મોદી 3.0માં રાજનાથ, અમિત શાહ, ગડકરી સહિત 30 કેન્દ્રીય મંત્રી, પાંચને સ્વતંત્ર વિભાગ તો 36 રાજ્ય મંત્રી
PM Modi Oath ceremony Live : લોકસભા ચૂંટણીમાં NDAની જીત બાદ આજે નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદના શપથ લીધા છે. આ ઉપરાંત તેમની સાથે કેબિનેટ મંત્રી તરીકે 30 સાંસદો અને રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) તરીકે પાંચ નેતાઓએ શપથગ્રહણ કર્યા છે. તેમજ મોદી 3.0માં રાજ્ય મંત્રી તરીકે 36 નેતાઓનો સમાવેશ કરાયો છે. જવાહરલાલ નેહરુ બાદ નરેન્દ્ર મોદી દેશના એવા બીજા નેતા છે જે સતત ત્રીજી વખત આ જવાબદારી મળી છે. દેશની નવી સરકારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત કુલ 31 કેન્દ્રીય મંત્રી, પાંચ રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) અને 36 રાજ્ય કક્ષાના મંત્રી સામેલ કરાયા છે.
શપથવિધિ સમારોહના LIVE દ્રશ્યો:
વડાપ્રધાનપદે નરેન્દ્ર મોદીએ શપથ લીધા પછી આ નેતાઓએ લીધા મંત્રીપદ માટે શપથ
કેબિનેટ મંત્રી
• નરેન્દ્ર મોદી - વડાપ્રધાન પદ
• રાજનાથ સિંહ
• અમિત શાહ
• નીતિન ગડકરી
• જે.પી. નડ્ડા
• શિવરાજ સિંહ ચૌહાણ
• નિર્મલા સીતારમણ
• એસ.જયશંકર
• મનોહરલાલ ખટ્ટર
• એચ.ડી.કુમારસ્વામી
• પિયૂષ ગોયલ
• ધર્મેન્દ્ર પ્રધાન
• જિતનરામ માંઝી
• લલન સિંહ
• સર્બાનંદ સોનોવલ
• ડૉ. વિરેન્દ્ર કુમાર
• રામમોહન નાયડુ
• પ્રહલાદ જોશી
• જુએલ ઓરાંવ
• ગિરિરાજ સિંઘ
• અશ્વિની વૈષ્ણ્વ
• જ્યોતિરાદિત્ય સિંધિયા
• ભૂપેન્દ્ર યાદવ
• ગજેન્દ્ર સિંહ શેખાવત
• શ્રીમતી અન્નપૂર્ણા દેવી
• કિરેન રિજિજૂ
• હરદીપ સિંહ પુરી
• ડૉ. મનસુખ માંડવિયા
• ગંગાપુરમ કિશન રેડ્ડી
• ચિરાગ પાસવાન
• સી.આર.પાટીલ
રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો)
• ઈન્દ્રજીતસિંહ રાવ
• ડૉ.જીતેન્દ્ર સિંઘ
• અર્જુન રામ મેઘવાલ
• પ્રતાપરાવ ગણપતરાવ જાધવ
• જયંત ચૌધરી
રાજ્યમંત્રી
• જીતીન પ્રસાદ
• શ્રીપદ યશો નાઈક
• પંકજ ચૌધરી
• કૃષ્ણ પાલ
• રામદાસ અઠાવલે
• રામનાથ ઠાકુર
• નિત્યાનંદ રાય
• શ્રીમતી અનુપ્રિયા પટેલ
• વી. સોમન્ના
• ડૉ.ચંદ્રશેખર પેમ્માસાની
• પ્રો.એસ.પી.સિંહ બઘેલ
• સુશ્રી શોભા કરાંદલાજે
• કીર્તિવર્ધન સિંઘ
• બનવારી લાલ વર્મા
• શાંતનુ ઠાકુર
• સુરેશ ગોપી
• ડૉ. એલ.મુરુગન
• અજય ટમટા
• બંડી સંજય કુમાર
• કમલેશ પાસવાન
• ભગીરથ ચૌધરી
• સતીષચંદ્ર દુબે
• સંજય સેઠ
• રવનીત સિંહ
• દુર્ગાદાસ ઉડકે
• શ્રીમતી રક્ષા નિખિલ ખડસે
• સુકાંતા મજૂમદાર
• શ્રીમતી સાવિત્રી ઠાકુર
• તોખન સાહૂ
• રાજભૂષણ ચૌધરી
• ભૂપતિરાજુ શ્રીનિવાસ વર્મા
• હર્ષ મલ્હોત્રા
• નિમુબેન જયંતીભાઈ બાંભણિયા
• મુરલીધર મોહોલ
• જોર્જ કુરિયન
• પબિત્રા માર્ગેરિટા
ચીનના રાજદૂતે પીએમ મોદીને અભિનંદન પાઠવ્યા
ભારતમાં ચીનના રાજદૂત Xu Feihong ટ્વિટર પર લખ્યું છે કે, નરેન્દ્ર મોદીજીને ભારતના વડાપ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળવા બદલ અભિનંદન. એવી આશા છે કે રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને વડાપ્રધાન મોદી વચ્ચે થયેલી સર્વસંમતિ બાદ ચીન અને ભારત મજબૂત અને સ્થિર ચીન-ભારત સંબંધોનું નિર્માણ કરવાનું ચાલુ રાખશે.
