India

કંઇક મોટું થવાનું છે? PM મોદીની અપીલ બાદ હરદીપ પુરીએ કહ્યું - કંપનીઓને 1 લાખ કરોડનું નુકસાન

By GS TEAM
11 May 20262 mins read
TukuTouch Logo
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં દેશવાસીઓને પેટ્રોલ-ડીઝલ બચાવવા, સોનું ખરીદવાનું ટાળવા અને શક્ય હોય ત્યાં 'વર્ક ફ્રોમ હોમ' અપનાવવા જેવી જે અપીલ કરી છે, તેની પાછળ એક ગંભીર આર્થિક સંકટ છુપાયેલું હોવાનું સામે આવ્યું છે. કેન્દ્રીય ઉર્જા મંત્રી હરદીપ સિંહ પુરીએ આ અંગે ચોંકાવનારા આંકડા રજૂ કરતા જણાવ્યું છે કે દેશની સરકારી તેલ કંપનીઓ હાલમાં ભારે આર્થિક દબાણ હેઠળ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કંઇક મોટું થવાનું છે? PM મોદીની અપીલ બાદ હરદીપ પુરીએ કહ્યું - કંપનીઓને 1 લાખ કરોડનું નુકસાન

Hardeep singh Puri and PM Modi News |  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં દેશવાસીઓને પેટ્રોલ-ડીઝલ બચાવવા, સોનું ખરીદવાનું ટાળવા અને શક્ય હોય ત્યાં 'વર્ક ફ્રોમ હોમ' અપનાવવા જેવી જે અપીલ કરી છે, તેની પાછળ એક ગંભીર આર્થિક સંકટ છુપાયેલું હોવાનું સામે આવ્યું છે. કેન્દ્રીય ઉર્જા મંત્રી હરદીપ સિંહ પુરીએ આ અંગે ચોંકાવનારા આંકડા રજૂ કરતા જણાવ્યું છે કે દેશની સરકારી તેલ કંપનીઓ હાલમાં ભારે આર્થિક દબાણ હેઠળ છે.

તેલ કંપનીઓને રોજનું ₹1,000 કરોડનું નુકસાન

હરદીપ સિંહ પુરીના જણાવ્યા અનુસાર, આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ અને ગેસના ભાવ આસમાને પહોંચ્યા છે. તેલ કંપનીઓ મોંઘા ભાવે કાચો માલ ખરીદી રહી છે, પરંતુ સામાન્ય જનતાને મોંઘવારીથી બચાવવા માટે સરકાર જૂના ભાવે જ ઈંધણ વેચી રહી છે. આ કારણે સરકારી તેલ કંપનીઓને દરરોજ ₹1,000 કરોડનું નુકસાન થઈ રહ્યું છે. આ ત્રિમાસિક ગાળામાં કુલ ખોટ ₹1,00,000 કરોડ સુધી પહોંચવાનો અંદાજ છે.

અમિત શાહ અને દેવેન્દ્ર ફડણવીસની પ્રતિક્રિયા

ગૃહમંત્રી અમિત શાહે પીએમ મોદીની આ અપીલને 'આત્મનિર્ભર ભારત' માટેનો રોડમેપ ગણાવ્યો છે. તેમણે કહ્યું કે વૈશ્વિક કટોકટીના સમયે ઉર્જા સંરક્ષણ એ જ રાષ્ટ્રને સ્થિર રાખવાનો માર્ગ છે. બીજી તરફ, મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસે પણ અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધની સ્થિતિને જવાબદાર ગણાવતા કહ્યું કે જો આપણે ઈંધણનો વિવેકપૂર્ણ ઉપયોગ નહીં કરીએ તો આગામી સમયમાં અછતનો સામનો કરવો પડી શકે છે.

શા માટે પીએમ મોદી કરી રહ્યા છે આવી અપીલ?

ભારત પોતાની જરૂરિયાતનું 80% તેલ આયાત કરે છે. વૈશ્વિક અસ્થિરતાને કારણે વિદેશી મુદ્રા ભંડાર પર દબાણ ન આવે અને બેંકિંગ સિસ્ટમ ખોરવાય નહીં તે માટે સરકાર ઈચ્છે છે કે જનતા સ્વેચ્છાએ વપરાશ ઘટાડે. જો વપરાશ ઓછો નહીં થાય તો આવનારા સમયમાં સરકારને કડક આર્થિક નિર્ણયો લેવાની ફરજ પડી શકે છે.

વારાણસીમાં પીએમની અપીલનું સ્વાગત

પીએમ મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં આ અપીલને 'કાશીનો સંકલ્પ' તરીકે આવકારવામાં આવી છે. સ્થાનિક લોકોએ રાષ્ટ્રહિત સર્વોપરી ગણીને પેટ્રોલ ઓછું બાળવા અને સ્વદેશી અપનાવવાની ખાતરી આપી છે.