Get The App

ભારતની મુલાકાત દરમિયાન પુતિને મહાત્મા ગાંધીજી વિશે સંદેશ લખી સૌના દિલ જીતી લીધા

Updated: Dec 5th, 2025

GS TEAM

Google News
Google News
ભારતની મુલાકાત દરમિયાન પુતિને મહાત્મા ગાંધીજી વિશે સંદેશ લખી સૌના દિલ જીતી લીધા 1 - image


Putin about Mahatma Gandhi : ભારતની મુલાકાતે આવેલા રશિયાના પ્રમુખ  વ્લાદિમીર પુતિને શુક્રવારે રાજઘાટ ખાતે જઈને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે તેમણે ગાંધીજીના સિદ્ધાંતોને યાદ કર્યા અને મુલાકાતી પુસ્તિકામાં એક લાંબો સંદેશ લખ્યો.

ભારતની મુલાકાત દરમિયાન પુતિને મહાત્મા ગાંધીજી વિશે સંદેશ લખી સૌના દિલ જીતી લીધા 2 - image

21 તોપોની સલામી બાદ રાજઘાટ પહોંચ્યા પુતિન

પ્રમુખ પુતિનને શુક્રવારે સૌ પ્રથમ પ્રમુખ ભવન ખાતે 21 તોપોની સલામી સાથે 'ગાર્ડ ઑફ ઓનર' આપવામાં આવ્યું હતું. ત્યારબાદ, તેઓ મહાત્મા ગાંધીના સમાધિ સ્થળ રાજઘાટ પહોંચ્યા. અહીં તેમણે ફૂલમાળા ચઢાવીને ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને પછી વિઝિટર્સ બુકમાં સંદેશ લખ્યો. આ તેમની યાત્રાના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવાના એજન્ડાનો એક ભાગ હતો.

ગાંધીજીનો ઉલ્લેખ કરી પુતિનનો સંદેશ

મહાત્મા ગાંધીના સમાધિ સ્થળ પરની વિઝિટર્સ બુકમાં પુતિને બહુધ્રુવીયતા(Multipolarity)નો સંદેશ આપ્યો. પુતિને કહ્યું કે મહાત્મા ગાંધીએ તેમના સમયમાં જ નવા, વધુ ન્યાયપૂર્ણ વર્લ્ડ ઓર્ડરનો અંદાજ લગાવી લીધો હતો, જે અત્યારે આકાર લઈ રહ્યો છે.

વિઝિટર્સ બુકમાં પુતિને લખ્યું કે "આજના ભારતીય રાજ્યના સ્થાપકોમાંના એક, મહાન દાર્શનિક અને માનવતાવાદી મહાત્મા ગાંધીએ આપણી દુનિયા માટે નેતૃત્વના મુદ્દા પર એક મોટું યોગદાન આપ્યું. આઝાદી, ભલાઈ અને પરોપકાર પરના તેમના વિચારો આજે પણ કારગર છે." પુતિને તેમના સંદેશમાં નવી વિશ્વ વ્યવસ્થા(New World Order)ને યાદ કરતાં ગાંધીજીના સંદેશની ચર્ચા કરી. તેમણે લખ્યું કે આ જ સિદ્ધાંતો અને મૂલ્યો છે જેનું રશિયા અને ભારત આજે આંતરરાષ્ટ્રીય મંચ પર સન્માન કરે છે અને સહયોગ કરે છે.

પીએમ મોદી સાથે સંયુક્ત નિવેદન: 'ભારત તટસ્થ નથી'

રાજઘાટની મુલાકાત બાદ પ્રમુખ પુતિન નવી દિલ્હી સ્થિત હૈદરાબાદ હાઉસ પહોંચ્યા, જ્યાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય બેઠક કરી અને સંયુક્ત નિવેદન જારી કર્યું. આ દરમિયાન, વડાપ્રધાન મોદીએ રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનને સ્પષ્ટપણે જણાવ્યું કે ભારત યુક્રેન યુદ્ધમાં તટસ્થ નથી, પરંતુ તે શાંતિના પક્ષમાં છે. પીએમ મોદીએ પુતિનની એક દૂરંદેશી નેતા તરીકે પ્રશંસા કરી અને ભારપૂર્વક જણાવ્યું કે "આ શાંતિનો યુગ છે."

Tags :