બંધારણીય જવાબદારીના કારણે હું જઈ રહ્યો છું : ખડગે
કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, ‘અમે આ સમારોહમાં એટલા માટે જઈ રહ્યા છીએ કારણ કે, અમારી એક બંધારણીય જવાબદારી છે. રાજ્યસભામાં વિપક્ષના નેતા હોવાના નાતે હું આ કાર્યક્રમમાં જઈ રહ્યો છું. આ સરકારનું વલણ કેવું છે, તે દરેક લોકો જાણે છે. તેઓ હંમેશા વિપક્ષનું અપમાન કરતા રહ્યા છે, પરંતુ રાજ્યસભામાં વિપક્ષના નેતા તરીકે હું આ જવાબદારી નિભાવી રહ્યો છું.’
અમિત શાહ, મુકેશ અંબાણી, શાહરૂખ ખાન સહિતના દિગ્ગજો પહોંચ્યા
પૂર્વ રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ, ભાજપનાના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશી, ચંદ્રાબાબુ નાયડુ અને નીતિશ કુમાર પણ રાષ્ટ્રપતિ ભવન પહોંચી ગયા છે. આ ઉપરાંત રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી, અભિનેતા શાહરૂખ ખાન, પ્રસૂન જોશી, કંગના રનૌત સહિત ઘણા મહેમાનો શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા છે.
અક્ષય કુમાર, અજિત પવાર સહિતના દિગ્ગજોનું આગમન
સમારોહમાં બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને એનસીપીના વડા અજિત પવાર, ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી, જમ્મુ-કાશ્મીરના ઉપ રાજ્યપાલ મનોજ સિન્હા સહિતના દિગ્ગજો પહોંચી ગયા છે.
અક્ષય કુમાર, અજિત પવાર સહિતના દિગ્ગજોનું આગમન સમારોહમાં બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને એનસીપીના વડા અજિત પવાર, ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી, જમ્મુ-કાશ્મીરના ઉપ રાજ્યપાલ મનોજ સિન્હા સહિતના દિગ્ગજો પહોંચી ગયા છે.
જગદગુરુ રામભદ્રાચાર્ય સમારોહમાં પહોંચ્યા
જગદગુરુ રામભદ્રાચાર્ય વડાપ્રધાન-નિયુક્ત નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે રાષ્ટ્રપતિ ભવન પહોંચી ગયા છે. આ ઉપરાંત ભાજપ નેતા ગિરિરાજ સિંહ, નિર્મલા સિતારામન, હરદીપ સિંહ પુરી, ભાજપના વિજેતા સાંસદ ગજેન્દ્ર સિંહ શેખાવત, મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વિજેતા સાંસદ શિવરાજ સિંહ ચૌહાણ સહિતના દિગ્ગજો સમારોહમાં પહોંચી ગયા છે.
