India

જજો કોર્ટમાં ઓછું બોલે, પ્રવચન ના આપે, જૂતાકાંડ મામલે ખુદ CJI જવાબદાર : પૂર્વ જજ માર્કંડેય કાત્જુ

By GS TEAM
9 Oct 20253 mins read
TukuTouch Logo
સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ માર્કંડેય કાત્જુએ જૂતા ફેંકવાની ઘટના માટે ભારતના ચીફ જસ્ટિસ બીઆર ગવઈને જ જવાબદાર ઠેરવ્યા છે. તેમણે કહ્યું કે, જજોએ કોર્ટમાં ઓછું બોલવું જોઈએ અને પ્રવચન ન આપવા જોઈએ. 72 વર્ષીય વકીલ રાકેશ કિશોરે કોર્ટમાં જ ચીફ જસ્ટિસ ગવઈ પર જૂતા ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. કિશોરે દાવો કર્યો હતો કે, CJI દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીથી હું દુ:ખી હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

જજો કોર્ટમાં ઓછું બોલે, પ્રવચન ના આપે, જૂતાકાંડ મામલે ખુદ CJI જવાબદાર : પૂર્વ જજ માર્કંડેય કાત્જુ

Supreme court's former judge Markandey Katju On CJI BR Gavai : સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ માર્કંડેય કાત્જુએ જૂતા ફેંકવાની ઘટના માટે ભારતના ચીફ જસ્ટિસ બીઆર ગવઈને જ જવાબદાર ઠેરવ્યા છે. તેમણે કહ્યું કે, જજોએ કોર્ટમાં ઓછું બોલવું જોઈએ અને પ્રવચન ન આપવા જોઈએ. 72 વર્ષીય વકીલ રાકેશ કિશોરે કોર્ટમાં જ ચીફ જસ્ટિસ ગવઈ પર જૂતા ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. કિશોરે દાવો કર્યો હતો કે, CJI  દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીથી હું દુ:ખી હતો.

જજો કોર્ટમાં ઓછું બોલે, પ્રવચન ના આપે

પૂર્વ જજ કાત્જુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, 'હું CJI પર જૂતા ફેંકવાની ઘટનાની નિંદા કરું છું, પરંતુ તેમણે ખજુરાહોમાં ભગવાન વિષ્ણુની પ્રતિમા સાથે સંબંધિત અરજીની સુનાવણી કરતી વખતે તેમણે પોતે જ આ ઘટનાને આમંત્રણ આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, 'તમે કહો છો કે તમે વિષ્ણુના મોટા ભક્ત છો. તો જાઓ અને તમારા દેવતાને કહો કે, તમે ખુદ જ કંઈક કરો. જાઓ અને પ્રાર્થના કરો.'



પૂર્વ જજે આગળ લખ્યું કે, 'આ પ્રકારની ટિપ્પણી અયોગ્ય અને બિનજરૂરી હતી. તેનું કેસના કાનૂની મુદ્દાઓ સાથે કોઈ લેવાદેવા નહોતું. જજોએ કોર્ટમાં ઓછું બોલવું જોઈએ, પ્રવચન, ઉપદેશ કે વ્યાખ્યાન ન આપવા જોઈએ નહીં.'

વકીલ રાકેશ કિશોરે CJI પર કર્યા હતા આક્ષેપ

71 વર્ષીય વકીલે મીડિયા સાથે વાતચીતમાં માફી માગવાનો ઇન્કાર કરતાં જણાવ્યું હતું કે, લાખો કેસ પેન્ડિંગ છે. હું માફી માગવાનો નથી, મને આ વાતનો જરાય પસ્તાવો નથી. મેં કંઈ જ ખોટું કર્યું નથી. તમને સવાલ કરી રહ્યો છે, પરંતુ વાસ્તવમાં આ સર્વશક્તિમાને જ મને આમ કરવા મજબૂર કર્યો. તેમણે શા માટે મૂર્તિની મજાક કરી. તેમની આ મજાકથી મારી લાગણી દુભાઈ છે.

આ પણ વાંચો: 'મૂર્તિની મજાક કરવાની શું જરૂર હતી?', CJI પર હુમલાનો પ્રયાસ કરનારા વકીલને કોઈ પસ્તાવો નથી

ચીફ જસ્ટિસની કોર્ટમાં કોઈ એક PIL પર ગવઈ સાહેબે મજાક ઉડાવતાં મને ખૂબ જ આઘાત લાગ્યો હતો. CJIએ વિચારવું જોઈએ કે, તેઓ બંધારણના સર્વોચ્ચ પદ પર બેઠા છે. તેમણે 'મીલોર્ડ'નો અર્થ સમજવો જોઈએ અને તેનું માન જાળવવું જોઈએ. તમે મોરિશિયસ જાઓ અને કહો કે, દેશ બુલડોઝર સાથે નહીં ચાલે. હું CJIને પૂછવા માગું છું કે, સરકારની સંપત્તિ પર કબજો કરનારાઓ વિરુજદ્ધ યોગીજીનું બુલડોઝર ચાલે તેમાં ખોટું શું છે? મને ખૂબ આઘાત લાગ્યો છે.

બેંગલુરુમાં FIR નોંધાઈ

બેંગલુરુ પોલીસે કિશોર વિરુદ્ધ FIR નોંધી છે. અધિકારીઓએ જણાવ્યું કે ઓલ ઈન્ડિયા એડવોકેટ્સ એસોસિએશનના અધ્યક્ષ ભક્તવચલાની ફરિયાદ બાદ રાકેશ કિશોર વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (BNS) ની કલમ 132 (લોક સેવકને તેમની ફરજ બજાવતા અટકાવવા માટે હુમલો અથવા ગુનાહિત બળ) અને 133 (ગંભીર ઉશ્કેરણી ઉપરાંત અન્ય કારણોથી કોઈ વ્યક્તિનું અપમાન કરવાના ઈરાદાથી હુમલો અથવા ગુનાહિત બળનો પ્રયોગ) હેઠળ FIR દાખલ કરવામાં આવી છે.