યુપીના CM યોગીના નિવાસની બહાર બોમ્બ મૂકાયાની સૂચના મળતાં તંત્રમાં દોડધામ મચી
મોટા મોટા અધિકારીઓ દોડી આવ્યા
તપાસ બાદ ખુલાસો - અફવા સાબિત થઈ
image : Twitter |
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિવાસની બહાર આજે બોમ્બ મૂકાયાના સમાચાર મળતાં તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. આ અહેવાલ આગની જેમ ફેલાતા પોલીસ વિભાગના મોટા મોટા અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
અફવા સાબિત થઈ
જોકે તપાસ બાદ જાણ થઈ કે આ માત્ર અફવા જ હતી. બોમ્બ સ્કવૉડ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. હાલમાં પણ અહીં વાહનોની અવર-જવર પર ધ્યાનથી ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. તંત્ર ખડે પગે જોવા મળી રહ્યું છે.