Get The App

સાહિત્ય અકાદમી પુરસ્કાર 2023 : જાણો 24 વિજેતાના નામ, ગુજરાતમાંથી વિનોદ જોશીની થઈ પસંદગી

હિન્દીમાં સંજીવને-અંગ્રેજીમાં નીલમ શરણને સાહિત્ય અકાદમી 2023 પુરસ્કાર

Updated: Dec 21st, 2023

GS TEAM


Google News
Google News
સાહિત્ય અકાદમી પુરસ્કાર 2023 : જાણો 24 વિજેતાના નામ, ગુજરાતમાંથી વિનોદ જોશીની થઈ પસંદગી 1 - image


Sahitya Akademi Award 2023 : સાહિત્ય અકાદમીએ ગઈકાલે વિવિધ ભાષાઓ માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર 2023ની જાહેરાત કરી હતી, જેમાં સાહિત્ય અકાદમીએ હિન્દી માટે સંજીવ, અંગ્રેજી માટે નીલમ શરણ ગૌર અને ઉર્દૂ માટે સાદિકા નવાબ સહર સહિત 24 ભારતીય ભાષાઓ માટે પુરસ્કારની જાહેરાત કરી હતી. ગુજરાતી કવી વિનોદ જોશીને કવિતા માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવશે.

આ પુરસ્કાર 12 માર્ચ 2024એ આપવામાં આવશે

રાજધાની દિલ્હીમાં પુરસ્કારની જાહેરાત કરતા અકાદમીના સચિવ ડૉ. કે. શ્રીનિવાસ રાવે જણાવ્યું હતું કે આ પુરસ્કાર તમામ 24 માન્ય ભારતીય ભાષાઓમાં આપવામાં આવશે, જેમાં નવ કાવ્યસંગ્રહ, છ નવલકથાઓ, પાંચ વાર્તા સંગ્રહ, ત્રણ નિબંધો અને એક ટિકાનું પુસ્તક સામેલ છે સાથે જ તેમણે જણાવ્યું કે આ પુરસ્કાર 12 માર્ચ 2024એ સાહિત્ય અકાદમીના 70 વર્ષ પુરા થવા પર આપવામાં આવશે. ગઈકાલે જાહેર કરાયેલા પુરસ્કારોમાં હિન્દીના સંજીવને નવલકથા 'મુઝે પહેંચાનો', અંગ્રેજીના નીલમ શરણ ગૌરને નવલકથા 'રીક્વીમ ઈન રાગા જાનકી', ઉર્દૂમાં સાદિક નવાબ શહરને 'રાજદેવ કી અમરાઈ' માટે પુરસ્કાર એનાયત કરવામાં આવશે. આ ઉપરાંત આસામી, બંગાળી, ડોગરી, કન્નડ, મરાઠી અને મલયાલમ જેવી પ્રાદેશિક ભાષાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. 

કવિતા માટે એવોર્ડ વિજેતા લેખક

સાહિત્ય અકાદમીએ નવલકથા ઉપરાંત કવિતા માટે વિજય વર્મા (ડોગરી), વિનોદ જોષી (ગુજરાતી), મંશૂર બનિહાલી (કાશ્મીરી), સોરોકાઈબામ ગંભીર (મણિપુરી), આશુતોષ પરિદા (ઓડિયા), સ્વર્ણજીત સવી (પંજાબી), ગજેસિંગ રાજપુરોહિત (રાજસ્થાની), અરુણ રંજન મિશ્રા (સંસ્કાર) અસુદાની (સિંધી) પુરસ્કાર આપવામાં આવશે.

સાહિત્ય અકાદમી પુરસ્કાર જીતનારને શું મળે છે? 

સાહિત્ય અકાદમી પુરસ્કારથી નવાજાયેલા લેખકોને કોતરેલી તાંબાની પ્લેટ જેવી ટ્રોફી, શાલ અને એક લાખ રૂપિયાની રકમ આપવામાં આવી હતી. સમારોહની અધ્યક્ષતા નવા ચૂંટાયેલા અકાદમીના પ્રમુખ માધવ કૌશિક દ્વારા કરવામાં આવી હતી અને સમાપન વક્તવ્ય નવા ચૂંટાયેલા ઉપપ્રમુખ કુમુદ શર્માએ આપ્યું કર્યું હતું. સમારોહના મુખ્ય અતિથિ અંગ્રેજી લેખક અને વિદ્વાન ઉપમન્યુ ચેટર્જી હતા.

સાહિત્ય અકાદમી પુરસ્કાર 2023 : જાણો 24 વિજેતાના નામ, ગુજરાતમાંથી વિનોદ જોશીની થઈ પસંદગી 2 - image

Tags :