Get The App

BIG NEWS : PM મોદીએ કાશ્મીરમાં દુનિયાના સૌથી ઊંચા રેલવે બ્રિજનું લોકાર્પણ કર્યું, તિરંગો લહેરાવ્યો

Updated: Jun 6th, 2025

GS TEAM


Google News
Google News
BIG NEWS : PM મોદીએ કાશ્મીરમાં દુનિયાના સૌથી ઊંચા રેલવે બ્રિજનું લોકાર્પણ કર્યું, તિરંગો લહેરાવ્યો 1 - image


PM Modi Kashmir Bridge: વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે (6 જૂન) જમ્મુ-કાશ્મીરની મુલાકાતે છે, જ્યાં તેમણે ચિનાબ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું છે. ચિનાબ બ્રિજ દુનિયાનો સૌથી ઊંચો રેલવે આર્ચ બ્રિજ છે, જે કાશ્મીર ઘાટીને આખા ભારત સાથે દરેક ઋતુમાં રેલ સંપર્ક પ્રદાન કરશે અને કટરા-શ્રીનગર યાત્રાનો સમય ઘટાડશે. પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ વડાપ્રધાનની આ પહેલી કાશ્મીર મુલાકાત છે. અહીં તેઓ 46 હજાર કરોડની યોજનાઓની ભેટ આપશે. 


આ પણ વાંચોઃ 'જે કંઈ થઈ રહ્યું છે તેનો હું જ બાપ-દાદા છું...' રાહુલ ગાંધીએ કોને ગુસ્સામાં આવો જવાબ આપ્યો

દિલ અને દિલ્હીનું અંતર ઘટાડશે

આ પહેલથી કનેક્ટિવિટીમાં સુધારો થશે. બ્રિજના ઉદ્ઘાટન સાથે એવું પણ કહેવામાં આવે છે કે, આનાથી 'દિલની દૂરી અને દિલ્હીનું અંતર ઘટશે.' વડાપ્રધાનના આ કાશ્મીર પ્રવાસ બાદ પર્યટન અને આર્થિક વિકાસને પણ વેગ મળશે. 

આ પણ વાંચોઃ જ્યારે દીકરાએ ખુદ ઓપરેશન સિંદૂર અંગે શશી થરુરને પૂછ્યો સવાલ, જાણો શું જવાબ મળ્યો

મુસાફરીના સમયમાં થશે ઘટાડો

વડાપ્રધાને ચિનાબ બ્રિજ અને અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું છે, જે ઉધમપુર-શ્રીનગર-બારામૂલા રેલ લિંક યોજનાનો મહત્ત્વપૂર્ણ ભાગ છે. આ યોજના હેઠળ બનાવવામાં આવેલો આ પુલ કાશ્મીર ઘાટીના ભાગને ભારત સાથે જોડશે. જેનાથી મુસાફરીનો સમય ઘટીને 3 કલાક થઈ જશે અને વેપાર તેમજ પ્રવાસ ઉદ્યોગને પણ વેગ મળશે. 

Tags :