Get The App

'કોઈ સોદા સમય મર્યાદામાં પૂરાં થતા નથી..', સંરક્ષણ ખરીદીના પ્રોજેક્ટ્સમાં વિલંબ અંગે એર ચીફ ચિંતિત

Updated: May 30th, 2025

GS TEAM


Google News
Google News
'કોઈ સોદા સમય મર્યાદામાં પૂરાં થતા નથી..', સંરક્ષણ ખરીદીના પ્રોજેક્ટ્સમાં વિલંબ અંગે એર ચીફ ચિંતિત 1 - image


Air Chief News :  ભારતીય એરફોર્સના એર ચીફ માર્શલ અમર પ્રીત સિંહે સંરક્ષણ ખરીદીના પ્રોજેક્ટ્સમાં થઈ રહેલા વિલંબ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, ફાઈટર વિમાનો સહિત એક પણ સંરક્ષણ સોદા નિશ્ચિત સમય મર્યાદામાં પૂરા થતા નથી. જે વચન પૂરા થઈ શકે તેમ ના હોય તે આપવું જ ના જોઈએ. ઓપરેશન સિંદૂરને તેમણે રાષ્ટ્રીય જીત છે અને તેમાં દરેક ભારતીયનું યોગદાન છે તેમ તેમણે કહ્યું હતું.

એર ચીફ માર્શલ અમરપ્રીત સિંહે સાઈઆઈ બિઝનેસ સમિટ 2025માં ડિફેન્સ ટેક્નોલોજી અંગે વાત કરી હતી. આ પ્રસંગે સંરક્ષણ સોદાઓમાં થઈ રહેલા વિલંબ પર ચિંતા વ્યક્ત કરતા એર ચીફ માર્શલે કહ્યું કે કેટલીક વખત તો સંરક્ષણ સોદા પર હસ્તાક્ષર કરતી વખતે જ અમને ખ્યાલ આવી જાય છે કે આ સોદો સમય મર્યાદામાં પૂરો નહીં થાય. સંરક્ષણ સોદાઓમાં સમય મર્યાદા એક મોટો મુદ્દો છે. મને તો લાગે છે કે એક પણ પ્રોજેક્ટ તેના નિશ્ચિત સમયમાં પૂરો થયો નથી. આપણે એવું વચન જ શા માટે આપવું જોઈએ, જે પૂરું કરી શકીએ નહીં?

તેજસ એમકે-1એ ફાઈટર જેટની ડિલિવરી અટવાયેલી છે તેવા સમયે એર ચીફ માર્શલે અન્ય સ્વદેશી પ્રોજેક્ટ્સમાં વિલંબ અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટ પ્રોગ્રામને ટાંકીને તેમણે કહ્યું કે, તેજસ એમકે1એ ફાઈટર જેટલની ડિલિવરી અટકી છે, જે ફેબુ્રઆરી ૨૦૨૧માં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ સાથે થઈ હતી. એચએએલને 83 વિમાન ઓર્ડર કરવામાં આવ્યા હતા, પરંતુ હજુ સુધી એક પણ વિમાનની ડિલિવરી થઈ નથી. આ સિવાય તેજસ એમકે-૨ તથા સ્ટીલ્થ એએમસીએ ફાઈટરનું પ્રોટોટાઈપ હજુ સુધી રોલઆઉટ થયા નથી. 

એરચીફ માર્શલ અમરપ્રીત સિંહે ઉમેર્યું કે, આપણે માત્ર ભારતમાં સંરક્ષણ ક્ષેત્રે માત્ર ઉત્પાદનની વાત નથી કરી રહ્યા, આપણે ડિઝાઈનિંગ અને ડેવલપમેન્ટ પણ કરવાનું છે. આ સાથ ેતેમણે સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભર ભારત ના વિઝન પર ભાર મૂક્યો હતો. એક વખત આપણે કોઈ બાબત પર કટિબપદ્ધતા દર્શાવીએ તો તેને પૂરી કરવી જોઈએ. તેમણે ઉમેર્યું કે, એરફોર્સ પણ સરકારની મેક ઈન ઈન્ડિયા નીતિને મહત્વ આપી રહી છે. આગામી ૧૦ વર્ષમાં આપણને ઉદ્યોગ તરફથી વધુ ઉત્પાદન મળશે, પરંતુ એરફોર્સને આજે જે જોઈએ તે સ્વાભાવિક જ આજે જ જોઈશે. કોઈપણ યુદ્ધ આપણા સૈન્યને સશક્ત બનાવીને જીતી શકાય છે. ઓપરેશન સિંદૂર અંગે તેમણે કહ્યું કે, દુનિયાએ ભારતીય સૈન્યનું પરાક્રમ જોયું છે. આ એક રાષ્ટ્રીય જીત છે. આ વિજય દરેક ભારતીયનો છે. આ એવું ઓપરેશન હતું, જેને બધી જ એજન્સીઓ, બધી જ ફોર્સ દ્વારા એકદમ પ્રોફેશનલ રીતે કરવામાં આવ્યું. ઓપરેશન સિંદૂરે આપણને બતાવ્યું કે આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ.

Tags :