પંજાબમાં 4 લાખ ફોલોઅર ધરાવતી મહિલા ઈન્ફ્લુએન્સરનું રહસ્યમય મોત, કારમાંથી લાશ મળી
Image Source: Twitter
Social Media Indluencer Kamal Kaur Found Dead In Car At Bathinda: પંજાબના બઠિંડામાંથી એ સનસનીખેજ મામલો સામે આવ્યો છે. અહીં આદેશ મેડિકલ સુનિવર્સિટીના પાર્કિંગમાં એક કારમાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. મૃતક મહિલા લુધિયાણાની રહેવાસી છે. તે સોશિયલ મીડિયા પર પોતાના વિવાદાસ્પદ નિવોદનો અને ગતિવિધિઓને લઈને ચર્ચામાં રહી છે. હવે પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. આજે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.
મહિલા ઈન્ફ્લુએન્સરનું રહસ્યમય મોત
પ્રાપ્ત માહિતી પ્રમાણે બઠિંડાની આદેશ મેડિકલ સુનિવર્સિટી કેમ્પસમાં પાર્ક કરેલી એક કારમાંથી મહિલાની લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. આ કાર યુનિવર્સિટીના પાર્કિંગમાં ઘણા સમયથી ઊભી હતી, આની સૂચના મળતા પોલીસઘટના સ્થળે પહોંચી. જ્યારે કારનો દરવાજો ખોલ્યો તો અંદર મહિલાની લાશ હતી.
કંચન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતી
આ મામલે પોલીસે જણાવ્યું કે, 'મૃતક મહિલાની ઓળખ લક્ષ્મણ નગર, લુધિયાણાની રહેવાસી કંચન ઉર્ફે કમલ તરીકે થઈ છે. મૃતદેહ સાથે મળેલી કાર પણ કંચનના નામે જ રજિસ્ટર્ડ છે. પ્રાથમિક તપાસમાં કોઈ બાહ્ય ઈજાના નિશાન નથી મળ્યા, જેના કારણે એ સ્પષ્ટ નથી કે આ મામલો આત્મહત્યાનો છે કે હત્યાનો.'
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે કંચન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતી હતી. તેના લાખો ફોલોઅર્સ હતા. તે ઘણા વિવાદોથી પણ ઘેરાયેલી હતી. તેની ઘણી પોસ્ટ અને વીડિયો ચર્ચામાં રહ્યા છે, જેના કારણે તેના ઘણા લોકો સાથે મતભેદ પણ થયા હતા. પોલીસ આ એંગલથી પણ તપાસ કરી રહી છે કે શું આ ઘટના કોઈ દુશ્મનાવટ કે સાયબર વિવાદને કારણે બની છે. હાલમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે અને પોલીસ કેસના દરેક પાસાની તપાસ કરી રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મૃત્યુના કારણોને લઈને સ્થિતિ સ્પષ્ટ થઈ શકશે.
કમલ કૌર એક ફેમશ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર હતી
બઠિંડાના પોલીસ અધિક્ષક નરેન્દ્ર સિંહે જણાવ્યું કે, 'બુધવારે સાંજે ભૂચ્ચો મંડીમાં આવેલ આદેશ હોસ્પિટલના પાર્કિંગમાં એક કારમાંથી લુધિયાણાની રહેવાસી કંચન ઉર્ફે કમલ કૌરનો મૃતદેહ મળી આવ્યો હતો. કમલ કૌર એક ફેમશ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર હતી. તે વાંધાજનક ભાષાનો ઉપયોગ કરીને વીડિયો પોસ્ટ કરવા માટે જાણીતી હતી. કમલનું સાચું નામ કંચન તિવારી છે. આ હત્યાકાંડની અલગ-અલગ પાસાઓથી તપાસ કરવામાં આવી રહી છે.'
હત્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે
એસપીએ જણાવ્યું કે, કમલ કૌર 9 જૂને એક ઈવેન્ટના પ્રમોશન માટે ઘરેથી નીકળી હતી, ત્યારબાદ તેનો પરિવાર સાથે સંપર્ક તૂટી ગયો હતો. શરૂઆતની તપાસમાં હત્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, કારણ કે લાશને જોતાં એવું લાગે છે કે, તેને બીજે ક્યાંકથી લાવીને કારમાં મૂકીને પાર્કિંગમાં છોડી દેવામાં આવી હતી. પોલીસ કેસના દરેક પાસાની તપાસ કરી રહી છે. કારનો નંબર નકલી હોવાનું જાણવા મળ્યું છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોર્ચ્યુરીમાં રાખવામાં આવી છે.