Get The App

રખડતા કૂતરાના કરડવાથી મોત થાય તો જવાબદાર કોણ? જાણો શું છે સજાની જોગવાઈ

તાજેતરમાં ભારતમાં, વાઘ-બકરી ચાગ્રુપના માલિકનું રખડતા કૂતરાના કરડવાથી મૃત્યુ થયું હતુ

આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે આ માટે જવાબદાર કોણ? કાયદો શું કહે છે?

Updated: Oct 26th, 2023

GS TEAM


Google News
Google News
રખડતા કૂતરાના કરડવાથી મોત થાય તો જવાબદાર કોણ? જાણો શું છે સજાની જોગવાઈ 1 - image


Street Dog Attack: વાઘ-બકરી ચાના એક્ઝીક્યુટીવ ડીરેક્ટર પરાગ દેસાઈનું રવિવારે મૃત્યુ થયું હતું. તેઓ અમદાવાદમાં તેમના ઘરની બહાર તેના પર હુમલો કરનારા શેરીના રખડતા કૂતરાઓને બચાવવાનો પ્રયાસ કરતી વખતે તે ઘાયલ થયા હતા. જેના કારણે પડી જતાં માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી અને રવિવારે બ્રેઈન હેમરેજને કારણે અમદાવાદની હોસ્પિટલમાં તેમનું મૃત્યુ થયું હતું. આવું પહેલીવાર નથી થયું કે  જ્યારે રખડતા કૂતરા બાળકો અને વરિષ્ઠ નાગરિકો જેવા સંવેદનશીલ લોકોને કરડ્યા હોય અથવા તો તેમના મૃત્યુનું કારણ બન્યા હોય. તાજેતરના વર્ષોમાં, પાલતુ પ્રાણીઓએ માણસો પર હુમલો કરવાની આવી ઘણી ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે.

રખડતા કૂતરાની વસ્તી અને કૂતરા કરડવાના કિસ્સા?

રિપોર્ટ અનુસાર, દેશમાં 1 કરોડથી વધુ પાલતુ કૂતરાઓ છે, જ્યારે રખડતા કૂતરાઓની સંખ્યા લગભગ 3.5 કરોડ છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના ડેટા મુજબ 2019માં દેશમાં કૂતરા કરડવાના 4146 કેસ નોંધાયા હતા, જેના પરિણામે લોકોના મૃત્યુ થયા હતા. એક ડેટા દર્શાવે છે કે 2019 થી, દેશમાં કૂતરા કરડવાના 1.5 કરોડથી વધુ કેસ જોવા મળ્યા છે. ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ 27.52 લાખ કેસ નોંધાયા છે, ત્યારબાદ તમિલનાડુમાં 20.7 લાખ અને મહારાષ્ટ્રમાં 15.75 લાખ છે.

પાલતું પ્રાણીઓ માટે કાયદો શું કહે છે?

કાયદા મુજબ, શેરીઓમાંથી કૂતરાઓને હટાવવું ગેરકાયદેસર છે અને કૂતરાઓને ભગાડી શકાતા નથી. તેથી એકવાર કૂતરો શેરીઓમાં આવી જાય, જ્યાં સુધી તેને દત્તક લેવામાં ન આવે ત્યાં સુધી તેને ત્યાં રહેવાનો અધિકાર છે. ભારતમાં 2001થી કૂતરાને મારવા પર પણ પ્રતિબંધ છે. ભારતની સર્વોચ્ચ અદાલતે 2008 માં મુંબઈ હાઈકોર્ટના નિર્ણયને સ્થગિત કર્યો હતો જેમાં નગરપાલિકાઓને "ઉપદ્રવી" કૂતરાઓને મારવાની મંજૂરી આપવામાં આવી હતી.

ભારતીય બંધારણના આર્ટિકલ 51A(G) મુજબ વન્યજીવોનું રક્ષણ કરવું અને તમામ જીવો પ્રત્યે કરુણા રાખવી એ ભારતના દરેક નાગરિકની મૂળભૂત ફરજ છે. રખડતા કૂતરાઓને ખવડાવવું કોઈપણ સમાજની અંદર અને બહાર કાયદેસર છે. સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે દિલ્હી હાઈકોર્ટના અગાઉના આદેશને સમર્થન આપ્યું હતું, જેણે રહેવાસીઓને તેમના રહેણાંક વિસ્તારોમાં રખડતા કૂતરાઓને ખવડાવવાની મંજૂરી આપી હતી.

કૂતરા કરડવાની ફરિયાદ ક્યાં કરી શકાય છે?

1. જો કોઈ કૂતરું કરડે તો સંબંધિત પોલીસ સ્ટેશન, કોર્પોરેશન અથવા સ્થાનિક સંસ્થાને ફરિયાદ કરી શકાય છે

2. જો પાડોશીને કોઈ સમસ્યા હોય તો તે પશુપાલન વિભાગ અને નિગમને ફરિયાદ કરી શકાય છે 

3. પશુપાલન વિભાગ અથવા કોર્પોરેટ સ્તરે પ્રાણીઓની નસબંધી જરૂરી છે

કૂતરા કરડવા પર હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે કયા નિયમો બનાવ્યા છે-

1. 9 સપ્ટેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટે કહ્યું કે જે લોકો રખડતા કૂતરાઓને ખવડાવે છે તેમને રસીકરણ માટે જવાબદાર બનાવી શકાય છે.

2. 2016માં સુપ્રીમ કોર્ટ દ્વારા રચવામાં આવેલ શ્રી જગન કમિશનને પણ કૂતરાના હુમલાનો ભોગ બનેલા લોકોને વળતર વિતરણ અંગેનો અહેવાલ રજૂ કરવા માટે કહેવામાં આવ્યું છે

જાણો કાયદો શું કહે છે...

1. IPCની કલમ 289 હેઠળ, માલિક પાળતુ પ્રાણીની હરકતો માટે જવાબદાર છે

2. કલમ હેઠળ, સજા એક હજાર રૂપિયા સુધીનો દંડ અથવા છ મહિનાની જેલ અથવા બંને થઈ શકે છે

3. જો કે, વળતર માટે કોઈ જોગવાઈ નથી

4. જો કૂતરું કરડે અને નુકસાન પહોંચાડે તો તેને મારી ન શકાય

5. જો કૂતરાને મારી નાખવામાં આવે તો, પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ એક્ટની કલમ 11 (3) હેઠળ કાર્યવાહી શક્ય છે

6. કલમ હેઠળ, સમાજ લોકોને કૂતરા પાળવાથી રોકી શકે નહીં

7. પાલતુ કૂતરાના કરડવાથી મૃત્યુના કિસ્સામાં કૂતરાના માલિક સામે કેસ દાખલ કરી શકાય છે

હડકવાની બીમારીથી , ભારતમાં સૌથી વધુ મોત 

એ સમજવું પણ જરૂરી છે કે માત્ર કૂતરાનું કરડવું જ એક સમસ્યા નથી પરંતુ રખડતા કૂતરાની વેક્સીનેશન પણ કરવામાં આવતી નથી. જેથી તે કરડતા હડકવા થઇ શકે છે. ચોંકાવનારી બાબત તો એ છે કે પૂરી દુનિયામાં હડકવાના કારણે થતા મૃત્યુના 36 ટકા તો એકલા ભારતમાં જ થાય છે. દર વર્ષે ભારતમાં 20 હજાર લોકો ભારતમાં હડકવાના કારણે મૃત્યુ પામે છે. 

રખડતા કૂતરાના કરડવાથી મોત થાય તો જવાબદાર કોણ? જાણો શું છે સજાની જોગવાઈ 2 - image

Tags :