Get The App

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવના પિતાનું નિધન, જોધપુર એમ્સમાં લીધા અંતિમ શ્વાસ

Updated: Jul 8th, 2025

GS TEAM

Google News
Google News
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવના પિતાનું નિધન, જોધપુર એમ્સમાં લીધા અંતિમ શ્વાસ 1 - image
Image Source - @asha_ashagee

Rail Minister Ashwini Vaishnaw Father Death : કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવના પિતા દાઉ લાલ વૈષ્ણવનું મંગળવારે (8 જુલાઈ)ના રોજ નિધન થયું છે. તેઓ ઘણા સમયથી ગંભીર બિમાર હતા, જેના કારણે જોધપુર સ્થિત એમ્સમાં તેમની સારવાર ચાલી રહી હતી. હોસ્પિટલ તંત્રએ સત્તાવાર નિવેદનમાં કહ્યું કે, ‘અમે અત્યંત દુઃખ સાથે કહી રહ્યા છે કે, જોધપુરની એમ્સ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દાઉ લાલ વૈષ્ણનું 81 વર્ષની વયે આજે 8 જુલાઈ-2025ના રોજ 11.52 કલાકે નિધન થયું છે.’

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવના પિતાનું નિધન, જોધપુર એમ્સમાં લીધા અંતિમ શ્વાસ 2 - image

અશ્વિની વૈષ્ણવના પિતા ઘણા સમયથી બિહાર હતા

હોસ્પિટલે વધુમાં કહ્યું કે, ‘દાઉ લાલ વૈષ્ણવ છેલ્લા ઘણા દિવસોથી ગંભીર બિમાર હતા અને જોધપુરની એમ્સ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. તબીબી ટીમે તમામ સંભવ પ્રયાસો કર્યા છતાં, તેમને બચાવી શકાયા નથી. જોધપુર એમ્સ પરિવાર દિવંગત આત્માની શાંતિ હેતુ પ્રાર્થના કરે છે તેમજ શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરે છે’ હજુ સુધી પરિવાર તરફથી અંતિમ સંસ્કારની માહિતી અપાઈ નથી. અશ્વિની વૈષ્ણ હોસ્પિટલમાં પિતાની દેખરેખ માટે જોધપુર પહ્ચા હતા અને એમ્સ હોસ્પિટલ ગયા હતા.

Tags :