ચિરાગ પાસવાન માતા સાથે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા
ચિરાગ પાસવાન માતા સાથે રાષ્ટ્રપતિ ભવન પહોંચી ગયા છે. તેઓ આજે મંત્રી પદના શપથ લેશે. ચિરાગે કહ્યું કે, વડાપ્રધાને અમારામાં જે વિશ્વાસ વ્યક્ત કર્યો છે તે અમે નિશ્ચિતપણે ખરા ઉતર્યા છીએ. આજે મંત્રી બનવા જઈ રહ્યા છીએ. ચિરાગ પાસવાનની માતા રીના પાસવાને કહ્યું કે, આ અમારા માટે ખૂબ જ ખુશીનો દિવસ છે કે, પુત્ર મંત્રી બનવા જઈ રહ્યો છે.
કેરળમાં ભાજપનું ખાતું ખોલાવનાર સુરેશ ગોપી પણ મંત્રી બનશે
કેરળમાં ભાજપનું ખાતું ખોલાવનાર સુરેશ ગોપીને પણ મંત્રી બનાવવામાં આવશે. આ વખતે તેમણે કેરળની ત્રિશૂર સીટ જીતીને પહેલીવાર ભાજપને બેઠક અપાવી છે.
દિલ્હી મેટ્રોના બે સ્ટેશન બંધ
નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહને ધ્યાનમાં રાખીને દિલ્હી મેટ્રો સ્ટેશનના બે સ્ટેશન બંધ કરી દેવામાં આવ્યા છે. સુરક્ષાના કારણોસર કેન્દ્રીય સચિવાલય અને ઉદ્યોગ ભવન મેટ્રો સ્ટેશન બંધ રાખવામાં આવ્યા છે. જો કે, પેસેન્જર સેન્ટ્રલ સેક્રેટેરિયટ ઈન્ટરચેજન થઈ શકશે.
‘મોદીએ અમને મજૂરોને હીરો બનાવ્યા’
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે ઘણા મજૂરોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ મજૂરોએ કહ્યું કે, ‘અમે સુપર વીવીઆઈપી જેવો અનુભવ કરી રહ્યા છીએ. ઘર અને ગામડામાંથી ઘણા લોકોના ફોન સતત આવી રહ્યા છે. વડાપ્રધાન મોદીજીએ અમને મજૂરોમાંથી હીરો બનાવી દીધા.’
AAP નેતા સંજય સિંહે શું કહ્યું?
આમ આદમી પાર્ટી (AAP)ના નેતા અને રાજ્યસભાના સભ્ય સંજય સિંહે રવિવારે દાવો કર્યો હતો કે, નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બની રહેલી નવી સરકાર એક વર્ષની અંદર પડી જશે. અહીં સર્કિટ હાઉસમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું કે, ‘આ સરકાર (મોદી સરકાર) બનવા જઈ રહી છે, તેની ઉંમર 6 મહિનાથી એક વર્ષ સુધીની છે. આ સરકાર આનાથી વધુ સમય નહીં ચાલે. અગાઉની એનડીએની એક સરકાર 13 દિવસ ચાલી, ત્યારબાદ બીજી એક સરકાર 13 મહિના ચાલી અને વર્તમાન સરકાર છ મહિનાથી એક વર્ષની અંદર પડી જશે.
છેલ્લા 10 વર્ષમાં જે કામો કર્યા છે, તે ચાલુ રાખીશું : જી.કિશન રેડ્ડી
તેલંગાણા ભાજપના પ્રમુખ જી.કિશન રેડ્ડીએ કહ્યું કે, મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેનાર બીજા વ્યક્તિ હશે. નરેન્દ્ર મોદીએ છેલ્લા 10 વર્ષમાં દેશમાં ભ્રષ્ટાચાર રોકવા, આતંકવાદને રોકવા, ગરીબોની સેવા કરવા માટે જે પણ કામ કર્યું છે તે આગામી 5 વર્ષમાં વધુ જોશ સાથે ચાલુ રહેશે.
ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા શપથ લેશે
ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડા પણ મોદી કેબિનેટનો હિસ્સો હશે. તેઓ આજે મોદી અને અન્ય સાંસદો સાથે રાષ્ટ્રપતિ ભવનમાં શપથ લેશે. આ પહેલા જેપી નડ્ડા 2014માં પણ મોદી કેબિનેટનો હિસ્સો રહી ચૂક્યા છે.
