India

'અમારું ગઠબંધન વિચારધારા પર ટકેલું, આગળ યથાવત્ જ રહેશે..' ખટપટ વચ્ચે શિંદેનું નિવેદન

By GS TEAM
29 Nov 20252 mins read
TukuTouch Logo
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે રાજ્યમાં સત્તાધારી મહાયુતિ ગઠબંધન વિચારધારા પર આધારિત છે અને તે આગળ પણ ચાલુ રહેશે. તેમણે સ્પષ્ટતા કરી કે શિવસેના (શિંદે જૂથ) અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) નું ગઠબંધન પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી, વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી અને શિવસેનાના સ્થાપક બાળાસાહેબ ઠાકરેના આદર્શો પર ટકેલું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'અમારું ગઠબંધન વિચારધારા પર ટકેલું, આગળ યથાવત્ જ રહેશે..' ખટપટ વચ્ચે શિંદેનું નિવેદન

Eknath Shinde News : મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે રાજ્યમાં સત્તાધારી મહાયુતિ ગઠબંધન વિચારધારા પર આધારિત છે અને તે આગળ પણ ચાલુ રહેશે. તેમણે સ્પષ્ટતા કરી કે શિવસેના (શિંદે જૂથ) અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) નું ગઠબંધન પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી, વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી અને શિવસેનાના સ્થાપક બાળાસાહેબ ઠાકરેના આદર્શો પર ટકેલું છે.

'વિચારધારા પર આધારિત છે અમારું ગઠબંધન'

એકનાથ શિંદેએ મહારાષ્ટ્ર ભાજપના પ્રમુખ રવીન્દ્ર ચવ્હાણની એક ટિપ્પણીના જવાબમાં આ નિવેદન આપ્યું હતું. ગુરુવારે રવીન્દ્ર ચવ્હાણે કહ્યું હતું કે, "હું 2 ડિસેમ્બર સુધી ગઠબંધનને બચાવવા માંગુ છું. આક્ષેપો પર પછીથી જવાબ આપીશ." આ ટિપ્પણીનો જવાબ આપતાં શિંદેએ કહ્યું, "અમારું ગઠબંધન લાંબા સમયથી વિચારધારા પર આધારિત છે અને તે આગળ પણ ચાલતું રહેશે."

ચૂંટણી પહેલાં ગઠબંધનમાં તણાવ

2 ડિસેમ્બરથી શરૂ થનારી મહારાષ્ટ્રની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી પહેલાં શિવસેના (શિંદે જૂથ) અને ભાજપ વચ્ચે તણાવ વધેલો છે. આ ઉપરાંત, સુપ્રીમ કોર્ટમાં OBC અનામત ને લઈને કાયદાકીય પડકાર પણ ગઠબંધન માટે મોટી મુશ્કેલી બની રહ્યો છે. 2 ડિસેમ્બરે 246 નગર પરિષદો અને 42 નગર પંચાયતો માટે ચૂંટણી યોજાવાની છે. ભાજપ, શિંદે જૂથની શિવસેના અને અજિત પવારની NCPથી બનેલા ગઠબંધન માટે આ ચૂંટણીઓ પ્રથમ મોટી રાજકીય કસોટી સમાન હશે.

સુપ્રીમ કોર્ટનો ચુકાદો અને આંતરિક ખેંચતાણ

સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી છે કે જે 57 નિકાયોમાં 50 ટકા અનામતની મર્યાદાનું ઉલ્લંઘન થયું છે, ત્યાંના પરિણામો તેના અંતિમ નિર્ણયને આધીન રહેશે. રાજ્ય ચૂંટણી પંચે પણ આ વાતની પુષ્ટિ કરી છે. જોકે, ગઠબંધનમાં આંતરિક ખેંચતાણ, નેતાઓ અને કાર્યકરોની નારાજગીને કારણે તણાવ વધ્યો છે. ખાસ કરીને ઠાણે અને કલ્યાણ-ડોમ્બિવલી જેવા વિસ્તારોમાં આ સંઘર્ષ વધુ જોવા મળી રહ્યો છે, જે એકનાથ શિંદેનો ગઢ માનવામાં આવે છે.