India

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા શ્રીપ્રકાશ જાયસ્વાલનું નિધન, પાર્ટીના નેતાઓએ શોક વ્યક્ત કર્યો

By GS TEAM
28 Nov 20251 min read
TukuTouch Logo
ઉત્તરપ્રદેશના કાનપુરમાં શુક્રવારે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા શ્રીપ્રકાશ જાયસ્વાલની લાંબી અસ્વસ્થતા બાદ નિધન થઈ ગયું છે. આ દુઃખદ માહિતી કોંગ્રેસ મહાનગર અધ્યક્ષ પવન ગુપ્તા અને ગ્રામ્ય અધ્યક્ષ સંદિપ શુક્લાએ આપી.

Summarized by AI; it may make mistakes. Check important info

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા શ્રીપ્રકાશ જાયસ્વાલનું નિધન, પાર્ટીના નેતાઓએ શોક વ્યક્ત કર્યો

Shriprakash Jaiswal News: ઉત્તરપ્રદેશના કાનપુરમાં શુક્રવારે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા શ્રીપ્રકાશ જાયસ્વાલની લાંબી અસ્વસ્થતા બાદ નિધન થઈ ગયું છે. આ દુઃખદ માહિતી કોંગ્રેસ મહાનગર અધ્યક્ષ પવન ગુપ્તા અને ગ્રામ્ય અધ્યક્ષ સંદિપ શુક્લાએ આપી. તેમણે જણાવ્યું કે, અચાનક તેમની તબિયત લથડી ગઈ હતી. તેમને કિદવઈ નગર ખાતે નર્સિંગ હોમ લવાયા હતા. અહીંથી કાર્ડિયોલોજી રિફર કરાયા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

તેમનું નિધન કોંગ્રેસ પાર્ટી અને કાનપુરના રાજનીતિક જગત માટે એક મોટી ક્ષતિ છે. જણાવી દઈએ કે, 1999, 2004 અને 2009માં શ્રી પ્રકાશ જાયસ્વાલે કાનપુરથી કોંગ્રેસનો પરચમ લહેરાવ્યો અને અહીંથી સાંસદ બનતા કેન્દ્રીય મંત્રી પણ બન્યા. તેમણે 2011-2014 સુધી કોલસા મંત્રાલયનો કાર્યભાર પણ સંભાળ્યો. તેઓ કાનપુરના સતત ત્રણ વખત સાંસદ રહ્યા હતા.