India

વડાપ્રધાન મોદીની ટ્રમ્પ સાથે મુલાકાત નહીં થાય, મલેશિયા જવાનો પ્લાન કેન્સલ થયાનું કન્ફર્મ

By GS TEAM
23 Oct 20252 mins read
TukuTouch Logo
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી આસિયાન (ASEAN) સમિટમાં ભાગ લેવા માટે મલેશિયા નહીં જાય. આ જાહેરાત ખુદ મલેશિયાના વડાપ્રધાન અનવર ઇબ્રાહિમે ગુરુવારે સવારે એક પોસ્ટ દ્વારા કરી હતી. તેમણે જણાવ્યું કે પીએમ મોદી હવે આ સમિટને વર્ચ્યુઅલી સંબોધિત કરશે. આ નિર્ણયથી એ તમામ અટકળો પર વિરામ લાગી ગયો છે, જેમાં કહેવાતું હતું કે પીએમ મોદી આ સમિટ દરમિયાન અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડાપ્રધાન મોદીની ટ્રમ્પ સાથે મુલાકાત નહીં થાય, મલેશિયા જવાનો પ્લાન કેન્સલ થયાનું કન્ફર્મ

PM Modi Malayasia News :  વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી આસિયાન (ASEAN) સમિટમાં ભાગ લેવા માટે મલેશિયા નહીં જાય. આ જાહેરાત ખુદ મલેશિયાના વડાપ્રધાન અનવર ઇબ્રાહિમે ગુરુવારે સવારે એક પોસ્ટ દ્વારા કરી હતી. તેમણે જણાવ્યું કે પીએમ મોદી હવે આ સમિટને વર્ચ્યુઅલી સંબોધિત કરશે. આ નિર્ણયથી એ તમામ અટકળો પર વિરામ લાગી ગયો છે, જેમાં કહેવાતું હતું કે પીએમ મોદી આ સમિટ દરમિયાન અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી શકે છે.

દિવાળીનું કારણ અપાયું, પણ રાજકીય અર્થ મોટા 

મલેશિયાના વડાપ્રધાન અનવર ઇબ્રાહિમે પોતાના ટ્વીટમાં જણાવ્યું કે, "ભારતમાં ચાલી રહેલા દિવાળીના તહેવારને કારણે પીએમ નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી જ આ કાર્યક્રમને સંબોધિત કરશે." જોકે, દિવાળીનું કારણ સત્તાવાર રીતે આપવામાં આવ્યું હોવા છતાં, રાજદ્વારી વર્તુળોમાં આ નિર્ણય પાછળના અન્ય કારણોની ચર્ચાએ જોર પકડ્યું છે. ખાસ કરીને, ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા વેપાર-ટેરિફના તણાવ વચ્ચે ટ્રમ્પ સાથેની સંભવિત મુલાકાત ટાળવા માટે આ નિર્ણય લેવાયો હોવાનું મનાઈ રહ્યું છે.

ટ્રમ્પ સાથેની મુલાકાતની અટકળોનો અંત 

છેલ્લા કેટલાક સમયથી એવી પ્રબળ અટકળો હતી કે પીએમ મોદી આસિયાન સમિટમાં રૂબરૂ હાજરી આપશે, જ્યાં તેમની મુલાકાત ડોનાલ્ડ ટ્રમ્પ સાથે થશે. ભારત અને અમેરિકા વચ્ચે વેપાર અને ટેરિફને લઈને ચાલી રહેલા મતભેદોને ઉકેલવા માટે આ મુલાકાતને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી હતી. પરંતુ, હવે પીએમ મોદીના વર્ચ્યુઅલ સંબોધનના સમાચાર આવતા જ આ ઉચ્ચ-સ્તરીય મુલાકાતની તમામ શક્યતાઓ પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે.

ભારત-મલેશિયાના સંબંધો મજબૂત રહેશે 

જોકે, અનવર ઇબ્રાહિમે પોતાના ટ્વીટમાં ભારત અને મલેશિયાના સંબંધોની મજબૂતી પર ભાર મૂક્યો હતો. તેમણે લખ્યું, "મારી પીએમ મોદીના એક નજીકના સહયોગી સાથે વાત થઈ છે. અમે વેપાર, રોકાણ, ટેકનોલોજી, શિક્ષણ અને સુરક્ષા જેવા મુદ્દાઓ પર સહયોગ વધારવા માટે પ્રતિબદ્ધ છીએ. અમે ક્ષેત્રની શાંતિ અને સમૃદ્ધિ માટે ભારતની સાથે છીએ." આ નિવેદન દર્શાવે છે કે પીએમ મોદીના પ્રવાસ રદ થવા છતાં બંને દેશો વચ્ચેના સંબંધો પર કોઈ નકારાત્મક અસર નહીં પડે.