- હરિયાણા સરકાર પર કેજરીવાલના આરોપોથી વિવાદ
- કેજરીવાલે લોકોમાં ભેય ફેલાવ્યો, કાયદેસર પગલા લઇ ચૂંટણી પ્રચાર કરતા અટકાવો : ભાજપ
કેજરીવાલે પ્રેસ કોન્ફરંસ કરીને દાવો કર્યો હતો કે દિલ્હી જળ બોર્ડના સીઇઓએ ખાતરી કરી છે કે યમુના નદીના પાણીમાં એમોનિયા નામનું ઝેર ભેળવવામાં આવ્યું છે. દિલ્હીના લોકોનો જીવ અમે જોખમમાં નહીં મુકવા દઇએ, કેજરીવાલે સાથે ચિમકી આપી હતી કે આ મામલે અમે કાયદેસરના પગલા લેવામાં પણ પાછીપાની નહીં કરીએ.
બીજી તરફ કેજરીવાલના આ દાવા બાદ ભાજપ અને કોંગ્રેસે ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી. જેને પગલે ચૂંટણી પંચે કેજરીવાલ પાસેથી જવાબ માગ્યો હતો સાથે જ યાદ અપાવ્યું હતું કે જાહેર શાંતિ અને રાષ્ટ્રની એકતા તોડવા બદલ ત્રણ વર્ષ સુધીની સજા થાય છે. ચૂંટણી પંચે કેજરીવાલને બુધવાર સુધીમાં ઝેરના દાવાના પુરાવા રજુ કરવા કહ્યું હતું સાથે જ હરિયાણા સરકાર પાસેથી પણ સ્પષ્ટતા માગી છે. જ્યારે ભાજપે ચૂંટણી પંચને વિનંતી કરી હતી કે તે કેજરીવાલને ચૂંટણી પ્રચાર કરતા અટકાવે કેમ કે તેઓ લોકોમાં ભય પેદા કરી રહ્યા છે. ભાજપનું એક ડેલિગેશન ચૂંટણી પંચને મળ્યું હતું.


