Get The App

મોંઘવારીમાં સામાન્ય જનતાને પડતા પર પાટુ, હવે વરિયાળી પણ 27 હજારને પાર, આયુર્વેદિક દવાઓના ભાવમાં અસર

આ વર્ષે વરિયાળી સિવાય કેટલાક રવિ પાકના ભાવ આસમાન પર પહોચી ગયા છે

Updated: Jul 10th, 2023

GS TEAM


Google News
Google News
મોંઘવારીમાં સામાન્ય જનતાને પડતા પર પાટુ, હવે વરિયાળી પણ 27 હજારને પાર, આયુર્વેદિક દવાઓના ભાવમાં અસર 1 - image
Image Envato 

તા. 10 જુલાઈ 2023, સોમવાર 

આપણા ગુજરાતમાં જીરુ અને વરિયાળીનું સૌથી મોટુ બજાર ઉંજા ગણાય છે. જ્યાથી આખા દેશમા તેના ભાવ નક્કી થતા હોય છે. તો નાગોરમાં જીરાના ભાવ હંમેશા ચર્ચાઓમાં રહ્યા છે. પરંતુ તેની સાથે વરિયાળીના ભાવ પણ ધ્યાનમાં લેવામાં આવે છે કારણ કે આ વર્ષે વરિયાળી ખેડુતો માટે ચાંદીની જેમ કામ કરતી હોય છે. ગત શનિવારના રોજ વરિયાળીના ભાવ 27000 રુપિયા પ્રતિ ક્વિંટલ વેચાઈ હતી. જ્યારે સામાન્ય રીતે તેનો 20000  રુપિયાનો ભાવ રહેતો હોય છે. 

આ વર્ષે વરિયાળી સિવાય કેટલાક રવિ પાકના ભાવ આસમાન પર પહોચી ગયા છે

આ વર્ષે વધારે વરસાદ હોવાથી કેટલાક રાજ્યોમાં રવિ પાકો બર્બાદ થઈ ગયા છે. તેવામાં તેની માંગ વધી રહી છે અને માલ પુરતા પ્રમાણમાં મળતો નથી. જેના કારણે આ વર્ષે કેટલાક રવિ પાકના ભાવ આસમાન પર પહોચી ગયા છે. અને તેમા વરિયાળીના ભાવ પણ ઉંચા ભાવમાં વેચાઈ રહી છે.તેનુ કારણ એ છે કે વરિયાળીનો ઉપયોગ કેટલીક આયુર્વેદિક ઔષધિઓમાં થતો હોય છે.  અહી મહેતા ગંજબજારમાં જીરાના ભાવ વધારે રહેતા હોય છે તો નાગોરમાં વરિયાળીના ભાવ સારા મળી રહ્યા છે. 

આયુર્વેદિક ઔષધિઓમાં થાય છે વરિયાળીનો ઉપયોગ 

નાગોરમાં વરિયાળીની બે રીતે ખેતી થાય છે. એક એકદમ પીળી વરિયાળી અને બીજી થોડી ઓછી પીળી. એમ બે પ્રકારની વરિયાળીનો પાક થાય છે. પરંતુ આ વરિયાળી તેની ગુણવત્તા માટે પ્રખ્યાત છે. તેનો સ્વાદ મીઠો હોય છે. અને નાગોરમાં પાકતી વરિયાળી તેમજ અન્ય કેટલીક પ્રકારની આયુર્વેદિક ઔષધિઓ બનાવવાના ઉપયોગમાં લેવામાં આવે છે.  

Tags :