Get The App

હવે 4 નહીં પણ 24 કલાક પહેલાં ખબર પડી જશે ટિકિટ કન્ફર્મ થઈ કે નહીં! રેલવેએ શરુ કરી ટ્રાયલ

Updated: Jun 11th, 2025

GS TEAM


Google News
Google News
હવે 4 નહીં પણ 24 કલાક પહેલાં ખબર પડી જશે ટિકિટ કન્ફર્મ થઈ કે નહીં! રેલવેએ શરુ કરી ટ્રાયલ 1 - image


Indian Railway: ભારતીય રેલવે(Indian Railway)એ રેલ મુસાફરોની સુવિધા માટે એક મોટી યોજના બનાવી છે. અત્યાર સુધી જો તમે ટ્રેનની ટિકિટ બુક કરાવો છો, તો તમને ટ્રેનના પ્રસ્થાનના ચાર કલાક પહેલા જ ખબર પડે છે કે તમારી ટિકિટ કન્ફર્મ છે કે નહીં. પરંતુ હવે રેલવે એક નવી સિસ્ટમ પર કામ કરી રહી છે, જે અંતર્ગત કન્ફર્મ ટિકિટ સાથેનો ચાર્ટ 24 કલાક પહેલાં જ જાહેર કરી દેવામાં આવશે.

નવી સિસ્ટમ માટે ટ્રાયલ શરુ

અહેવાલો અનુસાર, રેલવે વિભાગે મુસાફરોની સૌથી મોટી સમસ્યાનો ઉકેલ લાવવા માટે તૈયારી કરી છે અને તેના ટ્રાયલ પણ શરુ થઈ ગયા છે. રેલવે મુસાફરો ટિકિટ બુક કરાવે છે, ત્યારે ઘણી વખત તમારી ટિકિટ કન્ફર્મ થતી નથી અને વેઇટિંગ લિસ્ટ દેખાડે છે. આ કારણસર ટિકિટ કન્ફર્મ થશે કે નહીં તેની ચિંતા સતત સતાવતી રહે છે. વળી, લાંબા અંતરની મુસાફરીમાં તો મુસાફરોને ઘણી ચિંતા રહે છે. આ સમસ્યાને દૂર કરવા માટે રેલવેએ એક સિસ્ટમ પર કામ કરવાનું શરુ કર્યું છે. જેના દ્વારા હવે તમને 24 કલાકની અંદર તમારી સીટ કન્ફર્મ થવાની માહિતી મળી જશે.

આ પણ વાંચો: રાજા રઘુવંશી મર્ડર કેસમાં ટ્વિસ્ટ, રાજ કુશવાહાને સોનમે મહોરો બનાવ્યો, તો માસ્ટર માઈન્ડ કોણ?

રેલવેએ નવી સિસ્ટમ માટે ટ્રાયલ રન પણ શરુ કર્યો છે. છઠ્ઠી જૂનથી આ સિસ્ટમ રાજસ્થાનના બિકાનેર ડિવિઝનમાં પાયલોટ પ્રોજેક્ટ હેઠળ શરૂ કરાઈ છે. જો કે, આ સિસ્ટમ હાલ એક ટ્રેન સુધી મર્યાદિત છે. એવું કહેવાય છે કે અત્યાર સુધી તેમાં કોઈ સમસ્યા આવી નથી, એટલે કે, આ પ્રયોગ સકારાત્મક પરિણામો આપી રહ્યો છે અને મુસાફરોને રાહત મળી છે.

હવે 4 નહીં પણ 24 કલાક પહેલાં ખબર પડી જશે ટિકિટ કન્ફર્મ થઈ કે નહીં! રેલવેએ શરુ કરી ટ્રાયલ 2 - image



Tags :