India

‘અભિનેતા વિજયને કહ્યું હતું પણ તેમણે વાત ન માની’ કરૂર નાસભાગ મામલે તમિલનાડુ સરકારનો આક્ષેપ

By GS TEAM
30 Sep 20252 mins read
TukuTouch Logo
તમિલનાડુના કરૂરમાં તમિલગા વેત્રી કઝગમ (TVK) પાર્ટીના નેતા અને અભિનેતા વિજયની રેલી દરમિયાન મચેલી નાસભાગમાં 41 લોકોનાં મોત થતાં રાજ્યનું રાજકારણ ગરમાયું છે. વિજયે આ ઘટના પર દુઃખ વ્યક્ત કરતાં તેમના સમર્થકોની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી છે અને કહ્યું છે કે, ઘટનાનું સત્ય જલદી જ સામે આવશે.

Summarized by AI; it may make mistakes. Check important info

‘અભિનેતા વિજયને કહ્યું હતું પણ તેમણે વાત ન માની’ કરૂર નાસભાગ મામલે તમિલનાડુ સરકારનો આક્ષેપ

Karur Stampede : તમિલનાડુના કરૂરમાં તમિલગા વેત્રી કઝગમ (TVK) પાર્ટીના નેતા અને અભિનેતા વિજયની રેલી દરમિયાન મચેલી નાસભાગમાં 41 લોકોનાં મોત થતાં રાજ્યનું રાજકારણ ગરમાયું છે. વિજયે આ ઘટના પર દુઃખ વ્યક્ત કરતાં તેમના સમર્થકોની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી છે અને કહ્યું છે કે, ઘટનાનું સત્ય જલદી જ સામે આવશે.

હું કોઈપણ કાર્યવાહીનો સામનો કરવી તૈયાર : વિજય

વિજયે ઘટના અંગે બોલનારા રાજકીય પક્ષો પર આક્ષેપ કર્યો છે કે, તેઓ લગભગ પાંચ મહિના સુધી પ્રોપેગન્ડા ટૂર ચલાવતા રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે, તેઓ કોઈપણ કાર્યવાહીનો સામનો કરવા તૈયાર છે. તેમણે મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિનને પડકાર ફેંક્યો કે તેઓ તેમની સાથે કંઈ પણ કરી શકે છે, પરંતુ તેમના પક્ષના સહયોગીઓને હેરાન ન કરે.

પોલીસે કહ્યું પણ આયોજકો માન્યા નહીં

બીજી તરફ, તમિલનાડુ સરકારે અભિનેતા વિજયના આરોપોને ફગાવીને વળતો પ્રહાર કર્યો છે. સરકારે કહ્યું કે, ‘પોલીસે ભારે ભીડને ધ્યાને રાખીને વિજયને કહ્યું હતું કે, તેઓ આયોજન સ્થળથી 50 મીટર પહેલા અટકી જવા કહ્યું હતું, પરંતુ આયોજકોએ વાત ન માની. રેલી માટે 10 હજાર લોકોની ભીડ થવાનો અંદાજ હતો, પરંતુ તે લગભગ બમણી થઈ ગઈ હતી. અભિનેતા વિજયના પાછળ આવતા લોકોના કારણે કુલ ભીડ 25 હજારથી વધુ થઈ ગઈ હતી.’

આ પણ વાંચો : 'મને અસહનીય દુઃખ થઈ રહ્યું છે...' કરુરમાં નાસભાગ અંગે એક્ટર વિજયની પહેલી પ્રતિક્રિયા

સરકારે કેટલાક વીડિયો જાહેર કર્યા

તમિલનાડુ સરકારે ટીવીકેના આક્ષેપોનો જવાબ આપવા માટે કેટલાક વીડિયો જાહેર કર્યા છે. વીડિયોમાં ટીવીકેના કાર્યકર્તાઓ બેરિકેડ્સ હટાવીને ભાગતા દેખાઈ રહ્યા છે. સરકારે એવું પણ કહ્યું છે કે, કરૂરમાં વિજયની રેલી દરમિયાન વીજળી પુરવઠો બંધ કરાયો ન હતો.

ઉલ્લેખનીય છે કે, કરૂરમાં ટીવીકેની રેલીમાં નાસભાગ મચવાના કારણે 41 લોકોના મોત થયા હતા. આ મામલે કોર્ટે ટીવીકેના નેતાઓ મથિયાઝાગન અને એમસી પૌન રાજને 14 ઓક્ટોબર સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યા છે. તેઓ 27 સપ્ટેમ્બરે યોજાયેલી રેલીની વ્યવસ્થામાં સામેલ હતા.

આ પણ વાંચો : 'ઈતિહાસમાં આવું ક્યારેય નથી જોયું..', નાસભાગમાં લોકોની દુર્દશા જોઈ હચમચ્યા CM સ્ટાલિન