India

મુસાફરોને ઝટકો! 26 ડિસેમ્બરથી ભારતીય રેલવેના ભાડામાં વધારો, જાણો ટિકિટના નવા દર

By GS TEAM
25 Dec 20252 mins read
TukuTouch Logo
ભારતીય રેલવે દ્વારા રેલવે ભાડાના માળખામાં ફેરફાર (Rationalization) કરવાની જાહેરાત કરાઈ છે. આ નવા દરો શુક્રવાર (26 ડિસેમ્બર 2025)થી અમલમાં આવશે. રેલવેના જણાવ્યા અનુસાર, આ ફેરફારનો મુખ્ય ઉદ્દેશ્ય વધતા જતા સંચાલન ખર્ચને પહોંચી વળવા અને મુસાફરોની સુરક્ષામાં સુધારો કરવાનો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મુસાફરોને ઝટકો! 26 ડિસેમ્બરથી ભારતીય રેલવેના ભાડામાં વધારો, જાણો ટિકિટના નવા દર

Indian Railway Ticket Price Hike : ભારતીય રેલવે દ્વારા રેલવે ભાડાના માળખામાં ફેરફાર (Rationalization) કરવાની જાહેરાત કરાઈ છે. આ નવા દરો શુક્રવાર (26 ડિસેમ્બર 2025)થી અમલમાં આવશે. રેલવેના જણાવ્યા અનુસાર, આ ફેરફારનો મુખ્ય ઉદ્દેશ્ય વધતા જતા સંચાલન ખર્ચને પહોંચી વળવા અને મુસાફરોની સુરક્ષામાં સુધારો કરવાનો છે.

કેટલો ભાવ વધારો કરાયો? 

રેલવેના દાવા પ્રમાણે, સામાન્ય લોકો પર વધુ બોજ ન પડે તે રીતે ભાડા માળખામાં ફેરફાર કરાય છે.  

સબર્બન (લોકલ) અને માસિક સિઝન ટિકિટ (MST): આ ભાડામાં કોઈ જ વધારો કરવામાં આવ્યો નથી.

ઓર્ડિનરી ક્લાસ (215 કિ.મી. સુધી): 215 કિ.મી. સુધીની મુસાફરી માટે ભાડામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી.

ઓર્ડિનરી ક્લાસ (215 કિ.મી.થી વધુ): કિલોમીટર દીઠ 1 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.

મેઈલ/એક્સપ્રેસ (નોન-એસી): કિલોમીટર દીઠ 2 પૈસાનો વધારો થશે.

એસી (AC) ક્લાસ: કિલોમીટર દીઠ 2 પૈસાનો વધારો લાગુ પડશે.

રેલવેના ખર્ચ અને આવકનું વિશ્લેષણ

ઉદાહરણ તરીકે જો કોઈ મુસાફર નોન-એસી કોચમાં 500 કિ.મી.ની મુસાફરી કરે છે, તો તેણે માત્ર 10 રૂપિયા વધારાના ચૂકવવા પડશે. ભાડાના આ તર્કસંગત ફેરફારથી રેલવેને આ વર્ષે અંદાજે 600 કરોડ રૂપિયાની વધારાની આવક થવાની અપેક્ષા છે. રેલવેએ ભાડામાં વધારો કરવા પાછળ વધતા જતા ખર્ચના આંકડા પણ રજૂ કર્યા છે:

મેનપાવર (કર્મચારી) ખર્ચ: વધીને 1,15,000 કરોડ રૂપિયા થયો છે.

પેન્શન ખર્ચ: વધીને 60,000 કરોડ રૂપિયા થયો છે.

કુલ સંચાલન ખર્ચ: વર્ષ 2024-25 માં કુલ ઓપરેશનલ ખર્ચ 2,63,000 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે.

રેલવેની સિદ્ધિઓ અને ભાવિ લક્ષ્યાંક

ભાડામાં ફેરફારની સાથે રેલવેએ પોતાની કાર્યક્ષમતા અને સુરક્ષા અંગે પણ માહિતી આપી છે:

કાર્ગો પરિવહન: ભારત વિશ્વમાં બીજું સૌથી મોટું કાર્ગો વહન કરતું રેલવે નેટવર્ક બન્યું છે.

તહેવારોની સિઝન: તાજેતરમાં તહેવારો દરમિયાન 12,000 થી વધુ ટ્રેનોનું સફળ સંચાલન કરવામાં આવ્યું હતું, જે રેલવેની કાર્યક્ષમતા દર્શાવે છે.

સુરક્ષા અને આધુનિકીકરણ: રેલવે નેટવર્કનો વિસ્તાર કરવાની સાથે સુરક્ષા વ્યવસ્થામાં નોંધપાત્ર સુધારો કરવામાં આવ્યો છે. રેલવેના જણાવ્યા મુજબ, તેઓ સામાજિક લક્ષ્યોને પૂર્ણ કરવા અને કાર્યક્ષમતા વધારીને ખર્ચને નિયંત્રિત કરવા માટે સતત પ્રયત્નશીલ રહેશે.