રાષ્ટ્રપતિના પ્રવાસ પહેલા ભુવનેશ્વરમાં કેન્દ્રીય વિદ્યાલય પાસે બ્લાસ્ટ, પોલીસ-NIAની ટીમ તપાસમાં લાગી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Bhubaneswar Blast : રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ હાલ ઓડિશાના રાજધાની ભૂવનેશ્વરની મુલાકાતે છે, ત્યારે રાજધાનીના ગાડકણા વિસ્તારમાં એક કેન્દ્રીય વિદ્યાલય પાસે ભયાનક વિસ્ફોટ થયો હોવાના અહેવાલ સામે આવ્યા છે. રાષ્ટ્રપતિ ભૂવનેશ્વર વિધાનસભા સત્રમાં સંબોધન કરી રહ્યા, ત્યારે બીજીતરફ વિસ્ફોટની ઘટના બની છે.
પોલીસ-NIA ટીમ દ્વારા તપાસ શરૂ
રિપોર્ટ મુજબ, બોંબ વિસ્ફોટ થયો ત્યારે ત્યાં એક પણ વ્યક્તિ ન હોવાના કારણે જાન-માલને કોઈ નુકસાન થયું નથી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ (NIA) ઘટનના સ્થળે પહોંચી જઈ તપાસ શરૂ કરી દીધી છે. ટીમે વિસ્ફોટ સ્થળથી અડધો કિલોમીટર એરીયામાં શોધખોળ શરૂ કરી દીધી છે.
વિધાનસભામાં વિસ્ફોટનો મુદ્દો ઉઠાવાયો
ટીમ દ્વારા સીસીટીવી ફુજેટની પણ તપાસ કરી રહી છે. સ્કૂલ ગેટ પાસે બોંબ કોણે મૂક્યો, તેની કોઈ માહિતી હજુ સુધી સામે આવી નથી. વિધાનસભામાં પણ વિસ્ફોટનો મુદ્દો ઉઠાવાયો છે. વિધાનસભા અધ્યક્ષ સુરમા પાઠીએ શિક્ષણ મંત્રી પાસેથી વિસ્ફોટની માહિતી મેળવી છે. તેમણે ગૃહમાં તમામ માહિતી શેર કરી છે.
અગાઉથી પ્લાન કરીને હુમલો કર્યો હોવાની આશંકા
મીડિયા અહેવાલો મુજબ, રાજધાની ભુવનેશ્વરના ગાડકણા વિસ્તારમાં આજે સવારે 8.00 કલાકે કેટલાક અજાણ્યા બાઈકસવારો આવ્યા હતા અને તેઓએ કેન્દ્રીય વિદ્યાલયના ગેટ નંબર-3 પાસે બોંબ ફેંક્યો હતો. જો ઘટનામાં કેટલું નુકસાન થયું તેની કોઈ માહિતી સામે આવી નથી. વિસ્ફોટમાં શાળાની ગેટ અને દિવાલને નુકસાન થયું છે. પોલીસને અગાઉથી પ્લાન કરીને હુમલો કર્યો હોવાની આશંકા છે.
આ પણ વાંચો : સોના-ચાંદી ફરી મોંઘા, ભાવ ઓલટાઈમ હાઈની નજીક, જાણો 3 મોટા કારણ








