Get The App

પોલીસ કોઈ પણ જાતની તપાસ વગર SC-ST એક્ટ અંતર્ગત ફરિયાદ મળતા જ ધરપકડ કરી શકશે

Updated: Feb 10th, 2020

GS TEAM


Google News
Google News
પોલીસ કોઈ પણ જાતની તપાસ વગર SC-ST એક્ટ અંતર્ગત ફરિયાદ મળતા જ ધરપકડ કરી શકશે 1 - image

નવી દિલ્હી, તા, 10 ફેબ્રુઆરી 2020 સોમવાર

અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સંશોધન કાયદો 2018 પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને મોટી રાહત આપી છે.

પોલીસ કોઈ પણ જાતની તપાસ વગર SC-ST એક્ટ અંતર્ગત ફરિયાદ મળતા જ ધરપકડ કરી શકશે 2 - imageજસ્ટિસ અરૂણ મિશ્રા, જસ્ટિસ વિનીત શરણ અને જસ્ટિસ રવિન્દ્ર ભટ્ટની બેન્ચ મામલે એસસી-એસટી સંશોધન કાયદાને પડકાર આપનારી અરજીને ફગાવી દીધી છે. હવે એસસી-એસટી સંશોધન કાયદા અનુસાર ફરિયાદ મળ્યા બાદ એફઆઈઆર નોંધાશે અને ધરપકડ થશે.

પોલીસ કોઈ પણ જાતની તપાસ વગર SC-ST એક્ટ અંતર્ગત ફરિયાદ મળતા જ ધરપકડ કરી શકશે 3 - image

શુ છે કેસ

20 માર્ચ 2018માં કોર્ટે એસસી-એસટી કાનૂનના દુરપયોગને ધ્યાનમાં રાખતા મળનારી ફરિયાદોને લઈને FIR અને ધરપકડના નિયમ પર રોક લગાવી દીધી હતી. જે બાદ સંસદમાં કોર્ટના આદેશને પલટવા માટે કાયદામાં સંશોધન કરવામાં આવ્યુ હતુ. સંશોધિત કાનૂનની માન્યતાને સુપ્રીમ કોર્ટમાં પડકાર આપવામાં આવ્યો હતો. 

Tags :