તેને ટેક્સીથી ગાઝીપુર મોકલી દીધી હતી જ્યાં તેણે પોલીસ સમક્ષ સરેન્ડર કરી દીધુ હતું. હાલ આ હત્યાકાંડના પાંચેય આરોપીઓ આઠ દિવસના પોલીસ રિમાન્ડ પર છે જે દરમિયાન પૂછપરછમાં નવા ખુલાસા થઇ રહ્યા છે. રાજ સોનમના પિતાની ફેક્ટરીમાં કામ કરતો હતો જ્યાં બન્ને વચ્ચે પ્રેમ થઇ ગયો હતો, જોકે સોનમના પરિવારે તેના લગ્ન રાજા રઘુવંશી સાથે કરાવ્યા હતા, જેની બાદમાં સોનમે રાજ કુશવાહા અને અન્યોની મદદથી હત્યા કરાવી નાખી હતી. 

Tags :