ઓડિશા-ઝારખંડ બોર્ડર પર ભયાનક બ્લાસ્ટ, CRPFનો એક જવાન શહીદ
CRPF Soldier Martyred : ઓડિશા-ઝારખંડ બોર્ડર પર આજે (14 જૂન) ભયાનક આઈઈડી વિસ્ફોટ થતાં સીઆરપીએફના એક જવાન શહીદ થયા છે. નક્સલ વિરોધી અભિયાન ચલાવી રહેલા સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના જવાનો, બંને રાજ્યોની પોલીસે સંયુક્ત અભિયાન હાથ ધરી હથિયારો અને હથિયારો લૂંટનારા નક્સલીઓને શોધવા માટે જંગલમાં ગયા હતા. આ દરમિયાન અચાનક બ્લાસ્ટ થતા ઉત્તર પ્રદેશના જવાન શહીદ થયા છે.
ઉત્તર પ્રદેશના CRPF જવાન શહીદ
અધિકારીઓએ કહ્યું કે, ‘ઉત્તર પ્રદેશના કુશીનગરના રહેવાસી આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર સત્યવાન કુમાર સિંહ શહીદ થયા છે. તેઓ સીઆરપીએફની 134મી બટાલિયમાં હતા. નક્સલીઓ દ્વારા લૂંટવામાં આવેલા હથિયારોની શોધખોળ દરમિયાન આ ઘટના બની છે. તેઓ ઓડિશા પોલીસ, ઝારખંડ પોલીસ અને સીઆરપીએફ સાથે સંયુક્ત અભિયાનમાં સામેલ હતા.
राउरकेला (ओड़िशा) के लांगलकाटा क्षेत्र में चल रहे माओवाद विरोधी अभियान के दौरान दिनांक 14 जून 2025 को हुए आईईडी विस्फोट में #CRPF की 134 बटालियन के बहादुर सहायक उप निरीक्षक सत्यवान कुमार सिंह ने कर्तव्य की बलिवेदी पर अपने प्राणों की आहुति दी।
— 🇮🇳CRPF🇮🇳 (@crpfindia) June 14, 2025
अपने शूरवीर के अदम्य साहस, शौर्य… pic.twitter.com/LWZcj4VUvI
આ પણ વાંચો : આસામ બોર્ડર નજીક ધુબરી જિલ્લામાં તંગદિલી, CM હિમંતાએ આપ્યો શુટ એટ સાઈટનો ઓર્ડર
IEDમાં વિસ્ફોટના કારણે થયું મોત
સીઆરપીએફએ કહ્યું કે, ‘નક્સલ વિરોધી અભિયાન ચલાવી રહેલી અમારી ટીમ જંગલમાં પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન જમીનમાં છુપાવાયેલ ઈમ્પ્રોવાઈજ્ડ એક્સપ્લોસિવ ડિવાઈસ (IED) બ્લાસ્ટ થયો હતો, જેમાં ASI સત્યવાન કુમાર ગંભીર ઈજાગ્રસ્ત થતા તેમને તાત્કાલીક રાઉરકેલા હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેમનું મોત થયું છે.
CRPFએ એક્સ પર પોસ્ટ શેર કરી
સીઆરપીએફના સોશિયલ મીડિયા એકાઉન્ટ એક્સ પર ASI સત્યવાન કુમાર શહીદ થયા હોવાની પોસ્ટ કરીને તેમના સાહસને બિરદાવી છે. ઉલ્લેખનીય છે કે, નક્સલવાદીઓએ 27 મેના રોજ ઓડિશાના સુંદરગઢ જિલ્લામાં આવ્યા હતા અને અહીં તેઓએ પથ્થરની ખાણ પાસેથી વિસ્ફોટકોનો જથ્થો લઈ ગયા હતા. ત્યારબાદ સીઆરપીએફે વિસ્ફોટકોનો જથ્થો જપ્ત કરવા માટે જંગલોમાં અભિયાન હાથ ધર્યું હતું, જ્યાં આઈઈડી વિસ્ફોટ થતા એએસઆઈ સત્યવાન કુમાર શહીદ થયા છે.
આ પણ વાંચો : NEET-UG 2025 પરિણામ જાહેર: રાજસ્થાનનો મહેશ દેશમાં ટોપર, ગુજરાતના 2 વિદ્યાર્થી ટોપ 10માં