Get The App

ભારતના બંધારણનો વિચાર ૧૯૩૪માં એમ એન રોયે આપ્યો હતો

અંગ્રેજો ૧૯૪૦માં બંધારણીય પાર્લામેન્ટ આપવા તૈયાર થયા હતા.

કોંગ્રેસ સાથે તેમને મતભેદો થતા રેડિકલ ડેમોક્રેટિક પાર્ટીની સ્થાપના કરી હતી

Updated: Nov 26th, 2020

GS TEAM


Google News
Google News
ભારતના બંધારણનો વિચાર ૧૯૩૪માં એમ એન રોયે આપ્યો હતો 1 - image


નવી દિલ્હી, 26, નવેમ્બર,2020, ગુરુવાર 

ભારતના લોકોને પણ પોતાનું બંધારણ હોવું જોઇએ આ વિચાર સ્વાતંત્ર્ય સેનાની એમએન રોયે 1934માં આપ્યો હતો. એ સમયે તેઓ આઝાદી માટે લડી રહેલી કોંગ્રેસ (મહાસભા) સાથે સંકળાયેલા બંધારણનો વિચાર કોંગ્રેસ સમક્ષ રજૂ કર્યો હતો. એ દેશ સમયે આઝાદી માટે મથી રહેલા તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓ અને રાજનેતાઓ બંધારણ હોવું જોઇએ એ  વાત સાથે સંમત હતા.

કોંગ્રેસ બ્રિટિશ સરકાર સામે લાંબા સમયથી માંગણી કરી રહી હોવાથી ૧૯૪૦માં બંધારણીય પાર્લામેન્ટ આપવા અંગ્રેજો તૈયાર થયા હતા. રોય ભારતના રાષ્ટ્રવાદી, સ્વાતંત્રસેનાની અને કોમ્યૂનિસ્ટ પાર્ટીના સ્થાપક હતા. તેઓ સ્વામી વિવેકાનંદ, રામતિર્થ અને સ્વામી દયાનંદથી પણ પ્રભાવિત હતા. રોયે મેકિસકોમાં થયેલી ક્રાંતિમાં પણ ભાગ લીધો હતો. તેમની ગેરહાજરીમાં કાનપુર ષડયંત્રનો કેસ ચલાવવામાં આવ્યો હતો. ૧૯૩૦માં તેઓ ગુપ્તવેશ ધારણ કરીને ભારતમાં રહેતા હતા. મુંબઇ આવીને ડોકટર મહમુદના નામથી રાજકિય પ્રવૃતિઓમાં ભાગ લેતા હતા .૧૯૩૧માં રોયની ધરકપકડ થઇ અને જેલમાં જવું પડયું હતું. કોંગ્રેસ સાથે તેમને મતભેદો થતા રેડિકલ ડેમોક્રેટિક પાર્ટીની સ્થાપના કરી હતી. 

ભારતના બંધારણનો વિચાર ૧૯૩૪માં એમ એન રોયે આપ્યો હતો 2 - image

વિશ્વયુધ્ધ પછી બ્રિટનમાં યોજાયેલા ઇલેકશનમાં લેબર પાર્ટી વિજેતા બની હતી. જયારે ચર્ચિલની રુઢિચૂસ્ત પાર્ટી વિપક્ષમાં બેઠી હતી. આ સમયે  વિન્સટન્ટ ચર્ચિલે નવેમ્બર ૧૯૪૬માં ભારતની બંધારણ સભાની મજાક ઉડાડી હતી. જો કે આ સભામાં હૈદરાબાદના નિઝામે ભાગ લીધો ન હતો. આ ઉપરાંત મુસ્લિમ લીગે પણ સંવિધાનસભાનો બહિષ્કાર કર્યો હતો. કારણ કે તેણે પાકિસ્તાન મેળવવાનું નકકી કરી નાખ્યું હતું. આથી ચર્ચિલે એવો ટોણો માર્યોે હતો કે મુસ્લિમ લીગ વગરની સંવિધાન સભા ચર્ચમાં લગ્ન થતા હોયને છોકરી હાજર ના હોય એની સાથે સરખામણી કરી હતી.

જો કે સંવિધાનસભાના સભ્ય ડોકટર મુખરજીએ સણસણતો જવાબ આપ્યો હતો કે તમે વેપાર કરવા આવ્યા અને મુગલોની ખુશામત કરીને પ્રવેશ મેળવ્યો હતો. તમે દેશના ધન દોલતનું શોષણ કરવા ઇચ્છતા હતા. ગદારી, વિશ્વાસ ઘાત અને બળ પ્રયોગથી દેશમાં શાસન સ્થાપ્યું હતું. કિસ્મત તમારી ફેવરમાં હતી આથી તમે દેશમાં પોતાનો અલગ ચોકો ઉભો કરવામાં સફળ રહયા હતા. (પ્રથમ તસ્વીર -એમ એન રોય -બીજી વિન્સટન્ટ ચર્ચિલ) 

Tags :