India

પટના જઈ રહેલા ઇન્ડિગો વિમાનના વ્હીલમાં થયું પંચર, રાંચી ઍરપોર્ટ પર મુસાફરોમાં હડકંપ મચ્યો

By GS TEAM
27 Jun 20251 min read
TukuTouch Logo
ઝારખંડની રાજધાની રાંચીના બિરસા મુંડા ઍરપોર્ટ પર શુક્રવાર બપોરે મોટી દુર્ઘટના ટળી હતી. પટના જઈ રહેલું ઇન્ડિગો વિમાનનું ટાયર પંચર થઈ ગયું. જે બાદ આ વિમાનને રાંચીમાં જ ગ્રાઉન્ડેડ કરવું પડ્યું. આ વિમાનમાં લખનઉ જનારા મુસાફર પણ સવાર હતા. ઘટનાની જાણ થતાં જ તમામ મુસાફરોમાં હડકંપ મચી ગયો. ત્યારબાદ ફ્લાઇટ કેન્સલ કરી દેવાઈ, જેને લઈને મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

પટના જઈ રહેલા ઇન્ડિગો વિમાનના વ્હીલમાં થયું પંચર, રાંચી ઍરપોર્ટ પર મુસાફરોમાં હડકંપ મચ્યો

ઝારખંડની રાજધાની રાંચીના બિરસા મુંડા ઍરપોર્ટ પર શુક્રવાર બપોરે મોટી દુર્ઘટના ટળી હતી. પટના જઈ રહેલું ઇન્ડિગો વિમાનનું ટાયર પંચર થઈ ગયું. જે બાદ આ વિમાનને રાંચીમાં જ ગ્રાઉન્ડેડ કરવું પડ્યું. આ વિમાનમાં લખનઉ જનારા મુસાફર પણ સવાર હતા. ઘટનાની જાણ થતાં જ તમામ મુસાફરોમાં હડકંપ મચી ગયો. ત્યારબાદ ફ્લાઇટ કેન્સલ કરી દેવાઈ, જેને લઈને મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.

મળતી માહિતી અનુસાર, આ વિમાન બપોરે 3:15 વાગ્યે કોલકાતાથી રાંચી લેન્ડ થયું હતું. લેન્ડિંગ બાદ જ્યારે એપ્રન પર વિમાનનું રેગ્યુલર ચેકિંગ કરાયું તો આગળના વ્હીલમાં ટેક્નિકલ ખામી સામે આવી. જેને લઈને ફ્લાઇટ કેન્સલ કરવી પડી અને પટના જનારા મુસાફરોને ટેક્સીથી પટના માટે રવાના કરાયા, જેના બાદ પટનાથી લખનઉ જનારા મુસાફરોને કનેક્ટિવ ફ્લાઇટથી દિલ્હી મોકલાયા. ઇન્ડિગો એરલાઇન્સના અનુસાર, વિમાન મોડી રાત્રે રાંચીથી ઉડાન ભરશે.