India

સંકટ સમયે ભારતીયોના જીવ જોખમમાં મૂકી રહી છે કોંગ્રેસ: કેરલમમાં PM મોદીનું મોટું નિવેદન

By GS TEAM
29 Mar 20262 mins read
TukuTouch Logo
કેરલમના પલક્કડમાં આયોજિત એક જનસભાને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈરાન-ઇઝરાયલ યુદ્ધ અને તેના પર ભારતમાં થઈ રહેલી રાજનીતિને લઈને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. પીએમ મોદીએ નિવેદન આપ્યું હતું કે, "કોંગ્રેસ રાજકીય ફાયદા માટે સામાન્ય લોકોના જીવ જોખમમાં મૂકી રહી છે."

Summarized by AI; it may make mistakes. Check important info

સંકટ સમયે ભારતીયોના જીવ જોખમમાં મૂકી રહી છે કોંગ્રેસ: કેરલમમાં PM મોદીનું મોટું નિવેદન

PM Modi Live : કેરલમના પલક્કડમાં આયોજિત એક જનસભાને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈરાન-ઇઝરાયલ યુદ્ધ અને તેના પર ભારતમાં થઈ રહેલી રાજનીતિને લઈને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. પીએમ મોદીએ નિવેદન આપ્યું હતું કે, "કોંગ્રેસ રાજકીય ફાયદા માટે સામાન્ય લોકોના જીવ જોખમમાં મૂકી રહી છે."

ખાડી મુદ્દે કોંગ્રેસની ટિપ્પણીઓ ખતરનાક

પશ્ચિમ એશિયામાં સર્જાયેલા તણાવ પર ભારત સરકારની સક્રિયતા અંગે વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે, સરકાર સતત પ્રયત્નશીલ છે કે આ યુદ્ધની ભારત પર ઓછામાં ઓછી અસર પડે. તેમણે જણાવ્યું કે, "જ્યારથી યુદ્ધ શરૂ થયું છે, ત્યારથી હું વિશ્વના નેતાઓના સંપર્કમાં છું. તમામ દેશો સંઘર્ષગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા ભારતીયોની સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે." પીએમએ ઉમેર્યું કે, કોંગ્રેસ દ્વારા ખાડી દેશોના મુદ્દે કરવામાં આવતી ટિપ્પણીઓ અત્યંત ખતરનાક છે, જે ત્યાં વસતા અંદાજે 1 કરોડ ભારતીયોની સુરક્ષા માટે જોખમ ઊભું કરી શકે છે.

આ પણ વાંચો : વિશ્વમાં પેટ્રોલ-ડીઝલનું સંકટ, આપણે એક થઈને પડકારોનો સામનો કરીશું: 'મન કી બાત'માં PM મોદીની અપીલ

ખેડૂતોની સમસ્યાનું સમાધાન માત્ર ભાજપ પાસે

કેરલમના ખેડૂતોની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતા પીએમ મોદીએ કહ્યું કે, રાજ્યમાં ડાંગરની ખરીદીમાં વિલંબ અને સમયસર નાણાં ન મળવાને કારણે હજારો ખેડૂતો પરેશાન છે. તેમણે ખાતરી આપી હતી કે, "ખેડૂતોની સમસ્યાઓનું સમાધાન જો કોઈ કરી શકે તેમ હોય તો તે ભાજપ છે. અમે MSPમાં પણ વધારો કર્યો છે, પરંતુ રાજ્ય સરકાર ખેડૂતોને લાભ આપવાને બદલે તેમને દેવામાં ધકેલી રહી છે. NDA સરકાર આવશે તો ખેડૂતોને આ સમસ્યામાંથી ચોક્કસ રાહત મળશે, આ મોદીની ગેરંટી છે."

LDF-UDF ના ભ્રષ્ટાચાર પર પ્રહાર

વડાપ્રધાને કેરલમના બંને મુખ્ય રાજકીય ગઠબંધન LDF અને UDF પર નિશાન સાધતા કહ્યું કે, આ બંને પક્ષો ભ્રષ્ટાચારી છે અને ભાજપથી ડરેલા છે. તેમણે આરોપ લગાવ્યો કે, દાયકાઓથી આ બંને પક્ષોએ મોટા કૌભાંડો કર્યા છે, પરંતુ એકબીજા સામે ક્યારેય કાર્યવાહી કરતા નથી. તેમણે જનતાને વિશ્વાસ અપાવ્યો કે જો ભાજપ સત્તામાં આવશે તો આ તમામ કૌભાંડોની તપાસ કરવામાં આવશે.