India

નીતિશ કુમાર કાલે CM પદેથી આપશે રાજીનામું, રાજ્યપાલ સાથે મુલાકાત કરીને સોંપશે સમર્થન પત્ર

By GS TEAM
18 Nov 20252 mins read
TukuTouch Logo
બિહારમાં NDA સરકાર રચાવાની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. બિહાર ભાજપના ધારાસભ્ય દળની બુધવારે (19 નવેમ્બર) બેઠક યોજાવાની છે. બેઠક સવારે 10 વાગ્યે ભાજપ પ્રદેશ કાર્યાલય ખાતે અટલ સભાગારમાં થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

નીતિશ કુમાર કાલે CM પદેથી આપશે રાજીનામું, રાજ્યપાલ સાથે મુલાકાત કરીને સોંપશે સમર્થન પત્ર
Image Source: IANS

Bihar Assembly: બિહારમાં NDA સરકાર રચાવાની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. બિહાર ભાજપના ધારાસભ્ય દળની બુધવારે (19 નવેમ્બર) બેઠક યોજાવાની છે. બેઠક સવારે 10 વાગ્યે ભાજપ પ્રદેશ કાર્યાલય ખાતે અટલ સભાગારમાં થશે. જેડીયુ ધારાસભ્ય દળની બેઠક સવારે 11 વાગ્યે મુખ્યમંત્રી આવાસ 1 અણે માર્ગ પર થશે. ત્યારબાદ NDA ધારાસભ્ય દળની બેઠક બપોરે બપોરે 3:30 વાગ્યે બિહાર વિધાનસભાના સેન્ટ્રલ હોલમાં થશે જેમાં નીતિશ કુમારને NDA ધારાસભ્ય દળના નેતા પસંદ કરાશે.

ત્યારબાદ નીતિશ રાજભવન જઈને રાજ્યપાલને મળશે અને NDAના અન્ય તમામ પક્ષોના સમર્થન પત્રની સાથે પોતાનું રાજીનામું આપશે. 20 નવેમ્બર 2025એ શપથગ્રહણ સમારોહ છે. નવા મુખ્યમંત્રીના શપથગ્રહણ સમારોહને લઈને પટનાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં સમારોહની જોરશોરથી તૈયારીઓ કરાઈ રહી છે.

સ્પીકરના પદ માટે ભાજપનો મજબૂત દાવો

સૂત્રોના જણાવ્યાનુસાર, ભાજપ અને જેડીયુ બંને સ્પીકરના પદ માટે મજબૂત દાવેદારી દાખવી રહ્યા છે, પરંતુ ખાસ કરીને ભાજપ કોઈપણ કિંમતે આ પદ જાળવી રાખવા માગે છે. ગત વિધાનસભામાં ભાજપના નેતા નંદકિશોર યાદવે સ્પીકર તરીકે સેવા આપી હતી, જ્યારે જેડીયુના નરેન્દ્ર નારાયણ યાદવે ડેપ્યુટી સ્પીકરનું પદ સંભાળ્યું હતું.

મુખ્ય મંત્રાલય અંગે ખેંચતાણ

સ્પીકરના પદ ઉપરાંત બંને પક્ષો વચ્ચે અન્ય ઘણાં મુખ્ય સરકારી મંત્રાલયો પર પણ ખેંચતાણ ચાલી રહી છે. બિહાર ભાજપના નેતાઓએ રણનીતિ પર ચર્ચા કરવા માટે પટનામાં મોડી રાત સુધી ચર્ચા કરી. JDU નેતાઓ સંજય કુમાર ઝા અને લાલનસિંહ સહિત કેટલાક નેતાઓ મંગળવારે ઉચ્ચ સ્તરીય વાટાઘાટોમાં ભાગ લેવા માટે દિલ્હી જાય તેવી શક્યતા છે.