Get The App

દેખ રહે હો વિનોદ.. પંચાયતવાળા બનરાકસે બિહારમાં જેને પણ વોટ આપ્યો તે ચૂંટણી ન જીતી શક્યા

Updated: Oct 17th, 2025

GS TEAM

Google News
Google News
Durgesh Kumar

Durgesh Kumar: લોકપ્રિય વેબસીરીઝ 'પંચાયત'માં 'બનરાકસ'નું પાત્ર ભજવનાર દરભંગાના અભિનેતા દુર્ગેશ કુમારે બિહારની ચૂંટણીને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, વાસ્તવિક જીવનમાં ચૂંટણી અંગે મારો અનુભવ અલગ છે. તેમણે પોતાના વિધાનસભા ક્ષેત્ર અલીનગરમાં (જ્યાંથી ભાજપે મૈથિલી ઠાકુરને ઉમેદવાર બનાવ્યા છે) આજ સુધી જે પણ ઉમેદવારને વોટ આપ્યો છે, તે ક્યારેય ચૂંટણી જીત્યો નથી.

'બે કરોડ રૂપિયામાં ટિકિટ વેચાય છે': દુર્ગેશ કુમાર

દુર્ગેશ કુમારે જણાવ્યું, 'મારી પાસે અલીનગર વિધાનસભા ક્ષેત્રનું વોટર આઈડી કાર્ડ છે. હું ત્યાં દર વખતે એક યોગ્ય ઉમેદવારને વોટ આપું છું, હવે કોને આપું છું તે નહીં જણાવું. તે જીતતો જ નથી તો હું શું કરું, ત્યાં કોણ જીતે છે ખબર છે? શું તમને ખબર છે કે અહીં બે કરોડ રૂપિયામાં ટિકિટ વેચાય છે. કઈ પાર્ટી છે, ડેટ, ટાઈમ જણાવીશ તમને, બે કરોડ રૂપિયામાં બિહારમાં ટિકિટ વેચાય છે.'

દુર્ગેશે રંગમંચથી કરી હતી શરૂઆત

દરભંગાના રહેવાસી દુર્ગેશ કુમાર આજે બિહારના એવા કલાકારોમાંના એક તરીકે ગણાય છે જેમણે કોઈ ગોડફાધરની મદદ વગર પોતાના અભિનયથી દર્શકોના દિલ જીત્યા છે. તેમણે ગામના નુક્કડ નાટકો અને કોલેજની ડ્રામા સ્પર્ધાઓથી પોતાના સફરની શરૂઆત કરી હતી. રંગમંચ દ્વારા થિયેટરની બારીકાઈઓ સમજ્યા પછી, તેમણે અભિનયને પોતાની ઓળખ બનાવી.

આ પણ વાંચો: 'કોઈ સાંભળતું નથી...' ભારતીય ઉદ્યોગો સામે કેમ ભડક્યાં મોદી સરકારના મંત્રી? જાણો મામલો

દુર્ગેશ માને છે કે અભિનય એ માત્ર સંવાદ બોલવાની કળા નથી, પરંતુ જીવનને સમજવાની રીત છે. 'પંચાયત' વેબસીરીઝમાં તેમના 'બનરાકસ' પાત્રમાં હાસ્ય અને સત્યના સ્તરોએ તેને દર્શકોના હૃદયમાં અમર કરી દીધું છે, ભલે તે એક નાના ગામના પાત્ર હોય.

પાત્ર માટે પસંદગી થતાં, તેમણે ગામની બોલચાલ, ગ્રામ્ય હાવભાવ અને ગ્રામીણ જીવનની વાસ્તવિકતાનો નજીકથી અનુભવ કર્યો. આ જ કારણ છે કે 'પંચાયત'નું દરેક દૃશ્ય એટલું જીવંત અને સચોટ લાગે છે.

દેખ રહે હો વિનોદ.. પંચાયતવાળા બનરાકસે બિહારમાં જેને પણ વોટ આપ્યો તે ચૂંટણી ન જીતી શક્યા 2 - image