India

વસતી ગણતરી 2027: PM મોદીની ડિજિટલ નોંધણીની અપીલ, કહ્યું- આ માત્ર સરકારી કામ નથી, આપણી જવાબદારી છે

By GS TEAM
26 Apr 20262 mins read
TukuTouch Logo
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે 'મન કી બાત' કાર્યક્રમ દ્વારા દેશવાસીઓને વિશ્વની સૌથી મોટી વસ્તીગણતરી (Census 2027) ને સફળ બનાવવા હાકલ કરી છે. પીએમ મોદીએ જણાવ્યું કે, આ વખતે જનગણના પ્રક્રિયામાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે અને તેને સંપૂર્ણપણે ડિજિટલ બનાવવામાં આવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વસતી ગણતરી 2027: PM મોદીની ડિજિટલ નોંધણીની અપીલ, કહ્યું- આ માત્ર સરકારી કામ નથી, આપણી જવાબદારી છે

PM Modi Mann Ki Baat Census 2027: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે 'મન કી બાત' કાર્યક્રમ દ્વારા દેશવાસીઓને વિશ્વની સૌથી મોટી વસ્તીગણતરી (Census 2027) ને સફળ બનાવવા હાકલ કરી છે. પીએમ મોદીએ જણાવ્યું કે, આ વખતે જનગણના પ્રક્રિયામાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે અને તેને સંપૂર્ણપણે ડિજિટલ બનાવવામાં આવી છે.

વસ્તીગણતરી હવે ડિજિટલ અને પેપરલેસ

પીએમ મોદીએ માહિતી આપી હતી કે, આ વખતે વસ્તીગણતરીનો અનુભવ સાવ અલગ હશે. ઘર-ઘર આવનારા કર્મચારીઓ પાસે મોબાઈલ એપ હશે, જેમાં તેઓ વિગતો નોંધશે. આ અભિયાન માત્ર સરકારી કામ નથી, પરંતુ દરેક ભારતીયની જવાબદારી છે.

આ પણ વાંચો : પંજાબ સરકારે હરભજનની Z+ સિક્યુરિટી હટાવતા ગૃહ મંત્રાલયે આપી CRPF સુરક્ષા, અન્ય સાંસદોને પણ કેન્દ્રનું કવચ

સેલ્ફ-એન્યુમરેશનની સુવિધા

આ વખતે સામાન્ય જનતા માટે પ્રક્રિયાને વધુ સરળ બનાવવામાં આવી છે. નાગરિકો હવે પોતે જ પોતાની વિગતો ડિજિટલ માધ્યમથી નોંધી શકશે. ગણતરી કર્મચારી ઘરે આવે તેના 15 દિવસ પહેલા આ સુવિધા શરૂ થશે. તમે તમારી અનુકૂળતા મુજબ વિગતો ભરી શકશો. પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ તમને એક ખાસ આઈડી (ID) મળશે. જ્યારે કર્મચારી ઘરે આવે ત્યારે માત્ર આ આઈડી બતાવવાથી તમારી વિગતોની પુષ્ટિ થઈ જશે, ફરીથી માહિતી આપવાની જરૂર રહેશે નહીં.

ડેટાની સુરક્ષા અને ગોપનીયતા

વડાપ્રધાને દેશવાસીઓને આશ્વાસન આપ્યું હતું કે, તેમના દ્વારા આપવામાં આવેલી તમામ જાણકારી સંપૂર્ણપણે સુરક્ષિત અને ગોપનીય રાખવામાં આવશે. અત્યાર સુધીમાં અંદાજે 1 કરોડ 20 લાખ પરિવારોના મકાનના લિસ્ટિંગનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. પીએમ મોદીએ અંતમાં અપીલ કરી હતી કે, આવો, આપણે સૌ સાથે મળીને આ પ્રક્રિયામાં ભાગ લઈએ અને દેશના વિકાસ માટે સચોટ માહિતી પૂરી પાડીએ.