Get The App

ઓનલાઈન કંપનીઓ લોકડાઉનમાં બીન જરુરી વસ્તુઓ નહી વેચી શકે, સરકારની સ્પષ્ટતા

Updated: Apr 19th, 2020

GS TEAM

Google News
Google News
ઓનલાઈન કંપનીઓ લોકડાઉનમાં બીન જરુરી વસ્તુઓ નહી વેચી શકે, સરકારની સ્પષ્ટતા 1 - image

નવી દિલ્હી, તા.19 એપ્રિલ 2020, રવિવાર

લોકડાઉન વચ્ચે હાલમાં ઈકોનોમી સુસ્ત છે. કારણકે આવશ્યક સેવા સીવાયના રોજગાર-ધંધા ઠપ છે. આ સંજોગોમાં સરકારે કહ્યુ છે કે, લોકડાઉન દરમિયાન બીન જરુરી સામાનની ઓનલાઈન ડિલિવરી નહી થાય.

ઓનલાઈન કંપનીઓ લોકડાઉનમાં બીન જરુરી વસ્તુઓ નહી વેચી શકે, સરકારની સ્પષ્ટતા 2 - imageલોકડાઉન લાગુ કરાયુ ત્યારે સરકારે જરુરી વસ્તુઓનો સપ્લાય ચાલુ રાખવની વાત કરી હતી. લોકડાઉનમાં અનાજ કરિયાણા, શાકભાજી અને મેડિકલની દુકાનો ખુલ્લી રાખવાની છુટ અપાઈ છે. તો સાથે સાથે ઈ કોમર્સ કંપનીઓને લોકડાઉન દરમિયાન બીન જરુરી સામાન  સપ્લાય નહી કરવાનો આદેશ અપાયો છે.

ઓનલાઈન કંપનીઓ લોકડાઉનમાં બીન જરુરી વસ્તુઓ નહી વેચી શકે, સરકારની સ્પષ્ટતા 3 - imageસરકારે તાજેતરમાં નવી ગાઈડલાઈનમાં ઈ કોમર્સ કંપનીઓને બીજી વસ્તુઓ વેચવા માટે થોડી છૂટ આપી હતી. જોકે લોકડાઉન દરમિયાન તેની ડિલિવરી નહી કરી શકાય. નાના વેપારીઓ સરકારના આ નિર્ણયથી નારાજ હોવાનુ મનાય છે અને તેના કારણે જ સરકારે આ સ્પષ્ટતા કરી હોવાનુ લાગી રહ્યુ છે.

Tags :