India

ચંદ્રનાથ રથ પ્રથમ નહીં પણ અત્યાર સુધી શુભેન્દુ અધિકારીના 4 ખાસ વ્યક્તિઓની થઇ ચૂકી છે હત્યા

By GS TEAM
8 May 20262 mins read
TukuTouch Logo
પશ્ચિમ બંગાળના રાજકારણમાં હાલમાં જ બનેલી એક હચમચાવી દેતી ઘટનાએ ભારે ખળભળાટ મચાવ્યો છે. ભાજપના દિગ્ગજ નેતા અને બંગાળના વર્તમાન રાજકારણના પ્રબળ ચહેરા શુભેન્દુ અધિકારીના પર્સનલ આસિસ્ટન્ટ ચંદ્રનાથ રથની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. ઉત્તર 24 પરગણામાં બનેલી આ ઘટનાને કારણે બંગાળના રાજકારણમાં નવો વળાંક આવ્યો છે. શુભેન્દુ અધિકારીએ આ ઘટનાને સીધી રીતે 'રાજકીય હત્યા' ગણાવી છે, જેના કારણે રાજ્યમાં ભારે વિવાદ ઉભો થયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ચંદ્રનાથ રથ પ્રથમ નહીં પણ અત્યાર સુધી શુભેન્દુ અધિકારીના 4 ખાસ વ્યક્તિઓની થઇ ચૂકી છે હત્યા

Chandranath Rath Murder: પશ્ચિમ બંગાળના રાજકારણમાં હાલમાં જ બનેલી એક હચમચાવી દેતી ઘટનાએ ભારે ખળભળાટ મચાવ્યો છે. ભાજપના દિગ્ગજ નેતા અને બંગાળના વર્તમાન રાજકારણના પ્રબળ ચહેરા શુભેન્દુ અધિકારીના પર્સનલ આસિસ્ટન્ટ ચંદ્રનાથ રથની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. ઉત્તર 24 પરગણામાં બનેલી આ ઘટનાને કારણે બંગાળના રાજકારણમાં નવો વળાંક આવ્યો છે. શુભેન્દુ અધિકારીએ આ ઘટનાને સીધી રીતે 'રાજકીય હત્યા' ગણાવી છે, જેના કારણે રાજ્યમાં ભારે વિવાદ ઉભો થયો છે.

કેવી રીતે બની આ હિંસક ઘટના?

પ્રત્યક્ષદર્શીઓ અને પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, રાત્રે લગભગ 10:30 વાગ્યે મધ્યમગ્રામના ડોલતલા વિસ્તારમાં આ લોહીયાળ ખેલ ખેલાયો હતો. હુમલાખોરોએ પૂર્વ આયોજિત વ્યૂહનીતિ મુજબ એક કાર દ્વારા રસ્તો રોકી લીધો હતો, જેના કારણે ચંદ્રનાથ રથની કાર ધીમી પડી હતી. આ તકનો લાભ ઉઠાવીને બાઈક પર આવેલા હુમલાખોરોએ કારની બારીમાંથી અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં રથને ત્રણ ગોળીઓ વાગતા તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

શુભેન્દુના સાથીઓ સાથેનો ચોથો બનાવ

આ કોઈ પહેલીવાર નથી કે જ્યારે શુભેન્દુ અધિકારીના કોઈ નજીકના સાથીનું રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયું હોય. છેલ્લા એક દાયકામાં આ ચોથી એવી ઘટના છે જેણે અનેક પ્રશ્નો ઉભા કર્યા છે.

વર્ષ 2013: શુભેન્દુ અધિકારી જ્યારે તૃણમૂલ કોંગ્રેસમાં હતા ત્યારે તેમના તત્કાલીન PA પ્રદીપ ઝાનું પૂર્વ મેદિનીપુરમાં શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું હતું.

વર્ષ 2018: સુરક્ષા અધિકારી શુભવ્રત ચક્રવર્તી પોલીસ બેરેકમાં મૃત મળી આવ્યા હતા, જેને પોલીસે ત્યારે આત્મહત્યા ગણાવી હતી.

વર્ષ 2021: અન્ય એક સહયોગી પુલક લાહિડીનું પણ અસ્વાભાવિક સંજોગોમાં મોત થયું હતું.

વર્ષ 2026: હવે ચંદ્રનાથ રથની જાહેરમાં હત્યા કરવામાં આવી છે.

આ પણ વાંચો: તમિલનાડુમાં એક સાંધો ત્યાં તેર તૂટે તેવો ઘાટ

રાજકીય આક્ષેપબાજી અને તપાસની માંગ

આ હત્યાકાંડ બાદ બંગાળમાં ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ (TMC) સામસામે આવી ગયા છે. ભાજપે આક્ષેપ કર્યો છે કે શુભેન્દુ અધિકારીને રાજકીય રીતે ઘેરવા માટે તેમના નજીકના લોકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. ભાજપે આ મામલે કેન્દ્રીય એજન્સી દ્વારા નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી છે. બીજી તરફ, મમતા બેનરજીની આગેવાની હેઠળની TMC સરકારે આ આરોપોને ફગાવતા કહ્યું છે કે વિપક્ષ આ દુ:ખદ ઘટનાનું રાજકીય હિત સાધવાનો પ્રયાસ કરી રહ્યો છે.

બંગાળના રાજકારણ પર અસર

શુભેન્દુ અધિકારીએ ભૂતકાળમાં ચૂંટણીના મેદાનમાં મમતા બેનરજીને પરાજય આપ્યો છે, તેથી તેઓ બંગાળની સત્તા માટે મહત્ત્વનો ચહેરો છે. તેમના સ્ટાફની વારંવાર થઈ રહેલી હત્યાઓ અને શંકાસ્પદ મોત રાજ્યની કાયદો અને વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા કરે છે. આ ઘટના આગામી સમયમાં પશ્ચિમ બંગાળના રાજકીય સમીકરણોને બદલી શકે છે અને ડિજિટલ મીડિયામાં પણ આ મુદ્દે ભારે ચર્ચા જાગી છે. હાલમાં પોલીસ આ મામલે ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે.