India

PM મોદી અને સાઉદીના ક્રાઉન પ્રિન્સની ટેલિફોનિક વાતચીત, એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાનો કર્યો વિરોધ

By GS TEAM
28 Mar 20262 mins read
TukuTouch Logo
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ વચ્ચે PM મોદીની એક્શનમાં છે. સાઉદી ક્રાઉન પ્રિન્સ અને ડોનાલ્ડ ટ્રમ્પ સાથે કરી વાતચીત, ઊર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પરના હુમલાની નિંદા કરી હતી. મિડલ ઈસ્ટમાં ઈરાન અને અમેરિકા-ઈઝરાયલ વચ્ચે શરૂ થયેલા યુદ્ધને એક મહિનો પૂર્ણ થવા આવ્યો છે, ત્યારે ભારત આ મામલે અત્યંત સક્રિય ભૂમિકા ભજવી રહ્યું છે. શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન (MBS) સાથે ટેલિફોનિક વાતચીત કરી વૈશ્વિક સુરક્ષા અંગે ચર્ચા કરી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

PM મોદી અને સાઉદીના ક્રાઉન પ્રિન્સની ટેલિફોનિક વાતચીત, એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાનો કર્યો વિરોધ
 File Photo X

Iran America War : મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ વચ્ચે PM મોદીની એક્શનમાં છે. સાઉદી ક્રાઉન પ્રિન્સ અને ડોનાલ્ડ ટ્રમ્પ સાથે કરી વાતચીત, ઊર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પરના હુમલાની નિંદા કરી હતી. મિડલ ઈસ્ટમાં ઈરાન અને અમેરિકા-ઈઝરાયલ વચ્ચે શરૂ થયેલા યુદ્ધને એક મહિનો પૂર્ણ થવા આવ્યો છે, ત્યારે ભારત આ મામલે અત્યંત સક્રિય ભૂમિકા ભજવી રહ્યું છે. શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન (MBS) સાથે ટેલિફોનિક વાતચીત કરી વૈશ્વિક સુરક્ષા અંગે ચર્ચા કરી હતી.

ઊર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલા સહન નહીં

PM મોદીએ એક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું કે, વાતચીત દરમિયાન તેમણે પ્રદેશના ઊર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર થઈ રહેલા હુમલાઓની સખત શબ્દોમાં નિંદા કરી છે. ઈરાન દ્વારા તાજેતરમાં કુવૈત અને દુબઈના વિસ્તારોમાં કરવામાં આવેલા હુમલાઓના સંદર્ભમાં ભારતનું આ નિવેદન અત્યંત મહત્ત્વનું માનવામાં આવે છે.

શિપિંગ લાઇન્સ અને દરિયાઈ સુરક્ષા પર ભાર

બંને નેતાઓ વચ્ચે સહમતી સધાઈ છે કે, દરિયાઈ માર્ગો સુરક્ષિત રહેવા જોઈએ જેથી વૈશ્વિક વેપાર પર અસર ન પડે. હોર્મુઝની ખાડી અને અન્ય મહત્ત્વના જળમાર્ગો ખુલ્લા રાખવા વિશ્વ માટે અનિવાર્ય છે. સાઉદી અરેબિયામાં વસતા ભારતીયોના કલ્યાણ માટે PM એ ક્રાઉન પ્રિન્સનો આભાર માન્યો હતો. 

આ પણ વાંચો : સંકટ સમયની સાંકળ બન્યું ભારત: પડોશી દેશને 38,000 મેટ્રિક ટન ઈંધણનો જથ્થો પહોંચાડ્યો

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પણ મંથન

આ અગાઉ 24 માર્ચના રોજ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પણ PM મોદીએ લાંબી ચર્ચા કરી હતી. ભારતનું વલણ સ્પષ્ટ છે કે, યુદ્ધ વહેલી તકે અટકે અને શાંતિ પુનઃસ્થાપિત થાય. ખાસ કરીને હોર્મુઝની ખાડી સુરક્ષિત અને સુલભ રહે તે માટે ભારત સતત વૈશ્વિક નેતાઓ સાથે સંપર્કમાં છે.

28 ફેબ્રુઆરીથી શરૂ થયેલો સંઘર્ષ

નોંધનીય છે કે, 28 ફેબ્રુઆરીના રોજ ઈરાન અને અમેરિકા-ઈઝરાયલ વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું ત્યારથી અત્યાર સુધીમાં PM મોદી અનેક વિશ્વ નેતાઓ સાથે વાતચીત કરી ચૂક્યા છે. પશ્ચિમ એશિયામાં ભારતનું હિત ઊર્જા સુરક્ષા (ક્રૂડ ઓઇલ સપ્લાય) સાથે જોડાયેલું હોવાથી આ પ્રદેશમાં શાંતિ ભારત માટે પ્રાથમિકતા છે.