Get The App

ભારતની રાષ્ટ્રભાષા કઈ? સ્પેનમાં પૂછાયો સવાલ, વિપક્ષના મહિલા નેતાના જવાબ દિલ જીતી લીધા

Updated: Jun 3rd, 2025

GS TEAM


Google News
Google News
ભારતની રાષ્ટ્રભાષા કઈ? સ્પેનમાં પૂછાયો સવાલ, વિપક્ષના મહિલા નેતાના જવાબ દિલ જીતી લીધા 1 - image


DMK MP Kanimozhi Karunanidhi in Spain: ભારતના ઑલ પાર્ટી ડેલિગેશનની આગેવાની કરી રહેલા DMK સાંસદ કનિમોઝીએ સોમવારે (2 જૂન) સ્પેનમાં કહ્યું કે, ભારતની રાષ્ટ્રીય ભાષા એકતા અને વિવિધતા છે. આ જ સંદેશ અમે દુનિયાને આપવામાં આવ્યા છીએ. 

ભારતની રાષ્ટ્ર ભાષા કઈ છે?

સ્પેનમાં ભારતીય ડેલિગેશનને પૂછવામાં આવ્યું હતું કે, ભારતની રાષ્ટ્ર ભાષા શું છે? જેના જવાબમાં કનિમોઝીએ કહ્યું કે, 'ભારતની રાષ્ટ્ર ભાષા એકતા અને વિવિધતા છે. આ જ જરૂરી સંદેશ છે જે આજે દુનિયા સુધી પહોંચાડવો જોઈએ.'


આ પણ વાંચોઃ ભવનાઓને ઠેસ પહોંચાડવાનો અધિકાર નથી, ભલે કમલ હાસન જ કેમ ના હોય: હાઈકોર્ટે લગાવી ફટકાર

કનિમોઝીનું આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે, જ્યારે હાલમાં જ DMK કેન્દ્ર સરકારની નવી રાષ્ટ્રીય શિક્ષા નીતિ 2020માં સામેલ ત્રણ ભાષા ફોર્મ્યુલાનો વિરોધ કરી ચૂક્યા છે. 

સ્પેનના વિદેશ મંત્રી સાથે મુલાકાત

સ્પેનમાં કનિમોઝીના નેતૃત્વમાં ભારતનું 'ગ્રૂપ-6' ડેલિગેશને સ્પેનના વિદેશ મંત્રી જોસે મેન્યુઅલ અલ્બારેસ સાથે મુલાકાત કરી હતી. સ્પેનમાં ભારતીય દૂતાવાસે જાણકારી આપી કે, આ મુલાકાતમાં ભારતીય ડેલિગેશને આતંકવાદ સામે ભારતની લડાઈ અને 22 એપ્રિલે પહલગામમાં થયેલા આતંકી હુમાલા પર ભારતની સ્થિતિની જાણકારી આપી હતી. 

વિદેશ મંત્રી અલ્બારેસે કહ્યું કે, સ્પેન ભારતવની આતંકવાદ વિરોધી લડાઈમાં સંપૂર્ણ રીતે તેમની સાથે ઊભું છે. આતંકવાદ ક્યારેય જીતી નહીં શકે અને દુનિયામાં શાંતિ સૌથી જરૂરી છે. 

આતંકવાદ પીડિતો માટેના સંગઠન સાથે મુલાકાત

ડેલિગેશને સ્પેનમાં 'ઍસોસિએશન ઑફ વિક્ટિમ્સ ઑફ ટેરરિઝમ' નામની સંસ્થા સાથે પણ મુલાકાત કરી હતી. આ સંસ્થા દુનિયાભરમાં આતંકવાદથી પીડિત 4 હજારથી વધુ લોકો સાથે કામ કરે છે અને તેમને માનસિક અને સામાજિક મદદ આપે છે. આ વાતચીતમાં ભારત અને સ્પેન બંને દેશોએ પોતપોતાના અનુભવ શેર કર્યા અને આવા પીડિતોની મદદ માટે અપનાવવામાં આવી રહેલી રીત પર ચર્ચા કરી. ડેલિગેશને ભારતમાં સીમા પાર આતંકવાદનો સામનો કરવાના પોતાના અનુભવ શેર કર્યા. 

