India

વિદેશ સ્થિત ભારતીયોને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સાંસ્કૃતિક રાજદૂતો કહ્યા

By GS TEAM
14 Nov 20252 mins read
વિદેશ સ્થિત ભારતીયોને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સાંસ્કૃતિક રાજદૂતો કહ્યા

- એંગોલા, બોસ્વાનાની મુલાકાતેથી મુર્મુ પરત આવ્યા

- બોસ્વાનાના પ્રમુખ વિમાન મથકે આવકારવા પણ ગયા અને મુર્મુ પરત આવવા નીકળ્યા ત્યારે વિદાય આપવા પણ ગયા

નવી દિલ્હી : રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મુ એંગોલા અને બોસ્વાનાની મુલાકાતેથી આજે શુક્રવારે નવી દિલ્હી પરત આવ્યા છે. આ બંને દેશોના ઉચ્ચ કક્ષાની મીટીંગો યોજાઈ હતી. બંને દેશોમાં તેઓને ગાર્ડ ઓફ ઓનર સાથે સેરિમોનિયલ વેલકમ અપાયું હતું.

રાષ્ટ્રપતિ મુર્મુ એંગોલાના પાટનગર બુઆન્ડાથી બોસ્વાનાના પાટનગર ગેબોરોને પહોંચ્યા ત્યારે વિમાન મથકે બોસ્વાનાના પ્રમુખ કમા, ગીડેઈઓન, લોકો તેઓને આવકારવા ઉપસ્થિત હતા. તેટલું જ નહીં પરંતુ મુર્મુ ત્યાંથી વિદાય થયા ત્યારે પણ તેઓને વિદાય આપવા વિમાન મથકે ઉપસ્થિત હતા. આ અસામાન્ય માન હતા.

સુ. શ્રી મુર્મુની સાથે વ્યાપારી અને લશ્કરી પ્રતિનિધિઓ પણ સમ્રાટ-અશોકમાં સાથે હતા. બંને દેશોમાં વ્યાપાર વિનિમય અંગે ચર્ચા થઈ હતી. તેમજ સંરક્ષણ તાકાત વધારવા અને વિશેષત: તે દેશોના નાના એવા એરફોર્સના પાયલોટસને તાલિમ આપવા ભારતીય એરફોર્સના તાલીમી પાયલોટસ પણ સાથે ઉપસ્થિત હતા.

આ દેશોના વિદ્યાર્થીઓને ભારતમાં વિશેષ અભ્યાસ માટે પણ રાષ્ટ્રપતિએ આવકાર્યા હતા.

ઉલ્લેખનીય છે કે ભારત સ્વતંત્ર થયું પછીથી આફ્રિકાના ઘણા દેશો પણ સ્વતંત્ર થયા. ૪૦ વર્ષ પૂર્વે બોસ્વાના સ્વતંત્ર થયું તે પછી ઉચ્ચ કક્ષાના ભારતના કોઈપણ પ્રતિનિધિ પૈકી સુ.શ્રી મુર્મુ સૌથી પહેલા બની રહ્યા.

તેઓએ બોસ્વાનાનાં પાટનગર ગેબોરોને સ્થિત ભારતીય સમુદાયને સંબોધન કરતાં કહ્યું હતું કે, તમારે અહીં ભારતીય સંસ્કૃતિના રાજદૂતો તરીકે કાર્ય કરવાનું છે.

ઉલ્લેખનીય છે કે, પૂજ્ય બાપુને માટે દક્ષિણ આફ્રિકા સહિત લગભગ તમામ આફ્રિકન દેશોમાં ભારતીયોનું માન ઘણું જ છે.