Get The App

2જી સપ્ટેમ્બરે ભારતીય નૌસેનાને મળશે નવો ફ્લેગ અને પ્રથમ સ્વદેશી વિમાન વાહક જહાજ INS વિક્રાંત

Updated: Aug 31st, 2022

GS TEAM

Google News
Google News
2જી સપ્ટેમ્બરે ભારતીય નૌસેનાને મળશે નવો ફ્લેગ અને પ્રથમ સ્વદેશી વિમાન વાહક જહાજ INS વિક્રાંત 1 - image

નવી દિલ્હી, તા. 31 ઓગસ્ટ 2022 બુધવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1 અને 2 સપ્ટેમ્બરે કર્ણાટક અને કેરળના પ્રવાસે રહેશે. 1 સપ્ટેમ્બરે વડાપ્રધાન કોચીન એરપોર્ટ નજીક કલાડી ગામમાં શ્રી આદિ શંકરાચાર્યના જન્મસ્થળનો પ્રવાસ કરશે. 

2 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદી કોચ્ચિમાં કોચીન શિપયાર્ડ લિમિટેડમાં INS વિક્રાંત તરીકે પહેલુ સ્વદેશી વિમાનવાહક જહાજ શરૂ કરી દેશને સોંપશે. આ દરમિયાન પીએમ મોદી ભારતીય નૌસેનાના નવા ધ્વજનું અનાવરણ કરશે.

દેશને INS વિક્રાંત મળ્યા બાદ ભારત તે દેશોના ગ્રૂપમાં સામેલ થઈ જશે જેમની પાસે જાતે સ્વદેશી વિમાનવાહક જહાજની ડિઝાઈન બનાવવાની ક્ષમતા છે. જે બાદ વડાપ્રધાન મંગલુરુમાં અમુક પરિયોજનાઓનુ ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. ત્યાં વડાપ્રધાન મોદી 3800 કરોડ રૂપિયાની પરિયોજનાઓનો પાયો નાખશે.

INS વિક્રાંત એ ભારતના દરિયાઈ ઈતિહાસમાં અત્યાર સુધીનું સૌથી મોટું જહાજ છે

INS વિક્રાંતને ભારતીય નૌસેનાના ઈન-હાઉસ 'વૉરશિપ ડિઝાઈન બ્યુરો' (WDB) એ ડિઝાઈન કર્યુ છે અને આને કોચીન શિપયાર્ડ લિમિટેડે બનાવ્યુ છે. INS વિક્રાંત બંદર, વહાણ પરિવહન અને જળમાર્ગ મંત્રાલય હેઠળ એક સાર્વજનિક વિસ્તારનુ શિપયાર્ડ છે.

INS વિક્રાંત ભારતના સમુદ્રી ઈતિહાસમાં બનાવવામાં આવેલુ અત્યાર સુધીનુ સૌથી મોટુ જહાજ છે. જેને અત્યાધુનિક ઓટોમેશન ફીચર્સ સાથે તૈયાર કરવામાં આવ્યુ છે. સ્વદેશી વિમાનવાહક જહાજનુ નામ તેમના શાનદાર પૂર્વવર્તી, ભારતના પહેલા વિમાનવાહકના નામે રાખવામાં આવ્યુ છે, જેણે 1971ના યુદ્ધમાં મહત્વની ભૂમિકા નિભાવી હતી.

સેન્ટ જ્યોર્જ ક્રોસ વિના ભારતીય નૌસેનાને નવો લોગો મળશે

નૌસેનાના અધિકારીઓએ જણાવ્યુ કે 2 સપ્ટેમ્બરે ભારતીય નૌસેનાને સેન્ટ જ્યોર્જ ક્રોસ વિના એક નવો લોગો મળશે. અધિકારીઓએ જણાવ્યુ કે 2001 અને 2004ની વચ્ચે અટલ બિહારી વાજપેયી સરકાર દરમિયાન ધ્વજથી ક્રોસ ચિહ્ન હટાવી દેવાયુ હતુ પરંતુ સોનિયા ગાંધીના નેતૃત્વવાળી યુપીએએ સત્તામાં પાછા આવ્યા બાદ આને ફરીથી પાછુ લાવી દીધુ.