India

VIDEO: ‘ચૂપ બેસો... કોણ બેસાડશે મને?’, જુઓ ચાલુ ભાષણમાં કેમ ભડક્યા રાજનાથ સિંહ?

By GS TEAM
9 Dec 20252 mins read
TukuTouch Logo
રાષ્ટ્રગીત 'વંદે માતરમ્'ની 150મી વર્ષગાંઠ પર લોકસભામાં ચાલી રહેલી ચર્ચા દરમિયાન સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને એક વિપક્ષી સભ્ય વચ્ચે ગરમાગરમી થઈ હતી. ભાષણ દરમિયાન અટકાવવામાં આવતા રાજનાથ સિંહે ભારે નારાજગી વ્યક્ત કરી હતી અને વિપક્ષી સભ્યને સખત શબ્દોમાં ઠપકો આપ્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO: ‘ચૂપ બેસો... કોણ બેસાડશે મને?’,  જુઓ ચાલુ ભાષણમાં કેમ ભડક્યા રાજનાથ સિંહ?

Rajnath Singh Angry In Lok Sabha: રાષ્ટ્રગીત 'વંદે માતરમ્'ની 150મી વર્ષગાંઠ પર લોકસભામાં ચાલી રહેલી ચર્ચા દરમિયાન સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને એક વિપક્ષી સભ્ય વચ્ચે ગરમાગરમી થઈ હતી. ભાષણ દરમિયાન અટકાવવામાં આવતા રાજનાથ સિંહે ભારે નારાજગી વ્યક્ત કરી હતી અને વિપક્ષી સભ્યને સખત શબ્દોમાં ઠપકો આપ્યો હતો.

લોકસભામાં ઊંચકાયો અવાજ

સોમવારે (અઠમી ડિસેમ્બર) જ્યારે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સંબોધન કરી રહ્યા હતા, ત્યારે વિપક્ષી સભ્યએ ટિપ્પણી કરીને તેમને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. આનાથી ગુસ્સે ભરાયેલા રાજનાથ સિંહે સભ્યને ઠપકો આપતા કહ્યું કે, 'મને કોણ બેસાડશે, તમે શું વાત કરી રહ્યા છો, ચૂપ બેસો!'

આ ઘટના બાદ તેમણે ગૃહના અધ્યક્ષ ઓમ બિરલાને પણ અપીલ કરી હતી કે 'ગૃહની શિષ્ટાચાર તોડનારા આવા લોકોને રોકવા જોઈએ.'


ગૃહની શિષ્ટાચારનું સન્માન

પોતાની નારાજગી વ્યક્ત કર્યા બાદ રાજનાથ સિંહે ગૃહના શિષ્ટાચાર અંગે વાત કરી. તેમણે કહ્યું, 'સંસદમાં કોઈ પણ બોલી શકે છે, પછી ભલે તે સત્ય હોય કે થોડું પાયાવિહોણું હોય, પરંતુ કોઈ હોબાળો ન થવો જોઈએ. પછીથી, જ્યારે પણ તક મળે, ત્યારે તમે બદલો લઈ શકો છો. આ સંસદની શિષ્ટાચાર છે, અને મેં હંમેશા તેનું સન્માન કર્યું છે. એક સાંસદ તરીકે, મેં ક્યારેય ગૃહની શિષ્ટાચારનું ઉલ્લંઘન કર્યું નથી. કોઈ મારા વિશે આવું કહી શકે નહીં.'

આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં ફરી નવાજૂનીના એંધાણ? 22 ધારાસભ્યો પક્ષપલટો કરશે તેવો દાવો, CMએ આપ્યો જવાબ

કોંગ્રેસ પર તુષ્ટિકરણનો આક્ષેપ

વંદે માતરમ્ ના ઈતિહાસ પર બોલતા સંરક્ષણ મંત્રીએ કોંગ્રેસ પક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આક્ષેપ કર્યો કે, 'વંદે માતરમ્ સાથે થયેલો અન્યાય કોઈ એકલદોકલ ઘટના નહોતી, પરંતુ કોંગ્રેસ પક્ષ દ્વારા અપનાવવામાં આવેલા તુષ્ટિકરણના રાજકારણની શરૂઆત હતી, જેના કારણે દેશના ભાગલા પડ્યાં.'

કોંગ્રેસ પર નિશાન સાધતા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, 'સ્વતંત્ર ભારતમાં રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનને સમાન દરજ્જો મળવો જોઈતો હતો, પરંતુ વંદે માતરમ્ નું વિકૃતીકરણ કરવામાં આવ્યું. જે ભૂમિ (બંગાળ) પર 'વંદે માતરમ્' રચાયું હતું, ત્યાં જ કોંગ્રેસે તેને ખંડિત કરવાનું કામ કર્યું હતું.' નોંધનીય છે કે,  આ ચર્ચાએ લોકસભાના બ્રિફિંગનું વાતાવરણ ગરમીથી ભરી દીધું હતું.