Get The App

11 વર્ષથી કોઈ જવાબદારી નહીં, મોદી સરકારે માત્ર પ્રચાર કર્યો: મુંબઈ ટ્રેન દુર્ઘટના મુદ્દે રાહુલ ગાંધીનો સવાલ

Updated: Jun 9th, 2025

GS TEAM


Google News
Google News
11 વર્ષથી કોઈ જવાબદારી નહીં, મોદી સરકારે માત્ર પ્રચાર કર્યો: મુંબઈ ટ્રેન દુર્ઘટના મુદ્દે રાહુલ ગાંધીનો સવાલ 1 - image


Rahul Gandhi's On Mumbai Train Incident : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ફરી એક વખત કેન્દ્રની NDA સરકાર પર નિશાનો સાધ્યો હતો. રાહુલે આરોપ લગાવ્યો કે, નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકારે 11 વર્ષથી કોઈ જવાબદારી નહીં, માત્ર પ્રચાર કર્યો છે. કેન્દ્ર સરકાર વર્તમાનની વાત કરવાનું છોડીને વર્ષ 2047ના સપના બતાવી રહ્યું છે. મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં ભીડભાડ વાળી લોકલ ટ્રેનમાંથી પડી જવાથી 4 મુસાફરોના મોત થયા હતા અને 6 ઘાયલ થયા હોવાને લઈને રાહુલ ગાંધીએ સરકાર પર પ્રહાર કર્યા હતા. 

વિપક્ષ નેતાએ 'X' પર લખ્યું કે, 'જ્યારે મોદી 11 વર્ષની સેવાની ઉજવણી કરી રહ્યા છે, ત્યારે દેશની હકિકત મુંબઈથી આવેલી પીડાદાયક સમાચારમાં જોવા મળે છે. ટ્રેનમાંથી પડી જવાથી અનેક લોકોના મોત.... '

રાહુલ ગાંધીએ શું કહ્યું?

રાહુલ ગાંધીએ કહ્યું કે, 'ભારતીય રેલવે કરોડો લોકોના જીવનનો આધારસ્તંભ છે. પરંતુ આજે તે અસુરક્ષિત, ભીડ અને અવ્યવસ્થાનું પ્રતિક બની ગઈ છે. મોદી સરકારના 11 વર્ષમાં કોઈ જવાબદારી નથી, કોઈ પરિવર્તન નથી, ફક્ત પ્રચાર છે. સરકારે 2025 વિશે વાત કરવાનું બંધ કરી દીધું છે, હવે તે 2047ના સપના બતવી રહી છે. દેશ આજે શું સામનો કરી રહ્યું છે, તે કોણ જોશે? હું મૃતકોના પરિવાર પ્રતિ સંવેદના વ્યક્ત કરું છું અને ઈજાગ્રસ્તો જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાથના...'

શું હતી સમગ્ર ઘટના?

પોલીસની પ્રાથમિક માહિતી મુજબ, મુંબઈમાં એક લોકલ ટ્રેનમાં આજે સોમવારે (9 જૂન) સવારે એક દુ:ખદ ઘટના બની હતી. આ દુર્ઘટના મુંબઈના દીવા અને મુમ્બ્રા સ્ટેશન વચ્ચે થઈ હતી. અહીં ભારે ભીડ હોવાથી લોકલ ટ્રેનમાંથી પડી જવાના કારણે 4 મુસાફરોના મોત થયા હતા. 

આ પણ વાંચો: મુંબઈમાં લોકલ ટ્રેનમાં 5 મોત બાદ તંત્ર સફાળું જાગ્યું, ઓટોમેટિક દરવાજા લગાવવાનો નિર્ણય

આ દુર્ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને રેલવે બોર્ડે દ્વારા તાત્કાલિક મુસાફરોની સલામતી માટે કડક પગલાં લેવામાં આવ્યા છે. રેલવે બોર્ડ દ્વારા જારી કરાયેલી સૂચનાઓ અનુસાર હવેથી મુંબઈમાં નિર્માણાધીન તમામ ટ્રેનમાં ઓટોમેટિક દરવાજા બંધ કરવાની સુવિધા ફરજિયાતપણે ઉમેરવામાં આવશે. તેનો હેતુ એ છે કે, ચાલતી ટ્રેનમાં ન તો દરવાજા ખુલ્લા રહેશે અને ન કોઈ મુસાફર લટકીને મુસાફરી કરશે.

Tags :