mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

નવા સંસદ ભવનના ઉદઘાટન અંગેની અરજી ફગાવતા સુપ્રીમકોર્ટે કહ્યું - આ અમારું કામ નથી

આ પીઆઈએલ સુપ્રીમ કોર્ટના વકીલ સીઆર જયા સુકિને દાખલ કરી હતી

અરજીમાં ઉલ્લેખ કર્યો કે, સમારોહમાં રાષ્ટ્રપતિને સામેલ ન કરીને સરકારે ભારતીય બંધારણનું ઉલ્લંઘન કર્યું

Updated: May 26th, 2023

નવા સંસદ ભવનના ઉદઘાટન અંગેની અરજી ફગાવતા સુપ્રીમકોર્ટે કહ્યું - આ અમારું કામ નથી 1 - image


નવા સંસદ ભવનને લઈને સરકાર અને વિપક્ષ વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી શબ્દ યુદ્ધ ચાલી રહ્યું છે. વિપક્ષ પીએમ મોદી દ્વારા સંસદભવનના ઉદ્ઘાટનનો વિરોધ કરી રહ્યો છે અને ઘણી પાર્ટીઓએ આ કાર્યક્રમનો બહિષ્કાર કરવાની વાત કરી છે. દરમિયાન આ મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે, જેની સુનાવણી દરમિયાન આજે સુપ્રીમ કોર્ટે જાહેર હિતની આ અરજીને ફગાવી દીધી હતી.

સુપ્રીમ કોર્ટે અરજી  ફગાવતા ઠપકો આપ્યો 

સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી દેતા અરજદારને ઠપકો પણ આપ્યો છે. કોર્ટે કહ્યું, અમને ખબર છે કે આ અરજી શા માટે દાખલ કરવામાં આવી છે? આભારી બનો કે અમે તમને દંડ કરતા નથી.

સુપ્રીમ કોર્ટના વકીલે કરી હતી જાહેર હિતની અરજી  

આ પીઆઈએલ સુપ્રીમ કોર્ટના વકીલ સીઆર જયા સુકિને દાખલ કરી હતી. તેમણે અરજીમાં કહ્યું હતું કે, ઉદ્ઘાટન સમારોહમાં રાષ્ટ્રપતિને સામેલ ન કરીને ભારત સરકારે ભારતીય બંધારણનું ઉલ્લંઘન કર્યું છે. આમ કરવાથી બંધારણનું સન્માન થતું નથી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે સંસદ એ ભારતની સર્વોચ્ચ વિધાયક સંસ્થા છે. ભારતીય સંસદમાં રાષ્ટ્રપતિ અને બે ગૃહો રાજ્યસભા અને લોકોનું ગૃહ, લોકસભાનો સમાવેશ થાય છે. રાષ્ટ્રપતિ પાસે કોઈપણ ગૃહને બોલાવવાની અને રદ કરવાની સત્તા છે. આ સાથે, રાષ્ટ્રપતિ પાસે સંસદ અથવા લોકસભાને ભંગ કરવાની સત્તા પણ છે.

Gujarat