India

હવે ભારતના વિઝા એક જ દિવસમાં મળી જશે, કેન્દ્ર સરકારે બે નવા પોર્ટલ શરૂ કર્યા

By GS TEAM
14 Aug 20252 mins read
TukuTouch Logo
કેન્દ્ર સરકારે વિઝા ઈશ્યૂ કરવા અંગે એક મોટો નિર્ણય કર્યો છે. હવે એક જ દિવસમાં વિઝા ઈશ્યૂ કરવા માટે નિયામકીય છૂટ આપવાનું શરૂ કરાયું છે. કેન્દ્ર સરકારે જણાવ્યું કે જો તમામ દસ્તાવેજ યોગ્ય રીતે જમા કરાવાયા હશે તો એક જ દિવસમાં ભારતના વિઝા આપી દેવાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

હવે ભારતના વિઝા એક જ દિવસમાં મળી જશે, કેન્દ્ર સરકારે બે નવા પોર્ટલ શરૂ કર્યા

Indian Visa News : કેન્દ્ર સરકારે વિઝા ઈશ્યૂ કરવા અંગે એક મોટો નિર્ણય કર્યો છે. હવે એક જ દિવસમાં વિઝા ઈશ્યૂ કરવા માટે નિયામકીય છૂટ આપવાનું શરૂ કરાયું છે. કેન્દ્ર સરકારે જણાવ્યું કે જો તમામ દસ્તાવેજ યોગ્ય રીતે જમા કરાવાયા હશે તો એક જ દિવસમાં ભારતના વિઝા આપી દેવાશે. 

બે નવા પોર્ટલ શરૂ  

આ સાથે કેન્દ્ર સરકારે ગેરકાયદે પ્રવાસીઓ અને વિઝા મુદ્દતથી વધુ સમય રોકાનારા વિદેશીઓ પર નજર રાખવાની કામગીરીને મજબૂત કરવા માટે બે નવા પોર્ટલ જિલ્લા પોલીસ મોડ્યુલ (DPM) અને વિદેશી ઓળખ પોર્ટલ (એફઆઈપી) શરૂ કર્યા છે. 

મંત્રીએ મેળવી માહિતી 

કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી બંદી સંજય કુમારે ફોરેનર્સ ડિવિઝનના વરિષ્ઠ અધિકારીઓ સાથે યોજાયેલી સમીક્ષા બેઠકમાં વિઝા સરળીકરણ, ઇમિગ્રેશન ચેક પોસ્ટ્સના આધુનિકીકરણ અને અન્ય સંબંધિત બાબતો સંબંધિત નીતિઓ પર ચર્ચા કરી. અધિકારીઓએ મંત્રીને વિઝા પ્રક્રિયાઓને સરળ બનાવવા માટે લેવામાં આવેલા પગલાં વિશે પણ માહિતગાર કર્યા.

મુખ્ય વિઝા કેટેગરીની સંખ્યા 26 થી ઘટાડીને 22 કરાઈ 

મુખ્ય વિઝા કેટેગરીની સંખ્યા 26 થી ઘટાડીને 22 કરવામાં આવી છે અને સબ કેટેગરીની સંખ્યા 104 થી ઘટાડીને 69 કરવામાં આવી છે. વધુમાં, પ્રક્રિયાના સરળીકરણને કારણે વિઝા જારી કરવામાં લાગતો સરેરાશ સમય કેટલાક અઠવાડિયાથી ઘટીને એક દિવસથી ઓછો થઈ ગયો છે.

ઇમિગ્રેશન ચેક પોસ્ટ્સનું આધુનિકીકરણ

ઇમિગ્રેશન ચેક પોસ્ટ્સના આધુનિકીકરણ હેઠળ, સ્વચાલિત મુસાફરી દસ્તાવેજ સ્કેનિંગ અને બાયોમેટ્રિક નોંધણી માટેની સુવિધાઓ રજૂ કરવામાં આવી છે. ICP ની સંખ્યા 2014 માં 82 થી વધીને હાલમાં 114 થઈ ગઈ છે.

મુસાફરો એક મિનિટમાં ઇમિગ્રેશન ક્લિયરન્સ મેળવી શકશે

અધિકારીઓએ જણાવ્યું હતું કે ફાસ્ટ-ટ્રેક ઇમિગ્રેશન સંબંધિત ટ્રસ્ટેડ ટ્રાવેલર પ્રોગ્રામ દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા, બેંગલુરુ, હૈદરાબાદ, કોચી અને અમદાવાદ એરપોર્ટ પર લાગુ કરવામાં આવી રહ્યો છે. અહીં પ્રી-વેરિફાઇડ મુસાફરો માત્ર એક મિનિટમાં ઇમિગ્રેશન ક્લિયરન્સ મેળવી શકે છે. આ સુવિધા ટૂંક સમયમાં કોઝિકોડ, લખનઉ, તિરુવનંતપુરમ, અમૃતસર, તિરુચિરાપલ્લી, નોઇડા અને નવી મુંબઈ એરપોર્ટ પર શરૂ કરવામાં આવશે.