કેન્દ્ર સરકારે કર્યો સુકન્યા સમૃદ્ધિ યોજનાના નિયમમાં ફેરફાર, નાણાં મંત્રીએ આપી માહિતી
નાણા મંત્રાલયે આ બાબતે એક નોટીફિકેશન જાહેર કરી જાણકારી આપી છે
![]() |
Image Twitter |
સુકન્યા સમૃદ્ધિ યોજનામાં જો તમારી દિકરીનું એકાઉન્ટ ખોલાવેલ હોય તો આ તમારા માટે મહત્વના સમાચાર છે. કેન્દ્ર સરકાર દ્વારા હવે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેની અસર ખાતાધારકો પર પડશે. આ યોજનાની શરુઆત મોદી સરકારે વર્ષ 2015માં કરી હતી. આ યોજનામાં ખાતુ ખોલાવી તમે તમારી દિકરી માટે મોટુ આર્થિક ભંડોળ ઊભુ કરી શકો છો. અને તેના પૈસાથી તમારી દિકરી માટે ઉચ્ચશિક્ષણ માટે અથવા તો તેના લગ્ન માટે ઉપયોગ કરી શકો છો. હવે કેન્દ્ર સરકારે આ યોજનામાં કેટલોક ફેરફાર કર્યો છે.
નિયમોમાં સરકારે કર્યો ફેરફાર
નાણા મંત્રાલયે આ બાબતે એક નોટીફિકેશન જાહેર કરી જાણકારી આપી છે. નિર્મલા સિતારમણે નવા નિયયો વિશે જાણકારી આપતા કહ્યુ હતું કે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં જેવી સ્કીમ પોષ્ટમાં શરુ કરાવતી વખતે તમારે પાનકાર્ડ અથવા ફોર્મ 60 જમા કરવું પડશે. જો તમે તે વખતે પાન કાર્ડ જમા નથી કરાવી શકતા તો સ્પેશિયલ કેસમાં 2 મહિનાની અંદર જમા કરાવી લેવાનું રહેશે.
6 મહિનામાં જમા કરાવાનું રહેશે આધાર કાર્ડ
આ ઉપરાંત સરકારે એ પણ વાત કરી હતી કે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ખાતુ ખોલાવાની તારીખથી 6 મહિનાની અંદર તમારે આધારકાર્ડ જમા કરાવવાનું રહેશે.પહેલા આ યોજનામાં આધાર કાર્ડ વગર ખાતુ ખોલાવી શકાતુ હતુ. જે હવે તેમા ફેરફાર કરવામાં આવ્યો છે.