India

પદ્મ વિભૂષણ સન્માનિત પ્રખ્યાત શાસ્ત્રીય ગાયક પંડિત છન્નુલાલ મિશ્રાનું 91 વર્ષની વયે નિધન

By GS TEAM
2 Oct 20251 min read
TukuTouch Logo
પ્રખ્યાત ભારતીય શાસ્ત્રીય ગાયક પંડિત છન્નુલાલ મિશ્રાનું ગુરુવારે સવારે 4:15 વાગ્યે 91 વર્ષની વયે અવસાન થયું. તેઓ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા અને બનારસ હિન્દુ યુનિવર્સિટીના ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં સારવાર લઈ રહ્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

પદ્મ વિભૂષણ સન્માનિત પ્રખ્યાત શાસ્ત્રીય ગાયક પંડિત છન્નુલાલ મિશ્રાનું 91 વર્ષની વયે નિધન

Pandit Chhannulal Mishra Died News : પ્રખ્યાત ભારતીય શાસ્ત્રીય ગાયક પંડિત છન્નુલાલ મિશ્રાનું ગુરુવારે સવારે 4:15 વાગ્યે 91 વર્ષની વયે અવસાન થયું. તેઓ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા અને બનારસ હિન્દુ યુનિવર્સિટીના ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં સારવાર લઈ રહ્યા હતા. 


સંગીત જગતને ઝટકો 

તેમના નિધનથી સંગીત જગત શોકમાં ડૂબી ગયું છે. તેમના અંતિમ સંસ્કાર આજે વારાણસીના મણિકર્ણિકા ઘાટ ખાતે કરવામાં આવશે. પંડિત છન્નુલાલ મિશ્રાએ શાસ્ત્રીય ગાયનની ખયાલ અને પૂર્વીય ઠુમરી શૈલીને નવી ઊંચાઈએ પહોંચાડી.

આઝમગઢના હરિહરપુરમાં જન્મ થયો હતો 

પંડિત છન્નુલાલ મિશ્રાનો જન્મ 3 ઓગસ્ટ, 1936ના રોજ ઉત્તર પ્રદેશના આઝમગઢ જિલ્લાના હરિહરપુરમાં થયો હતો. તેમણે શરૂઆતની સંગીત તાલીમ તેમના પિતા બદ્રી પ્રસાદ મિશ્રા પાસેથી મેળવી હતી. બાદમાં, તેમણે કિરાણા ઘરાનાના ઉસ્તાદ અબ્દુલ ગની ખાન પાસેથી ભારતીય શાસ્ત્રીય સંગીતની સઘન તાલીમ મેળવી હતી. 

પંડિત અનોખલાલ મિશ્રાના જમાઈ હતા 

તેઓ પ્રખ્યાત તબલા વાદક પંડિત અનોખલાલ મિશ્રાના જમાઈ પણ હતા. કાશીની માટીમાં મૂળ ધરાવતા, પંડિત છન્નુલાલે પોતાના ઊંડા, ભાવપૂર્ણ અને અનોખા અવાજથી 'ઠુમરી' અને 'પૂરબ અંગ' ગાયન શૈલીઓને અમર બનાવી દીધી હતી.