Get The App

ખેતરમાં પરાળી સળગાવનાર ખેડૂતો પર સેટેલાઈટથી કૃષિ વિભાગની નજર

18 ખેડૂતોને પરાળીને આડેધડ સળગાવવા માટે ફટકારવામાં આવી નોટિસ

Updated: Nov 24th, 2022

GS TEAM


Google News
Google News

લખનૌ,તા.24 નવેમ્બર-2022, ગુરુવાર

ઉત્તર પ્રદેશનાં દેવરિયામાં  આ દિવસોમાં કૃષિ વિભાગ અને ખેડૂતો વચ્ચે સંતાકૂકડીનો એક જ પ્રકારનો ખેલ ચાલી રહ્યો છે. દેવરિયા જિલ્લો કેબિનેટ કૃષિ પ્રધાન સૂર્ય પ્રતાપ શાહીનો હોમ જિલ્લો છે અને અહીં મોટા પાયે પરાળી બાળવામાં આવે છે. જો કે ખેતીવાડી વિભાગે પરાળી સળગાવનારા ખેડૂતોની પાછળ સેટેલાઇટ જેવા જાસૂસ લગાવ્યા છે અને જેવો ખેડૂત પોતાના ખેતરમાં પરાળી સળગાવે કે તરત જ કૃષિ વિભાગને સેટેલાઇટ દ્વારા જાણ કરવામાં આવે છે.

આ પછી, કૃષિ વિભાગના કર્મચારીઓ અને મહેસૂલ વિભાગના કર્મચારીઓ સ્થળ પર જઈને ખેડૂતોને સમજાવે છે અને તેમને નોટિસ આપે છે. દેવરિયા જિલ્લામાં અત્યાર સુધીમાં 18 ખેડૂતોને સેટેલાઇટના માધ્યમથી દંડની નોટિસ આપવામાં આવી છે, જ્યારે 15 ખેડૂતોને કિસાન સન્માન નિધિ રોકવા માટે નોટિસ આપવામાં આવી છે.

ખેતીવાડી વિભાગના નાયબ નિયામક વિકેશ પટેલે જણાવ્યું હતું કે, જિલ્લામાં જ્યાં-જ્યાં પરાળી બાળવામાં આવી રહી છે ત્યાં સેટેલાઇટ દ્વારા માહિતી પ્રાપ્ત થાય છે અને સ્થળ પર જઇને ખેડૂતોમાં જાગૃતિ અભિયાન ચલાવવામાં આવે છે. આ સાથે પરાળી ખરીદવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં પણ પરાળી સળગાવવામાં આવી રહી છે ત્યાં અમુક વિભાગના અધિકારીઓ ઝડપી કાર્યવાહી કરી રહ્યા છે જેના અંતર્ગત જિલ્લામાં અત્યાર સુધીમાં 18 ખેડૂતોને પરાળી સળગાવવા બદલ દંડની નોટિસ ફટકારવામાં આવી છે, જ્યારે 15 ખેડૂતોની કિસાન સન્માન નિધિ બંધ કરવામાં આવી છે.

Tags :