મોદીએ અમને 100 દિવસનો એક્શન પ્લાન તૈયાર કરવા કહ્યું : ટીડીપી સાંસદ
નરેન્દ્ર મોદી સાથે ચા બેઠકમાં હાજરી આપ્યા બાદ ટીડીપી સાંસદ ચંદ્ર શેખર પેમ્માસાનીએ કહ્યું કે, ‘નરેન્દ્ર મોદીએ અમને કહ્યું છે કે, અમારે કેવું વર્તન કરવું જોઈએ, કારણ કે અમે જે પણ કરીશું તે લોકો જોશે. તેમણે અમને 100 દિવસનો એક્શન પ્લાન તૈયાર કરવા પણ કહ્યું હતું.’
ભોજપુરી ફિલ્મના સુપરસ્ટાર રવિ કિશન સમારોહમાં પહોંચ્યા
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ગઢ ગણાતા ગોરખપુરથી સતત બીજી વખત લોકસભા ચૂંટણી જીતીને ભોજપુરી ફિલ્મના સુપરસ્ટાર રવિ કિશન સંસદમાં પહોંચ્યા છે. મોદી 3.0ના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે રાષ્ટ્રપતિ ભવન પહોંચેલા રવિ કિશને વિપક્ષ પર કટાક્ષ કર્યો છે કે, એવું સાંભળવા મળ્યું છે કે, ઘણા લોકોને વાઈના હુમલા થઈ રહ્યા છે.
ભારતીયોએ ફરી એક મજબૂત સરકાર પસંદ કરી : કૈલાશ ખેર
લોકપ્રિય ગાયક કૈલાશ ખેરે કહ્યું કે, ભારત અને તમામ ભારતીયોને ખૂબ ખૂબ અભિનંદન કે તેઓએ ફરી એકવાર મજબૂત સરકાર પસંદ કરવાનો પ્રયાસ કર્યો છે. જો વધુ મતદાન થયું હોત તો વધુ સારા પરિણામો આવ્યા હોત.
રાષ્ટ્રપતિ ભવન ખાતે મહેમાનોનું આગમન શરૂ
વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી અને નવા મંત્રી પરિષદના સભ્યોને આશીર્વાદ આપવા માટે ટ્રાન્સજેન્ડર સમુદાયના લગભગ 50 લોકોને શપથ ગ્રહણ સમારોહમાં આમંત્રણ આપવામાં આવ્યું છે. સમારોહ પહેલા ભાજપના સાંસદ અને ભૂતપૂર્વ સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી વીરેન્દ્ર કુમારે તેમના નિવાસસ્થાને સમુદાયના સભ્યોનું સન્માન કર્યું હતું.
અજિત પવાર રાજ્ય મંત્રી પદ મળતા નારાજ
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને એનસીપીના વડા અજિત પવાર વડાપ્રધાનના શપથગ્રહણ સમારોહમાં હાજરી આપવાા છે. જોકે તે પહેલા તેમણે રાજ્યમંત્રી પદની ઓફર અંગે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, ‘પ્રફુલ પટેલ કેન્દ્ર સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે કામ કરી ચૂક્યા છે, તેથી અમને સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્યમંત્રી પદ આપવું યોગ્ય નથી. ભાજપે અમને કહ્યું છે કે, અમે તમને કેબિનેટમાં પદ આપવા તૈયારી છીએ, પરંતુ તમારે થોડા દિવસો રાહ જોવી પડશે. આજે અમારી પાસે એક લોકસભા અને એક રાજ્યસભા સાંસદ છે, પરંતુ આગામી 2-3 મહિનામાં રાજ્યસભામાં અમારી પાસે કુલ ત્રણ સભ્યો હશે અને સંસદમાં અમારા સાંસદોની સંખ્યા ચાર થઈ જશે. તેથી અમે કહ્યું કે અમને કેબિનેટ મંત્રાલયમાં એક બેઠક આપવી જોઈએ.’
