Get The App

અમેરિકા-ઈરાન વચ્ચે ભારત કરશે મધ્યસ્થી? રાજનાથ સિંહે કહ્યું- ભવિષ્યમાં ભૂમિકા સંભવ

Updated: Apr 22nd, 2026

GS TEAM

Google News
Google News
અમેરિકા-ઈરાન વચ્ચે ભારત કરશે મધ્યસ્થી? રાજનાથ સિંહે કહ્યું- ભવિષ્યમાં ભૂમિકા સંભવ 1 - image


Rajnath Singh Signals Possible India Role in Iran-US Conflict | સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ ત્રણ દિવસના જર્મનીના પ્રવાસે છે. જ્યાં તેમણે અમેરિકા અને ઈરાન વચ્ચે મધ્યસ્થી અંગે મોટું નિવેદન આપ્યું છે. 

દરેક બાબતનો સમય હોય છે: મધ્યસ્થી કરવા અંગે મોટું નિવેદન

પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવ પર રાજનાથ સિંહે સંકેત આપ્યો છે કે હાલમાં ભારત સીધી મધ્યસ્થતા નથી કરી રહ્યું, પરંતુ ભવિષ્યમાં તેની શક્યતા નકારી શકાય નહીં. તેમણે કહ્યું છે કે પ્રધાનમંત્રી મોદીએ બંને પક્ષોને યુદ્ધ સમાપ્ત કરવા અપીલ કરી છે. દરેક બાબતનો એક યોગ્ય સમય હોય છે અને ભવિષ્યમાં ભારત શાંતિ સ્થાપવામાં સફળતા મેળવી શકે છે. 

બધા પડોશી દેશ સારા, બસ એકમાં જ ગરબડ: રાજનાથ સિંહ 

પહલગામ હુમલાની વરસી પર પાકિસ્તાનનું નામ લીધા વગર નિશાન સાધતા રાજનાથ સિંહે કહ્યું કે, અમારા તમામ પડોશીઓ સારા છે, પણ એક જ ‘ગરબડ’ છે. ‘ઓપરેશન સિંદૂર’ માં ભારતીય સેનાના શૌર્યને યાદ અપાવતા ચેતવણી આપી કે જો કોઈ પડોશી છેડછાડ કરશે તો ભારત તેને છોડશે નહીં.

આર્થિક તાકાત અંગે મોટું નિવેદન

રાજનાથ સિંહે ભારપૂર્વક જણાવ્યું કે ભારત હવે વિશ્વની ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બનવા તરફ અગ્રેસર છે. વિદેશમાં ભારતની ક્રેડિબિલિટી વધી છે અને અહીં વસતા ભારતીયો બંને દેશો વચ્ચે સેતુ સમાન છે. સાત વર્ષના લાંબા અંતરાલ બાદ થયેલી આ સંરક્ષણ મંત્રીની મુલાકાત ભારત-જર્મની વચ્ચે સંરક્ષણ અને વ્યૂહાત્મક ભાગીદારીના નવા દ્વાર ખોલશે.