આ પણ વાંચોઃ ભારત કહે છે તેના કરતાં ઘણો મોટો હુમલો હતો, 20 નહીં 28 સ્થળે નુકસાન: પાકિસ્તાનની કબૂલાત

કેન્દ્ર સરકાર અને તમિલનાડુ સરકાર વચ્ચે ભાષા વિવાદ

કેન્દ્ર સરકાર અને તમિલનાડુ સરકારની વચ્ચે ટ્રાઇ લેંગ્વેજ પોલિસીને લઈને વિવાદ ચાલી રહ્યો છે. ન્યૂ એજ્યુકેશન પોલિસી 2020 હેઠળ ભલામણ કરવામાં આવી હતી કે, વિદ્યાર્થીઓ 3 ભાષાઓ શીખી શકે, પરંતુ કોઈ ભાષાને ફરજિયાત કરવામાં નથી આવી. રાજ્ય અને સ્કૂલને નક્કી કરવાની આઝાદી છે કે, તે કઈ ત્રણ ભાષાઓ ભણાવવા ઇચ્છે છે. જોકે, તમિલનાડુ સરકાર હિન્દી ભાષાનો વિરોધ કરી રહી છે. 

તમિલનાડુમાં કેવી રીતે શરુ થયો આ ભાષા વિવાદ? 

15 ફેબ્રુઆરીઃ ધર્મેન્દ્ર પ્રધાને વારાણસીના એક કાર્યક્રમમાં તમિલનાડુ સરકાર પર રાજકીય હિતોને સાધવાનો આરોપ લગાવ્યો.

18 ફેબ્રુઆરીઃ ઉદયનીધિએ કહ્યું- કેન્દ્ર ભાષા યુદ્ધ શરુ ન કરે.

ચેન્નઈમાં DMKની રેલીમાં નાયબ મુખ્યમંત્રી ઉદયનીધિ સ્ટાલિને કહ્યું કે, ધર્મેન્દ્ર પ્રધાને ખુલ્લેઆમ ધમકી આપી છે કે, ફંડ ત્યારે જ આપવામાં આવશે, જ્યારે અમે ટ્રાઇ લેંગ્વેજ ફોર્મ્યુલાનો સ્વીકાર કરીશું, પરંતુ અમે તમારી સામે ભીખ નહીં માંગીએ. જે રાજ્ય હિન્દી સ્વીકાર કરે છે, તે પોતાની માતૃભાષા ગુમાવી દે છે. કેન્દ્ર ભાષા યુદ્ધ શરુ ન કરે.

23 ફેબ્રુઆરીઃ શિક્ષણ મંત્રી સ્ટાલિને લખ્યો પત્ર

ટ્રાઇ લેંગ્વેજ વિવાદ પર કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે સ્ટાલિનને પત્ર લખ્યો. તેમણે નેશનલ એજ્યુકેશન પોલિસી (NEP)ના વિરોધની ટીકા કરી. કોઈપણ ભાષાને થોપવાનો પ્રશ્ન નથી, પરંતુ વિદેશી ભાષાઓ પર વધુ નિર્ભરતા ખુદની ભાષાને સીમિત કરે છે. NEP તેને ઠીક કરવાનો પ્રયાસ કરી રહી છે.'

25 ફેબ્રુઆરીઃ સ્ટાલિને કહ્યું- અમે ભાષા યુદ્ધ માટે તૈયાર છીએ. કેન્દ્ર અમારી ઉપર હિન્દી ન થોપે. જો જરૂર પડી તો રાજ્ય એક ભાષા યુદ્ધ માટે તૈયાર છે. 

Tags :