પ્રફુલ્લ પટેલને સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્યમંત્રીનું પદ
એનસીપી નેતા પ્રફુલ્લ પટેલે કહ્યું કે, અમને સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્યમંત્રી વિશે માહિતી અપાઈ હતી. હું પોતે અગાઉ કેન્દ્ર સરકારનો કેબિનેટ મંત્રી રહી ચૂક્યો છું. અમે ખુશ છીએ કે તેમણે અમને જાણ કરી, પરંતુ મારા માટે આ પોસ્ટ લેવી થોડી મુશ્કેલ છે. હાલ રાજકારણમાં જે અટકળો ચાલી રહી છે તે ખોટી છે, અમારે કોઈ મતભેદ નથી.
ફડણવીસે ગડકરીને અભિનંદન પાઠવ્યા
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આજે દિલ્હી સ્થિત નીતિન ગડકરીના નિવાસસ્થાને પહોંચ્યા હતા, જ્યાં તેમણે ગડકરીને અભિનંદન પાઠવ્યા હતા.
મંત્રી પદ ગુમાવ્યા બાદ અનુરાગ ઠાકુરે કહ્યું- કાર્યકર્તાના રૂપે કામ કરતો રહીશ
ભારતીય જનતા પાર્ટીના યુવા નેતા અનુરાગ ઠાકુરને નવી સરકારમાં મંત્રી તરીકે સામેલ કરવામાં આવ્યા નથી. એવામાં તેમણે મીડિયા સાથે વાતચીતમાં કહ્યું હતું, કે 'નવા મંત્રીમંડળને શુભકામનાઓ પાઠવું છું. હું સાંસદ હતો અને આજે પણ સાંસદ છું. પાર્ટીના કાર્યકર્તા રૂપે ભવિષ્યમાં પણ કામ કરતો રહીશ. તેમણે એમ પણ કહ્યું કે, પક્ષે અમને ઘણું આપ્યું છે.
નડ્ડા બાદ કોણ બનશે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ
ભારતીય જનતા પાર્ટીને થોડા જ દિવસમાં નવા રાષ્ટ્રીય અધ્યક્ષ પણ મળી શકે છે. એવામાં રેસમાં ઘણા નામો ચર્ચાઇ રહ્યા છે. જેમાં સૌથી ભૂપેન્દ્ર યાદવનું નામ સૌથી મોખરે છે.
નડ્ડાના નિવાસ સ્થાને ડિનર
મંત્રી બનનાર તમામ સાંસદોને નરેન્દ્ર મોદીએ સવારે વડાપ્રધાનના આવાસ પર બોલાવ્યા હતા. શપથવિધિ તમામ સાંસદો માટે જેપી નડ્ડાના નિવાસસ્થાને જમણવારનું આયોજન કરવામાં આવ્યું છે.
શપથવિધિ અગાઉ ભાજપના સાથી પક્ષમાં વિવાદ
નોંધનીય છે કે શપથવિધિ અગાઉ NCP સાથે ભાજપનો વિવાદ જોવા મળ્યો હતો. વડાપ્રધાનના આવાસ પર NCPના કોઈ નેતા પહોંચ્યા નહોતા. બાદમાં ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવિસે સ્પષ્ટતા કરી હતી, કે 'અમે NCPને રાજ્યમંત્રી સ્વતંત્ર પ્રભાર આપવા તૈયાર હતા. પરંતુ NCPએ કેબિનેટ મંત્રી પદની માંગ કરી. જે બાદ અમે તેમને વિચાર કરવા માટે સમય આપ્યો હતો.'
મોદી સરકાર 3.0ના તમામ મંત્રીઓ સાથે નરેન્દ્ર મોદીની બેઠક
આજે શપથવિધિ અગાઉ નરેન્દ્ર મોદીએ આજે તમામ મંત્રીઓને બેઠક માટે બોલાવ્યા હતા. આ મંત્રીઓને નરેન્દ્ર મોદીએ આગામી પાંચ વર્ષ માટે સરકારના એજન્ડાને લઈને સૂચનો આપ્યા હતા. 2047માં વિકસિત ભારતના એજન્ડા પર ચર્ચા કરવામાં આવી. નરેન્દ્ર મોદીએ નવા મંત્રીઓને ટકોર કરી હતી કે પરિયોજના જલ્દી પૂર્ણ થાય તેના પર ખાસ ધ્યાન આપજો.